Lakhimpur Kheri Violence: લખીમપુર હિંસા કેસમાં Ashish Mishraને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

આ કેસમાં ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ ભૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. આશિષ મિશ્રા સહિત 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ આશિષ મિશ્રાના સમર્થકો અને ખેડૂતો વચ્ચેની અથડામણમાં આઠ લોકો માર્યા ગયા હતા.

Lakhimpur Kheri Violence: લખીમપુર હિંસા કેસમાં Ashish Mishraને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
Lakhimpur violence accused Ashish Mishra gets bail (File pic)Image Credit source: Ani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 3:13 PM

લખીમપુર હિંસા (Lakhimpur Violence) કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના (Ajay Mishra) પુત્ર આશિષ મિશ્રાને (Ashish Mishra) અલ્હાબાદ હાઈકોર્ટમાંથી (Allahabad High Court) જામીન (Bail) મળી ગયા છે. ચૂંટણીના માહોલમાં આશિષ મિશ્રાને જામીન મળતાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું આનો ફાયદો કોઈ પક્ષને થશે. ગયા વર્ષે 3 ઓક્ટોબરે તિકોનિયા નિગાસન વિધાનસભા ક્ષેત્રમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના આકરા નિવેદન અને ત્રણ નવા કૃષિ કાયદાઓ (Three Farm laws) સામે ખેડૂતોના વિરોધ દરમિયાન ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. આ કેસમાં ટેનીના પુત્ર આશિષની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી.

મુખ્ય આરોપી આશિષ મિશ્રા

હિંસાના કેસમાં SITએ ચાર્જશીટ દાખલ કરી હતી. 5000 પાનાની આ ચાર્જશીટમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ ભૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. આશિષ મિશ્રા સહિત કુલ 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ આશિષ મિશ્રાના સમર્થકો અને ખેડૂતો વચ્ચેની અથડામણમાં આઠ લોકો માર્યા ગયા હતા. તપાસકર્તાએ આશિષ મિશ્રા સહિત અન્ય આરોપીઓને હત્યાના આરોપી બનાવ્યા છે. ચાર્જશીટ મુજબ સુનિયોજિત કાવતરા હેઠળ વિરોધ કરી રહેલા ખેડૂતોને જીપ અને એસયુવી દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.

તપાસમાં એસઆઈટીને 17 વૈજ્ઞાનિક પુરાવા, સાત ભૌતિક પુરાવા અને 24 વીડિયો ફોટા મળ્યા, જેનાથી આરોપીઓની મુશ્કેલીઓ વધી ગઈ. આ સિવાય 208 લોકોએ જુબાની આપી હતી. તેના આધારે SITએ પોતાની ચાર્જશીટ લખી છે. સાક્ષીઓએ SITને જણાવ્યું કે મંત્રીનો પુત્ર આશિષ ઘટનાસ્થળે હાજર હતો. ખેડૂતોની ફરિયાદના આધારે આશિષ મિશ્રા અને તેના સહયોગીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

લખીમપુર ખેરી હિંસામાં એક ન્યૂઝ ચેનલના રિપોર્ટર રમણ કશ્યપનું મોત થયું હતું. હકીકતમાં, કથિત રીતે ભાજપ સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ પોતાની કાર વડે ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા અને તેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા. આ પછી ઉશ્કેરાયેલા ખેડૂતોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને ચાર લોકોને માર માર્યો. જેમાં રમણ કશ્યપ પણ સામેલ હતો. એક ડ્રાઈવર અને બે ભાજપના કાર્યકરોને પણ ખેડૂતોએ માર માર્યો હતો. સાથે જ આ મામલે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો: Tejas Aircraft: ફિલિપાઈન્સ સાથે BrahMos કરાર બાદ, ભારત Malaysiaને વેચી શકે છે સ્વદેશી તેજસ

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણીની વચ્ચે ભાજપમાં જોડાયા WWEના પહેલવાન ‘ધ ગ્રેટ ખલી’

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">