AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરુણાચલ પ્રદેશ દેશનું અભિન્ન અંગ હતુ, છે અને રહેશે, અમિત શાહના પ્રવાસ પર ભારતનો ચીનને કડક શબ્દોમાં જવાબ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતીય નેતાઓ નિયમિત રીતે અરુણાચલ પ્રદેશની એ જ રીતે મુલાકાત લે છે જે રીતે તેઓ અન્ય રાજ્યની મુલાકાત લે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતુ, છે અને રહેશે.

અરુણાચલ પ્રદેશ દેશનું અભિન્ન અંગ હતુ, છે અને રહેશે, અમિત શાહના પ્રવાસ પર ભારતનો ચીનને કડક શબ્દોમાં જવાબ
Home Minister Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 7:37 PM
Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના અરુણાચલ પ્રવાસે હતા. ચીને આનો વિરોધ કર્યો હતો અને મુલાકાતનો વિરોધ કરતું નિવેદન બહાર પાડ્યું હતું. હવે ભારતે પણ આનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે ચીનના સત્તાવાર નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતીય નેતાઓ નિયમિત રીતે અરુણાચલ પ્રદેશની એ જ રીતે મુલાકાત લે છે જે રીતે તેઓ અન્ય રાજ્યની મુલાકાત લે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતુ, છે અને રહેશે. ચીન દ્વારા કરવામાં આવેલા વાંધાઓનું કોઈ કારણ નથી અને તેનાથી વાસ્તવિકતા બદલાશે નહીં.

આ પણ વાંચો: Madhya Pradesh: શિવરાજ સરકારનો મોટો નિર્ણય, હવે ટ્રાન્સજેન્ડરોને પણ મળશે OBC અનામત

આ પહેલા 10 એપ્રિલે અમિત શાહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે ગયા હતા. તે જ દિવસે ચીને તેનો વિરોધ કર્યો હતો અને તેને ચીનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ઝાંગનાન ચીનનો વિસ્તાર છે.

ચીને અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ પણ બદલ્યા

તેમણે કહ્યું કે ભારતીય મંત્રીની ઝાંગનાનની મુલાકાત ચીનની પ્રાદેશિક સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે. સરહદ પર શાંતિ માટે આ સારું નથી. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટ કહે છે. તાજેતરમાં તેણે અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ પણ બદલ્યા હતા.

2017માં ડોકલામ વિવાદ બાદથી ચીને અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ ત્રણ વખત બદલ્યા છે. 2017માં તેણે 6 જિલ્લાના નામ બદલી નાખ્યા હતા. આ પછી ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ તેણે 15 જગ્યાના ચાઈનીઝ નામ રાખ્યા અને હવે તેણે 11 જગ્યાના નામ બદલી નાખ્યા. તેના પર પણ ભારતે તેને સીધો જવાબ આપ્યો અને દરેક દાવાને નકારી કાઢ્યા.

અમિત શાહે પણ અરુણાચલ પ્રદેશમાંથી ચીનને સીધો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે હવે એ સમય નથી જ્યારે કોઈ ભારતની જમીન પર અતિક્રમણ કરી શકે. આજે દેશની એક ઈંચ જમીન પણ કોઈ લઈ શકતું નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ચીન હવે સોયના નાકા જેટલી પણ જમીન પર કબજો કરી શકશે નહીં.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">