અરુણાચલ પ્રદેશ દેશનું અભિન્ન અંગ હતુ, છે અને રહેશે, અમિત શાહના પ્રવાસ પર ભારતનો ચીનને કડક શબ્દોમાં જવાબ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતીય નેતાઓ નિયમિત રીતે અરુણાચલ પ્રદેશની એ જ રીતે મુલાકાત લે છે જે રીતે તેઓ અન્ય રાજ્યની મુલાકાત લે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતુ, છે અને રહેશે.

અરુણાચલ પ્રદેશ દેશનું અભિન્ન અંગ હતુ, છે અને રહેશે, અમિત શાહના પ્રવાસ પર ભારતનો ચીનને કડક શબ્દોમાં જવાબ
Home Minister Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 7:37 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના અરુણાચલ પ્રવાસે હતા. ચીને આનો વિરોધ કર્યો હતો અને મુલાકાતનો વિરોધ કરતું નિવેદન બહાર પાડ્યું હતું. હવે ભારતે પણ આનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે ચીનના સત્તાવાર નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતીય નેતાઓ નિયમિત રીતે અરુણાચલ પ્રદેશની એ જ રીતે મુલાકાત લે છે જે રીતે તેઓ અન્ય રાજ્યની મુલાકાત લે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતુ, છે અને રહેશે. ચીન દ્વારા કરવામાં આવેલા વાંધાઓનું કોઈ કારણ નથી અને તેનાથી વાસ્તવિકતા બદલાશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

આ પણ વાંચો: Madhya Pradesh: શિવરાજ સરકારનો મોટો નિર્ણય, હવે ટ્રાન્સજેન્ડરોને પણ મળશે OBC અનામત

આ પહેલા 10 એપ્રિલે અમિત શાહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે ગયા હતા. તે જ દિવસે ચીને તેનો વિરોધ કર્યો હતો અને તેને ચીનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ઝાંગનાન ચીનનો વિસ્તાર છે.

ચીને અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ પણ બદલ્યા

તેમણે કહ્યું કે ભારતીય મંત્રીની ઝાંગનાનની મુલાકાત ચીનની પ્રાદેશિક સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે. સરહદ પર શાંતિ માટે આ સારું નથી. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટ કહે છે. તાજેતરમાં તેણે અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ પણ બદલ્યા હતા.

2017માં ડોકલામ વિવાદ બાદથી ચીને અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ ત્રણ વખત બદલ્યા છે. 2017માં તેણે 6 જિલ્લાના નામ બદલી નાખ્યા હતા. આ પછી ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ તેણે 15 જગ્યાના ચાઈનીઝ નામ રાખ્યા અને હવે તેણે 11 જગ્યાના નામ બદલી નાખ્યા. તેના પર પણ ભારતે તેને સીધો જવાબ આપ્યો અને દરેક દાવાને નકારી કાઢ્યા.

અમિત શાહે પણ અરુણાચલ પ્રદેશમાંથી ચીનને સીધો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે હવે એ સમય નથી જ્યારે કોઈ ભારતની જમીન પર અતિક્રમણ કરી શકે. આજે દેશની એક ઈંચ જમીન પણ કોઈ લઈ શકતું નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ચીન હવે સોયના નાકા જેટલી પણ જમીન પર કબજો કરી શકશે નહીં.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">