AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરુણાચલ પ્રદેશ દેશનું અભિન્ન અંગ હતુ, છે અને રહેશે, અમિત શાહના પ્રવાસ પર ભારતનો ચીનને કડક શબ્દોમાં જવાબ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતીય નેતાઓ નિયમિત રીતે અરુણાચલ પ્રદેશની એ જ રીતે મુલાકાત લે છે જે રીતે તેઓ અન્ય રાજ્યની મુલાકાત લે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતુ, છે અને રહેશે.

અરુણાચલ પ્રદેશ દેશનું અભિન્ન અંગ હતુ, છે અને રહેશે, અમિત શાહના પ્રવાસ પર ભારતનો ચીનને કડક શબ્દોમાં જવાબ
Home Minister Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 7:37 PM
Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના અરુણાચલ પ્રવાસે હતા. ચીને આનો વિરોધ કર્યો હતો અને મુલાકાતનો વિરોધ કરતું નિવેદન બહાર પાડ્યું હતું. હવે ભારતે પણ આનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે ચીનના સત્તાવાર નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતીય નેતાઓ નિયમિત રીતે અરુણાચલ પ્રદેશની એ જ રીતે મુલાકાત લે છે જે રીતે તેઓ અન્ય રાજ્યની મુલાકાત લે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતુ, છે અને રહેશે. ચીન દ્વારા કરવામાં આવેલા વાંધાઓનું કોઈ કારણ નથી અને તેનાથી વાસ્તવિકતા બદલાશે નહીં.

આ પણ વાંચો: Madhya Pradesh: શિવરાજ સરકારનો મોટો નિર્ણય, હવે ટ્રાન્સજેન્ડરોને પણ મળશે OBC અનામત

આ પહેલા 10 એપ્રિલે અમિત શાહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે ગયા હતા. તે જ દિવસે ચીને તેનો વિરોધ કર્યો હતો અને તેને ચીનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ઝાંગનાન ચીનનો વિસ્તાર છે.

ચીને અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ પણ બદલ્યા

તેમણે કહ્યું કે ભારતીય મંત્રીની ઝાંગનાનની મુલાકાત ચીનની પ્રાદેશિક સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે. સરહદ પર શાંતિ માટે આ સારું નથી. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટ કહે છે. તાજેતરમાં તેણે અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ પણ બદલ્યા હતા.

2017માં ડોકલામ વિવાદ બાદથી ચીને અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ ત્રણ વખત બદલ્યા છે. 2017માં તેણે 6 જિલ્લાના નામ બદલી નાખ્યા હતા. આ પછી ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ તેણે 15 જગ્યાના ચાઈનીઝ નામ રાખ્યા અને હવે તેણે 11 જગ્યાના નામ બદલી નાખ્યા. તેના પર પણ ભારતે તેને સીધો જવાબ આપ્યો અને દરેક દાવાને નકારી કાઢ્યા.

અમિત શાહે પણ અરુણાચલ પ્રદેશમાંથી ચીનને સીધો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે હવે એ સમય નથી જ્યારે કોઈ ભારતની જમીન પર અતિક્રમણ કરી શકે. આજે દેશની એક ઈંચ જમીન પણ કોઈ લઈ શકતું નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ચીન હવે સોયના નાકા જેટલી પણ જમીન પર કબજો કરી શકશે નહીં.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">