AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah On Rahul Gandhi : અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહાર,’…આખા દેશમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે’

અમિત શાહે કહ્યું કે, પૂર્વોત્તર એક સમયે કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ રાહુલ ગાંધીની મુલાકાત છતાં કોંગ્રેસ તાજેતરની ચૂંટણીમાં સારો દેખાવ કરી શકી નથી. રાહુલ ગાંધીની માતાએ પણ પીએમ મોદીને ગાળો આપવાની કોશિશ કરી જોઈ લીધુ, પરંતુ કંઈ થયું નહીં.

Amit Shah On Rahul Gandhi : અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહાર,'...આખા દેશમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે'
અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહારImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 4:15 PM
Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે (11 એપ્રિલ) આસામના ડિબ્રુગઢમાં ભાજપ કાર્યાલયના શિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ બાબા વિદેશમાં જઈને દેશ વિશે ખરાબ કહે છે. જો આમ જ ચાલતું રહ્યું તો આખી કોંગ્રેસનો દેશમાંથી સફાયો થઈ જશે.

આ પણ વાચો: Amit Shah In Arunachal: અમિત શાહના ચીન પર પ્રહાર, કહ્યું- સોયની અણી જેટલી જમીન કોઈ લઈ શકતું નથી

અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીની માતાએ પણ પીએમ મોદીને ગાળો આપવાની કોશિશ કરી જોઈ લીધુ, પરંતુ કંઈ થયું નહીં. ત્રીજી વખત પીએમ મોદી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. કોંગ્રેસના લોકો વડાપ્રધાનની કબર ખોદી રહ્યા છે. દેશના દરેક રહેવાસી પીએમ મોદીના લાંબા આયુષ્યની કામના કરે છે. તેઓ (વિપક્ષ) પીએમ મોદી વિશે જેટલી ખરાબ વાતો કરતા રહેશે, તેટલો જ ભાજપનો વિકાસ થશે.

રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

તેમણે કહ્યું કે, પીએમ મોદી 14મીએ આસામ આવી રહ્યા છે. પૂર્વોત્તર એક સમયે કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ રાહુલ ગાંધીની મુલાકાત છતાં, તે તાજેતરની ચૂંટણીઓમાં પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયું છે. આસામમાં બીજી વખત ભાજપની સરકાર બની છે. આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને 70 ટકા આસામમાંથી હટાવી દેવામાં આવ્યા છે, અન્ય રાજ્યો સાથેના સરહદી વિવાદોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

“આસામમાં 14માંથી 12 બેઠકો જીતીશું”

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સંગઠનના ધોરણે ચાલતી પાર્ટી છે અને કાર્યાલય ભાજપની તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. હાલમાં ઉત્તર પૂર્વના 3 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી અને ત્રણેય રાજ્યોમાં ભાજપ સરકારનો ભાગ છે. ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર છે અને તેના કારણે ઉત્તર પૂર્વનો વિકાસ થયો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ આસામની 14માંથી 12 બેઠકો જીતશે અને 300થી વધુ બેઠકો સાથે મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.

                                     દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

                                               દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
g clip-path="url(#clip0_868_265)">