AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah On Rahul Gandhi : અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહાર,’…આખા દેશમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે’

અમિત શાહે કહ્યું કે, પૂર્વોત્તર એક સમયે કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ રાહુલ ગાંધીની મુલાકાત છતાં કોંગ્રેસ તાજેતરની ચૂંટણીમાં સારો દેખાવ કરી શકી નથી. રાહુલ ગાંધીની માતાએ પણ પીએમ મોદીને ગાળો આપવાની કોશિશ કરી જોઈ લીધુ, પરંતુ કંઈ થયું નહીં.

Amit Shah On Rahul Gandhi : અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહાર,'...આખા દેશમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે'
અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહારImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 4:15 PM
Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે (11 એપ્રિલ) આસામના ડિબ્રુગઢમાં ભાજપ કાર્યાલયના શિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ બાબા વિદેશમાં જઈને દેશ વિશે ખરાબ કહે છે. જો આમ જ ચાલતું રહ્યું તો આખી કોંગ્રેસનો દેશમાંથી સફાયો થઈ જશે.

આ પણ વાચો: Amit Shah In Arunachal: અમિત શાહના ચીન પર પ્રહાર, કહ્યું- સોયની અણી જેટલી જમીન કોઈ લઈ શકતું નથી

અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીની માતાએ પણ પીએમ મોદીને ગાળો આપવાની કોશિશ કરી જોઈ લીધુ, પરંતુ કંઈ થયું નહીં. ત્રીજી વખત પીએમ મોદી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. કોંગ્રેસના લોકો વડાપ્રધાનની કબર ખોદી રહ્યા છે. દેશના દરેક રહેવાસી પીએમ મોદીના લાંબા આયુષ્યની કામના કરે છે. તેઓ (વિપક્ષ) પીએમ મોદી વિશે જેટલી ખરાબ વાતો કરતા રહેશે, તેટલો જ ભાજપનો વિકાસ થશે.

રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

તેમણે કહ્યું કે, પીએમ મોદી 14મીએ આસામ આવી રહ્યા છે. પૂર્વોત્તર એક સમયે કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ રાહુલ ગાંધીની મુલાકાત છતાં, તે તાજેતરની ચૂંટણીઓમાં પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયું છે. આસામમાં બીજી વખત ભાજપની સરકાર બની છે. આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને 70 ટકા આસામમાંથી હટાવી દેવામાં આવ્યા છે, અન્ય રાજ્યો સાથેના સરહદી વિવાદોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

“આસામમાં 14માંથી 12 બેઠકો જીતીશું”

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સંગઠનના ધોરણે ચાલતી પાર્ટી છે અને કાર્યાલય ભાજપની તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. હાલમાં ઉત્તર પૂર્વના 3 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી અને ત્રણેય રાજ્યોમાં ભાજપ સરકારનો ભાગ છે. ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર છે અને તેના કારણે ઉત્તર પૂર્વનો વિકાસ થયો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ આસામની 14માંથી 12 બેઠકો જીતશે અને 300થી વધુ બેઠકો સાથે મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.

                                     દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

                                               દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">