Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત

કેન્દ્રીય યુવા રમત અને માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રા આજે એટલે કે 19 ઓગસ્ટના રોજ હિમાચલ ભવનથી શરૂ થઈ. જેમાં પરવાનુમાં અનુરાગ ઠાકુરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે.

Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત
Anuragh Thakur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 3:01 PM

Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ પ્રદેશના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપ સહિત ઘણા નેતાઓ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રા માટે હિમાચલ ભવન પહોંચ્યા હતા. ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો. રાજીવ બિંદલ, મંત્રી સુખરામ ચૌધરી, ધારાસભ્ય રીના કશ્યપ, જિલ્લા પ્રમુખ વિનય ગુપ્તા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામ સિંહ, સંજીવ કટવાલ, બળદેવ તોમર સહિત કાર્યકરો પણ આ યાત્રામાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી બન્યા બાદ અનુરાગ ઠાકુર (Anurag Thakur) પાંચ દિવસના પ્રવાસ માટે પ્રથમ વખત હિમાચલ આવ્યા  છે. સિરમૌર જિલ્લાના નેતાઓ દ્વારા કેન્દ્રીય મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત પરવાનુ અને સોલનમાં સ્વાગત કર્યા બાદ શિમલા ગ્રામ્યની શોઘી બજારમાં પણ અનુરાગ ઠાકુરનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ જન આશીર્વાદ યાત્રા શિમલા લગભગ ચાર વાગ્યે પહોંચશે.

પરવાનુમાં અનુરાગ ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જન આશીર્વાદ યાત્રાના પ્રભારી સંજીવ કટવાલે જણાવ્યુ હતુ કે, અનુરાગ ઠાકુર કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત પાંચ દિવસના રોકાણ પર હિમાચલ (Himachal Pradesh) આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પરવાનુમાં આરોગ્ય મંત્રી ડો. રાજીવ સૈજલ દ્વારા અનુરાગ ઠાકુરનું સ્વાગત કરવામાં આવશે.

સિરમૌરના કાર્યકર્તાઓએ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરનું સ્વાગત કર્યું

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આજે  19 ઓગસ્ટના રોજ હિમાચલ ભવનથી તેમની જન આશિર્વાદ યાત્રાની શરૂઆત કરી. જેમાં સિરમૌર જિલ્લાના અનેક કાર્યકર્તાઓ તેમનું સ્વાગત માટે આવ્યા હતા. ઉપરાંત સિરમૌર જિલ્લાના (Sirmaur District) પાંચ વિધાનસભા ક્ષેત્રમાંથી 150-150 કાર્યકરો પહોંચ્યા હતા.

કેન્દ્રીય મંત્રી બન્યા બાદ અનુરાગ ઠાકુર પ્રથમ વખત હિમાચલ આવ્યા છે, ત્યારે હિમાચલ ભવનથી શિમલા (Shimla) સુધી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે, શિમલામાં મુખ્યમંત્રી જય રામ ઠાકુર (CM Jay Ram Thakur) આ યાત્રા દરમિયાન તેમનું સ્વાગત કરશે. ઉપરાંત અહી એક જાહેર સભા પણ યોજાશે.

આ પાંચ દિવસની જન આશીર્વાદ યાત્રા ચારેય લોકસભા મત વિસ્તારમાંથી 630 કિ.મી. વિસ્તારમાં નીકળશે. ઉલ્લેખનીય છે કે, અનુરાગ ઠાકુરની મુલાકાત માટે બુધવારે સોલન, શિમલા અને અન્ય સ્થળોએ સમીક્ષા બેઠકો પણ યોજવામાં આવી હતી.

આ પણ વાંચો: ગરીબો માટે પીએમ મોદીએ લોન્ચ કરી ફ્રી ગેસ કનેક્શનની યોજના, એક અઠવાડીયામાં મળી 60 લાખ અરજી

આ પણ વાંચો:  India Afghanistan: ભારતને લઈને તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર લગાવી સંપૂર્ણ રોક

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">