Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેલંગાણાના સીએમ પર કટાક્ષ કરતા કહ્યું- હવે પાકિસ્તાન, કોંગ્રેસ અને TRSના શબ્દો એક સમાન

ચૂંટણી આવે છે ત્યારે તેઓ નવા નવા પ્રયોગો કરે છે, કેટલાક હિજાબનો ઉપયોગ કરે છે અને કેટલાક સર્જિકલ સ્ટ્રાઇકનો ઉપયોગ કરે છે કારણ કે તેઓ વિકાસના મુદ્દે ભાજપ સાથે સ્પર્ધા કરી શકતા નથી.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેલંગાણાના સીએમ પર કટાક્ષ કરતા કહ્યું- હવે પાકિસ્તાન, કોંગ્રેસ અને TRSના શબ્દો એક સમાન
Anurag Thakur - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 5:27 PM

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) સોમવારે તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવે (Telangana CM K Chandrashekhar Rao) સર્જીકલ સ્ટ્રાઈક પર ઉઠાવેલા સવાલ પર ઝાટકણી કાઢી હતી. ઠાકુરે કહ્યું કે તેલંગાણાના સીએમનો ગુસ્સો અને ગભરાટ દેખાઈ આવે છે, હુઝુરાબાદમાં સર્જિકલ સ્ટ્રાઈક પછી હુઝૂરના શબ્દો બગડેલા જોવા મળે છે. હજુ તો એક ચૂંટણી હારી ગયા છે અને ત્યારબાદ આ સ્થિતિ છે, તેલંગાણામાં KCR અને TRSની જમીન સરકતી દેખાઈ રહી છે. યુપી ચૂંટણી સમયે સર્જિકલ સ્ટ્રાઈકને બધા યાદ કરી રહ્યા છે. કોંગ્રેસ અને ટીઆરએસના શબ્દો પાકિસ્તાનના શબ્દો જેવા લાગે છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે તેઓ નવા નવા પ્રયોગો કરે છે, કેટલાક હિજાબનો ઉપયોગ કરે છે અને કેટલાક સર્જિકલ સ્ટ્રાઇકનો ઉપયોગ કરે છે કારણ કે તેઓ વિકાસના મુદ્દે ભાજપ સાથે સ્પર્ધા કરી શકતા નથી.

અનુરાગ ઠાકુરે KCR પર કટાક્ષ કર્યો

સર્જિકલ સ્ટ્રાઈક પર KCRએ ઉઠાવ્યા સવાલ

જણાવી દઈએ કે આ પહેલા સીએમ ચંદ્રશેખર રાવે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. આ મુદ્દે રાહુલ ગાંધીનું સમર્થન કરતાં તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક પર રાહુલ ગાંધીના પુરાવા માંગવામાં ખોટું નથી. સીએમ રાવે કહ્યું કે રાહુલ ગાંધીએ જે પુરાવા માંગ્યા છે તે ખોટું નથી. તેમણે કહ્યું કે ભાજપ હંમેશા ખોટો પ્રચાર કરે છે. એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે હું પણ પુરાવા માંગી રહ્યો છું. રાહુલ ગાંધીએ જે પૂછ્યું છે તેમાં કંઈ ખોટું નથી, એમ તેમણે કહ્યું હતું. હું ભારત સરકારને પણ તે જ પૂછું છું.

સીએમ સરમાએ સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારા પર નિશાન સાધ્યું

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે પુલવામા હુમલાની વર્ષગાંઠ પર, વિપક્ષે ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને આપણા શહીદોનું અપમાન કર્યું છે. ગાંધી પરિવાર પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવાના પ્રયાસમાં તેણે સેના સાથે દગો કર્યો છે. મારી વફાદારી સેના સાથે છે.

આ પણ વાંચો : Punjab Assembly Election: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો, કહ્યું- કોને 15 લાખ રૂપિયા અને નોકરી મળી ?

આ પણ વાંચો : સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે સવાલ કરનાર તેલંગાણાના સીએમ કેસીઆર પર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કર્યા વાકપ્રહાર, કહ્યું- તેમનું નિવેદન મુખ્યમંત્રીની અયોગ્યતા દર્શાવે છે

g clip-path="url(#clip0_868_265)">