આંધ્રપ્રદેશમાં ડીવીઝનલ કમાન્ડર સહિત 6 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, એમના પર હતુ લાખોનુ ઈનામ

સવાંગે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં વિશાખાપટ્ટનમ જિલ્લામાં  બે ડિવિઝન કમિટી સભ્યો અને એક ACM સહીત માઓવાદીઓની છ કેડરોને "નિષ્ક્રિય" કરવામાં આવી હતી.

આંધ્રપ્રદેશમાં ડીવીઝનલ કમાન્ડર સહિત 6 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, એમના પર હતુ લાખોનુ ઈનામ
6 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:12 PM

પોલીસ મહાનિર્દેશક ડી જી સવાંગે જણાવ્યું કે ડિવિઝનલ કમાન્ડર સહિત છ માઓવાદીઓએ (CPI Maoist) ગુરુવારે આંધ્રપ્રદેશ પોલીસ સમક્ષ શરણાગતી (Surrendered) સ્વીકારી હતી.

ડીજીપીએ (DGP) એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ડિવિઝનલ કમાન્ડર ચીક્કુડુ ચિન્ના રાવ ઉર્ફે સુધીરના માથા પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતુ. જ્યારે એરિયા કમિટી (ACM) ના બે સભ્યો વંથલા વન્નુ ઉર્ફે મહિતા અને મદકમ સોમીદી ઉપર 4 – 4 લાખ રૂપિયાની રકમ ઈનામ તરીકે જાહેર કરવામાં આવી હતી.

અન્ય ત્રણ પર 1 – 1 લાખ રૂપિયાનું ઈનામ  જાહેર કરવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરનારા છ માઓવાદીઓમાંથી ચાર પડોશી રાજ્ય છત્તીસગઢના હતા. વિશાખા-પૂર્વ ડિવિઝનલ કમાન્ડર સુધીર ઉપર 93 ગુનાઓ નોંધાયા હતા. જેમાં 14 હત્યા અને 11 વખત ગોળીબારનો સમાવેશ થાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શું હતા આત્મસમર્પણના કારણો ?

ડીજીપીએ જણાવ્યું હતું કે પ્રજાના સમર્થનનો અભાવ તેમજ માઓવાદી કેડર દ્વારા આદિવાસી કેડર સાથે કરવામાં આવતો ભેદભાવ ગુનેગારોના આત્મસમર્પણ માટે મુખ્યત્વે જવાબદાર છે.

આંધ્ર-ઓડિશા સરહદીય વિસ્તાર (AOB) અને કટ ઓફ વિસ્તારમાં દૃશ્ય હવે બદલાઈ ગયું છે, પરિણામે માઓવાદીનું આંદોલન ઘટ્યું છે અને જનતા પર તેમનો પ્રભાવ ઘટી રહ્યો છે.

સ્થાનિક આદિવાસીઓ તરફથી ઘટતા સહકાર અને ભરતીના અભાવે માઓવાદીઓ આંદોલનને ફરી જીવંત કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સવાંગે (Director General of police) વધુમાં જણાવતાં કહ્યું કે, સરકારના વિકાસ કામો  અને કલ્યાણ યોજનાઓ આદીવાસી વિસ્તારો સુધી પહોચી રહ્યા છે. જેના કારણે આદીવાસીઓમાં માઓવાદીઓનો પ્રભાવ ઘટી રહ્યો છે.

ડીજીપી (DGP)એ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં વામપંથી ઉગ્રવાદ (LWE) છેલ્લા બે વર્ષમાં સંખ્યા અને ભૌગોલિક પ્રસારની દ્રષ્ટીએ બંને  રીતે ઘટી ગયો છે.

વામપંથી ઉગ્રવાદની પ્રવૃત્તિઓ હવે મોટા પ્રમાણમાં ઘટીને વિશાખાપટ્ટનમ અને પૂર્વ ગોદાવરી જિલ્લાઓ સુધી મર્યાદિત છે. છેલ્લા બે વર્ષમાં માઓવાદી કેડરની સંખ્યા 140 થી ઘટીને 54 થઈ ગઈ છે.

આવી પરીસ્થિતિમાં માઓવાદીઓ છત્તીસગઢ થી કેડરોને એઓબી વિસ્તારમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ડીજીપીએ કહ્યું કે આ વર્ષે મે મહિનામાં કેન્દ્રીય સમિતિના સભ્ય ઉદય છત્તીસગઢથી આઠ નવા કેડરોને એઓબીમાં લાવ્યા હતા.

સવાંગે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં વિશાખાપટ્ટનમ જિલ્લામાં  બે ડિવિઝન કમિટી સભ્યો અને એક ACM સહીત માઓવાદીઓની છ કેડરોને “નિષ્ક્રિય” કરવામાં આવી હતી.

છેલ્લા બે વર્ષમાં ફાયરિંગની 11 ઘટનાઓ બની હતી જેમાં 14 માઓવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે છ માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, અને 32 એ આત્મસમર્પણ કર્યું હતું.

આ પણ વાંચો :  Olympic Games બાદ સોશિયલ મીડિયા પર પણ વાગ્યો ભારતનો ડંકો, નીરજ ચોપરાએ ફોલોવર્સની બાબતમાં પછાડ્યા વિશ્વના ટોપ ખેલાડીઓને

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">