રામ રાજ્યની કલ્પના દુર હતી તે વચ્ચે મોદીજીને લોકોએ સત્તા સોંપી અને લોકો મારા કરતા વધારે એમને ઓળખે છે: અમિત શાહ
શાહે કહ્યું કે વર્ષ 2014 સુધીમાં દેશમાં રામ-રાજની કલ્પના પડી ભાંગી હતી. લોકોના મનમાં એક આશંકા હતી કે શું આપણી બહુપક્ષીય લોકશાહી સંસદીય વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. પરંતુ દેશની જનતાએ ધીરજપૂર્વક નિર્ણય લીધો અને પીએમ નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમતી સાથે દેશનું શાસન સોંપ્યું
Amit Shah: દિલ્હીમાં લોકશાહી પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતની આઝાદીને 75 વર્ષ થયા છે. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણા દેશની બંધારણ સભાની રચના થઈ, બંધારણ સભાએ બહુપક્ષીય લોકશાહી પ્રણાલીનો સ્વીકાર કર્યો. ખૂબ જ સમજી વિચારીને સ્વીકારવામાં આવ્યો જે યોગ્ય નિર્ણય હતો.
તેમણે કહ્યું કે આટલો મોટો દેશ, આટલી બધી વિવિધતા ધરાવતો દેશ કોઈપણ વ્યક્તિના આધારે પસંદ કર્યા પછી ન આવવો જોઈએ બહુપક્ષીય લોકશાહી વ્યવસ્થા હોવી જોઈએ, દરેક પક્ષની એક વિચારધારા હોવી જોઈએ. શાહે કહ્યું કે કામના આધારે અમારી ઓળખ થવી જોઈએ. દેશના લોકો પીએમ મોદીને મારા કરતા વધુ સારી રીતે જાણે છે.
શાહે કહ્યું કે વર્ષ 2014 સુધીમાં દેશમાં રામ-રાજની કલ્પના પડી ભાંગી હતી. લોકોના મનમાં એક આશંકા હતી કે શું આપણી બહુપક્ષીય લોકશાહી સંસદીય વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. પરંતુ દેશની જનતાએ ધીરજપૂર્વક નિર્ણય લીધો અને પીએમ નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમતી સાથે દેશનું શાસન સોંપ્યું. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ઘણા ફેરફારો લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ગુજરાતમાં ઘણું કામ કર્યું. તેમણે સુધારા, પારદર્શિતા પર કામ કર્યું. તેમણે ત્યાં સર્વ-સ્પર્શ અને સર્વસમાવેશક વિકાસની શરૂઆત કરી.
After 1960s & by 2014 people doubted if multi-party democratic system can be successful…People wondered if the system failed, as it didn’t yield fruitful results. With great patience they took a decision&gave power to PM Modi with absolute majority: Union HM Amit Shah, in Delhi pic.twitter.com/zKEqSqIl7a
— ANI (@ANI) October 27, 2021
મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજ્યમાં 67% નોંધણી…
અમિત શાહે કહ્યું કે 2001માં ભાજપે નક્કી કર્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનશે. તે એક દુર્લભ પ્રસંગ હતો – કારણ કે તેમને ત્યાં સુધી વહીવટ ચલાવવાનો કોઈ વાસ્તવિક અનુભવ નહોતો. કચ્છના ભૂકંપ બાદ રાજ્ય ઘણું દબાણ હેઠળ હતું. તેમણે વસ્તુઓ બદલવાનો પ્રયાસ કર્યો અને વિકાસ અને પારદર્શિતા પર ઘણું કામ કર્યું. જ્યારે મોદી ગુજરાતના સીએમ બન્યા ત્યારે રાજ્યમાં 67% એનરોલમેન્ટ અને 37% ડ્રોપઆઉટ હતા. તેમણે લિંગ ગુણોત્તર અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ કાર્યક્રમ શરૂ કર્યો. આખરે તેણે 100% નોંધણી જોઈ અને ડ્રોપઆઉટ રેશિયો લગભગ શૂન્ય થઈ જાય તેની ખાતરી કરવા પગલાં લીધા.
અમિત શાહે વધુમાં કહ્યું કે, કોઈપણ વિકાસ માટે સૌથી મોટી જરૂરિયાત શિક્ષણની છે. મને હમણાં જ ટ્રોલ કરવામાં આવ્યો, પરંતુ હું ફરીથી કહેવા માંગુ છું કે અભણની ફોજ લઈને કોઈ દેશ વિકાસ કરી શકતો નથી, તેને શીખવવાની જવાબદારી સરકારની છે. હું અભણ વ્યક્તિની વિરૂદ્ધ નથી પણ તે આ સિસ્ટમનો ભોગ બને છે. સરકારની જવાબદારી છે કે તેને શીખવવાનો પ્રયાસ કરે, જે આ જવાબદારી નિભાવી ન શકે તે તેનો ગુનેગાર છે.