AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhimrao Ambedkar : આજે પણ લાખો યુવાનોનું જીવન બદલી રહ્યા છે બાબાસાહેબ આંબેડકરના આ 10 વિચારો

Ambedkar Jayanti 2022 : ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે 14મી એપ્રિલે ઉજવવામાં આવે છે.આંબેડકર ભારતના સૌથી અગ્રણી સમાજ સુધારકોમાંના એક હતા.

Bhimrao Ambedkar : આજે પણ લાખો યુવાનોનું જીવન બદલી રહ્યા છે બાબાસાહેબ આંબેડકરના આ 10 વિચારો
Bhimrao Ambedkar jayanti
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 7:46 AM
Share

ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ (Bhimrao Ambedkar Jayanti ) ભારતમાં સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ દિવસને બ્રિટિશ કોલંબિયા, કેનેડામાં ‘આંબેડકર સમાનતા દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે. ડૉ. ભીમરાવ આંબેડકર, જેને ડૉ. બાબાસાહેબ આંબેડકર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ 14મી 1891ના રોજ મહુ, મધ્ય પ્રદેશમાં થયો હતો. આજે સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરની (Baba Saheb Ambedkar)131મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.

આંબેડકરના યોગદાન માટે દર વર્ષે  જન્મજયંતિની ઉજવણી

ભારતના અગ્રણી સમાજ સુધારકોમાંના એક, આંબેડકર ભારતની જાતિ વ્યવસ્થા દ્વારા સર્જાયેલી અસમાનતાઓ સામેની તેમની લડાઈ માટે જાણીતા છે. અનુસુચિતજાતિના પરિવારમાં જન્મેલા આંબેડકર તેમના સમુદાયના શોષણ અને ભેદભાવના સાક્ષી બનીને લોકોને પ્રેરણા આપી. બાબાસાહેબને ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બંધારણના ઘડવૈયા (Indian Constitution) અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. દેશ માટે તેમના યોગદાન માટે દર વર્ષે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

આંબેડકરના વિચારોએ લાખો યુવાનોને (Youth) પ્રેરણા આપી અને તેમના વિચારોને અનુસરવાથી ઘણા યુવાનોના જીવનમાં પરિવર્તન આવ્યું. આજે બાબાસાહેબની જન્મજયંતિના અવસર પર અમે બાબાસાહેબના 10 વિચારો લઈને આવ્યા છીએ જે તમને જીવનની દરેક મુશ્કેલ ક્ષણમાં પ્રેરણા આપશે.

ડો. ભીમરાવ આંબેડકરના વિચારો

1. “મને તે ધર્મ ગમે છે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ શીખવે છે.”

2. “મહિલાઓએ જે ડિગ્રી હાંસલ કરી છે તેના દ્વારા હું સમુદાયની પ્રગતિને માપું છું.”

3. “જે લોકો ઈતિહાસ ભૂલી જાય છે તે ઈતિહાસ રચી શકતા નથી.”

4. “શિક્ષિત બનો, સંગઠિત બનો અને ઉત્સાહિત બનો.”

5. “ધર્મ માણસ માટે છે અને માણસ ધર્મ માટે નથી.”

6. “માણસ નશ્વર છે, તેવી જ રીતે વિચારો પણ નશ્વર છે. એક વિચારને પ્રચારની જરૂર છે, જેમ કે છોડને પાણી આપવું, નહીં તો સુકાઈ જાય છે અને મરી જાય છે.”

7. “એક મહાન માણસ પ્રતિષ્ઠિત માણસથી અલગ પડે છે,જ્યારે તે સમાજનો સેવક બનવા તૈયાર હોય છે.”

8. “સમાનતા એક કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેને એક નિયમનકારી સિદ્ધાંત તરીકે સ્વીકારવી પડશે.”

9. “બુદ્ધિનો વિકાસ એ માનવ અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.”

10. “માન્યતા કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેને સંચાલક સિદ્ધાંત તરીકે સ્વીકારવું પડશે.”

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિના દિવસે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">