અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો, ત્રણ મહિનામાં જિલ્લા અદાલત કરે નિર્ણય

ભગવાન શ્રી કૃષ્ણ (Lord Shri Krishna) વિરાજમાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સાથે અલ્હાબાદ હાઈકોર્ટે આજે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની અરજીઓ પર ત્રણ મહિનામાં ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો, ત્રણ મહિનામાં જિલ્લા અદાલત કરે નિર્ણય
Sri Krishna Janambhoomi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 4:19 PM

અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) આજે એક મોટો આદેશ આપ્યો છે જેમાં ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ (Shri Krishna Janmabhoomi) વિવાદને લઈને વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગ કરવામાં આવી છે. હાઈકોર્ટે લોઅર ડિસ્ટ્રિક્ટ કોર્ટને સાયન્ટિફિક સર્વેની માગણી કરતી પિટિશન દાખલ કરવાનો આદેશ આપ્યો છે કે, તેના પર ત્રણ મહિનામાં નિર્ણય કરે. હાઇકોર્ટે યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની અરજી પર ત્રણ મહિનામાં ચુકાદો સંભળાવવાનો આદેશ પણ આપ્યો છે.

ગયા વર્ષે મથુરા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં વિવાદિત જગ્યાના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગ કરવામાં આવી હતી. પરંતુ મથુરા કોર્ટે આ અરજી પર કોઈ નિર્ણય આપ્યો નથી અને તે હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. આ અરજી પર યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે જવાબ દાખલ કરતા તેને બરતરફ કરવાની માગ કરી હતી, જેનો હિન્દુ પક્ષે વિરોધ કર્યો હતો.

બીજી તરફ, મુસ્લિમ પક્ષે ઓર્ડર 7 નિયમ 11 હેઠળ અરજીને બરતરફ કરવાની માગ કરી હતી અને તેની જાળવણી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. પરંતુ હિંદુ પક્ષે મથુરામાં દાખલ કરાયેલી અરજી પર વહેલી સુનાવણી અને હાઈકોર્ટના સીધા આદેશની માગ કરતી અરજી દાખલ કરી હતી. જે અંગે અલ્હાબાદ હાઈકોર્ટે આજે આદેશ કર્યો છે. હિન્દુ પક્ષે આ મહિને અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભગવાન શ્રી કૃષ્ણ વતી અરજી દાખલ કરવામાં આવી હતી

ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન વતી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને આજે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી આ અરજી પર જિલ્લા અદાલતને આદેશ આપવામાં આવ્યો છે. આજે આ મામલાની સુનાવણી જસ્ટિસ વિપિન ચંદ્ર દીક્ષિતની કોર્ટમાં થઈ હતી અને બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે મથુરાની જિલ્લા કોર્ટને આદેશ આપ્યો છે.

કોર્ટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની અરજી પર નિર્ણય લેવાનો પણ આદેશ આપ્યો

ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સાથે અલ્હાબાદ હાઈકોર્ટે આજે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની અરજીઓ પર ત્રણ મહિનામાં ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો છે.

વિવાદ શું છે

શાહી ઇદગાહ મસ્જિદમાં સર્વે કરવા માટે મથુરા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કથિત રીતે તે 1669-70 માં મુગલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર ભગવાન કૃષ્ણના જન્મસ્થળની નજીક, કટરા કેશવ દેવ મંદિરના 13.37-એકર સંકુલમાં બનાવવામાં આવ્યું હતું. પિટિશનર એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે કોર્ટ પાસે કમિશનર તરીકે વરિષ્ઠ વકીલને સોંપવાની માગ કરી છે, જે જમીનનો સ્ટોક લઈ શકે અને તેના પરના હિંદુ પ્રતીકોની તપાસ કરી શકે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">