AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાથી ડરવાની નહી સતર્ક રહેવાની જરુર, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરવા આપી સૂચના

રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક કરી છે.જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે.બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ અનેક મહત્વ પૂર્ણ સૂચનાઓ આપી છે.

કોરોનાથી ડરવાની નહી સતર્ક રહેવાની જરુર, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરવા આપી સૂચના
Corona
Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 21, 2023 | 10:32 AM
Share

ભારતમાં નવા વેરિઅન્ટ JN.1ની એન્ટ્રીથી કેન્દ્ર સરકાર સતર્ક બની છે.જેના પગલે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક કરી છે. જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ અનેક મહત્વ પૂર્ણ સૂચનાઓ આપી છે.

સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે અત્યારે એકબીજા સાથે મળીને કામ કરવાનો આ સમય છે. તો આ સાથે જ તેમને જણાવ્યુ છે કે આપણે સતર્ક રહેવાની જરૂર છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા તેમજ દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. તો દરેક હોસ્પિટલોમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરીએ.

આ સાથે મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે “હું રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ સમર્થનની ખાતરી આપું છું” કેન્દ્ર મંત્રાલય તરફથી પૂરે પૂરો સહકાર આપવાનો. તો “આપણી સજ્જતામાં કોઈ શિથિલતા ન હોવી જોઈએ” તેની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે “સ્વાસ્થ્ય એ કોઈ રાજકારણ માટેનું ક્ષેત્ર નથી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દરેક સહાય માટે ઉપલબ્ધ છે.”

વિદેશથી આવતા લોકોને તપાસવામાં આવશે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તમામ રાજ્યો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી છે. જેમાં તમામ રાજ્યના આરોગ્ય મંત્રી ,સચિવ, મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા. બેઠકમાં મહત્વનો મુદ્દો વેન્ટિલેટર, દવાઓ, વેક્સિન, ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી છે. તો વિદેશથી આવતા લોકોની કોવિડ હીસ્ટ્રી તેમજ કોરોના ટેસ્ટ બાદ પ્રવેશ આપવામાં આવે. આ તમામ બાબતની તૈયારીઓ પર બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.

WHOએ શું કહ્યુ ?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ મંગળવારે JN-1 કોરોનાવાયરસના સ્ટ્રેનને ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યો છે. જો કે તેમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે વેરિઅન્ટ સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી. WHOએ કહ્યું કે ઉપલબ્ધ પુરાવાના આધારે JN-1 થી પબ્લિક હેલ્થ રિસ્કને ઓછું માનવામાં આવે છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">