AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાથી ડરવાની નહી સતર્ક રહેવાની જરુર, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરવા આપી સૂચના

રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક કરી છે.જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે.બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ અનેક મહત્વ પૂર્ણ સૂચનાઓ આપી છે.

કોરોનાથી ડરવાની નહી સતર્ક રહેવાની જરુર, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરવા આપી સૂચના
Corona
Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 21, 2023 | 10:32 AM
Share

ભારતમાં નવા વેરિઅન્ટ JN.1ની એન્ટ્રીથી કેન્દ્ર સરકાર સતર્ક બની છે.જેના પગલે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક કરી છે. જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ અનેક મહત્વ પૂર્ણ સૂચનાઓ આપી છે.

સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે અત્યારે એકબીજા સાથે મળીને કામ કરવાનો આ સમય છે. તો આ સાથે જ તેમને જણાવ્યુ છે કે આપણે સતર્ક રહેવાની જરૂર છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા તેમજ દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. તો દરેક હોસ્પિટલોમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરીએ.

આ સાથે મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે “હું રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ સમર્થનની ખાતરી આપું છું” કેન્દ્ર મંત્રાલય તરફથી પૂરે પૂરો સહકાર આપવાનો. તો “આપણી સજ્જતામાં કોઈ શિથિલતા ન હોવી જોઈએ” તેની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે “સ્વાસ્થ્ય એ કોઈ રાજકારણ માટેનું ક્ષેત્ર નથી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દરેક સહાય માટે ઉપલબ્ધ છે.”

વિદેશથી આવતા લોકોને તપાસવામાં આવશે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તમામ રાજ્યો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી છે. જેમાં તમામ રાજ્યના આરોગ્ય મંત્રી ,સચિવ, મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા. બેઠકમાં મહત્વનો મુદ્દો વેન્ટિલેટર, દવાઓ, વેક્સિન, ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી છે. તો વિદેશથી આવતા લોકોની કોવિડ હીસ્ટ્રી તેમજ કોરોના ટેસ્ટ બાદ પ્રવેશ આપવામાં આવે. આ તમામ બાબતની તૈયારીઓ પર બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.

WHOએ શું કહ્યુ ?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ મંગળવારે JN-1 કોરોનાવાયરસના સ્ટ્રેનને ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યો છે. જો કે તેમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે વેરિઅન્ટ સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી. WHOએ કહ્યું કે ઉપલબ્ધ પુરાવાના આધારે JN-1 થી પબ્લિક હેલ્થ રિસ્કને ઓછું માનવામાં આવે છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">