કોરોનાથી ડરવાની નહી સતર્ક રહેવાની જરુર, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરવા આપી સૂચના

રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક કરી છે.જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે.બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ અનેક મહત્વ પૂર્ણ સૂચનાઓ આપી છે.

કોરોનાથી ડરવાની નહી સતર્ક રહેવાની જરુર, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરવા આપી સૂચના
Corona
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 21, 2023 | 10:32 AM

ભારતમાં નવા વેરિઅન્ટ JN.1ની એન્ટ્રીથી કેન્દ્ર સરકાર સતર્ક બની છે.જેના પગલે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક કરી છે. જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ અનેક મહત્વ પૂર્ણ સૂચનાઓ આપી છે.

સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે અત્યારે એકબીજા સાથે મળીને કામ કરવાનો આ સમય છે. તો આ સાથે જ તેમને જણાવ્યુ છે કે આપણે સતર્ક રહેવાની જરૂર છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા તેમજ દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. તો દરેક હોસ્પિટલોમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરીએ.

આ સાથે મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે “હું રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ સમર્થનની ખાતરી આપું છું” કેન્દ્ર મંત્રાલય તરફથી પૂરે પૂરો સહકાર આપવાનો. તો “આપણી સજ્જતામાં કોઈ શિથિલતા ન હોવી જોઈએ” તેની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે “સ્વાસ્થ્ય એ કોઈ રાજકારણ માટેનું ક્ષેત્ર નથી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દરેક સહાય માટે ઉપલબ્ધ છે.”

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

વિદેશથી આવતા લોકોને તપાસવામાં આવશે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તમામ રાજ્યો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી છે. જેમાં તમામ રાજ્યના આરોગ્ય મંત્રી ,સચિવ, મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા. બેઠકમાં મહત્વનો મુદ્દો વેન્ટિલેટર, દવાઓ, વેક્સિન, ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી છે. તો વિદેશથી આવતા લોકોની કોવિડ હીસ્ટ્રી તેમજ કોરોના ટેસ્ટ બાદ પ્રવેશ આપવામાં આવે. આ તમામ બાબતની તૈયારીઓ પર બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.

WHOએ શું કહ્યુ ?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ મંગળવારે JN-1 કોરોનાવાયરસના સ્ટ્રેનને ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યો છે. જો કે તેમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે વેરિઅન્ટ સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી. WHOએ કહ્યું કે ઉપલબ્ધ પુરાવાના આધારે JN-1 થી પબ્લિક હેલ્થ રિસ્કને ઓછું માનવામાં આવે છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">