હે ભગવાન! હજારો ફૂટ હવામાં એર ઈન્ડિયાના વિમાનનું AC થયું ખરાબ, અને પછી થઈ જોવા જેવી

એર ઈન્ડિયાનું વિમાન કેરળથી ઉડાન ભર્યાના થોડા કલાકો બાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર પાછું લેન્ડ થયું હતું. એરક્રાફ્ટના ACને નુકસાન થયું હતું, જે બાદ વિમાન અધવચ્ચે પરત ફર્યું હતું.

હે ભગવાન! હજારો ફૂટ હવામાં એર ઈન્ડિયાના વિમાનનું AC થયું ખરાબ, અને પછી થઈ જોવા જેવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 7:48 PM

Air India: એર ઈન્ડિયાની એક ફ્લાઈટ રવિવારે કેરળની રાજધાની તિરુવનંતપુરમથી દુબઈ માટે ઉડાન ભરી હતી. પરંતુ થોડા કલાકોમાં જ વિમાન દુબઈ જવાને બદલે તિરુવનંતપુરમ પરત ફર્યું. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે એવું તો શું થયું કે વિમાને ઉડાન ભર્યાના થોડા કલાકો બાદ પરત ફરવું પડ્યું.

વાસ્તવમાં, દુબઈ માટે ટેકઓફ કર્યાના થોડા કલાકો બાદ જ એરક્રાફ્ટના એર કન્ડીશનીંગ એટલે કે ACમાં ખામી સર્જાઈ હતી, જેના પછી વિમાનને તિરુવનંતપુરમમાં પાછું લેન્ડ કરવું પડ્યું હતું. તિરુવનંતપુરમ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ IX 539, 178 મુસાફરો સાથે દુબઈ જઈ રહી હતી.

વિમાને બપોરે 1.19 વાગ્યે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને પછી 3.52 વાગ્યે પાછું લેન્ડ કર્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે વિમાન સુરક્ષિત એરપોર્ટ પર લેન્ડ થયું હતું. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. સ્થાનિક સ્ટેન્ડબાય જાહેર કરવામાં આવ્યું હતું. સમસ્યા એસીના મેસને લગતી હતી. તેમનું કહેવું છે કે મુસાફરોને અન્ય પ્લેન દ્વારા ફરીથી દુબઈ મોકલવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

એર ઈન્ડિયાની ફ્લાઈટ 9 કલાક મોડી

આ પહેલા શુક્રવારે દિલ્હીથી વાનકુવરની ફ્લાઈટમાં 9 કલાકનો વિલંબ થયો હતો. આ અસુવિધાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ સવારે 5.10 વાગ્યે દિલ્હીથી વાનકુવર જવાની હતી. પરંતુ તે સમયસર ઉપડી શકી ન હતી. આ પછી, લગભગ 300 મુસાફરોને દિલ્હીની એક હોટલમાં રોકાવું પડ્યું. જેમાં મોટાભાગના ભારતીય મુસાફરો હતા. ફ્લાઈટના વિલંબથી નારાજ અધિકારીઓએ એર ઈન્ડિયાના અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી.

આ પણ વાંચો : દિલ્હીમાં યમુના, ગાઝિયાબાદમાં હિંડોન નદીએ લોકોને ડરાવ્યા, જળસ્તરમાં વધારો થતા અનેક ઘરો ડૂબવા લાગ્યા

યાત્રીઓ વચ્ચે મારામારી

એર ઈન્ડિયા હંમેશા હેડલાઈન્સમાં રહે છે, ક્યારેક તેની સેવાઓના કારણે તો ક્યારેક મુસાફરોના વર્તનને કારણે. 9 જુલાઈના રોજ સિડની-નવી દિલ્હી ફ્લાઈટમાં એર ઈન્ડિયાના વરિષ્ઠ મેનેજમેન્ટ ઓફિસર પર એક મુસાફર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્લેનમાં મૂળભૂત નિયમોની માહિતી આપવામાં આવી રહી હતી, પછી ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને પણ આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">