AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એર ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હી પરત ફરવું પડ્યું, જાણો શું છે કારણ ?

નવી દિલ્હીથી ઇન્ડોનેશિયા જઈ રહેલી એક ભારતીય ફ્લાઇટને અધવચ્ચે જ રાજધાની પરત ફરવું પડ્યું. અહીં સુરક્ષિત લેન્ડિંગ બાદ, બધા મુસાફરોને નીચે ઉતારી લેવામાં આવ્યા છે.

Breaking News : એર ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હી પરત ફરવું પડ્યું, જાણો શું છે કારણ ?
| Updated on: Jun 18, 2025 | 2:22 PM
Share

ભારત થી ઈન્ડોનેશિયા જઈ રહેલી એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટને દિલ્હી પરત ફરવું પડ્યું છે. આ ફ્લાઈટને અધવચ્ચેથી દિલ્હી પરત ફરવું પડ્યું છે. ઈન્ડોનેશિયામાં બાલી એરપોર્ટની પાસે જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટને દિલ્હી પરત ફરવું પડ્યું છે. આ ફ્લાઈટ રાજધાનીથી બાલી જઈ રહી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.

મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ સુરક્ષિત રીતે દિલ્હી પરત ઉતરી ગઈ હતી અને તમામ મુસાફરોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “18 જૂનના રોજ, બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના અહેવાલોને કારણે દિલ્હીથી બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2145 ને સલામતીના દૃષ્ટિકોણથી દિલ્હી પરત ફરવાની સલાહ આપવામાં આવી હતી.” એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ સાથે, મુસાફરોને કોઈપણ વધારાના ચાર્જ વિના ટિકિટ રદ કરવા અથવા મુસાફરીનું સમયપત્રક ફરીથી નક્કી કરવા પર સંપૂર્ણ રિફંડની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

એર ઇન્ડિયાની 13 ફ્લાઇટ્સ રદ

આ પહેલા એર ઈન્ડિયાએ અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરક્ષા તપાસમાં વધારો અને વિમાનની ઉપલબ્ધતા ન હોવા સહિતના વિવિધ કારણોસર એર ઇન્ડિયાએ મંગળવારે સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી. આમાંથી છ પરત ફરતી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે, જેના કારણે રદ થયેલી ફ્લાઇટ્સની સંખ્યા 13 થઈ ગઈ છે. આ બધી ફ્લાઇટ્સ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનની હતી.

એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ

તમને જણાવી દઈએ કે,12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. વિમાન દુર્ઘટના મામલામાં 163ના DNA મેચ થયા, 124 મૃતદેહ સોંપવામાં આવ્યા. દુર્ઘટના બાદ 71 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. એક માત્ર જીવિત યાત્રી વિશ્વાસને હોસ્પિટલમાંથી રજા અપાઈ. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી પૈકી 2ના મોત થયા છે.

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું પ્લેન ક્રેશના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

 

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">