AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભાની તૈયારીઓ મુદ્દે ખરગેની અધ્યક્ષતામાં મળી AICCની બેઠક, કોંગ્રેસના નેતાઓને અધ્યક્ષે આપી આ સખ્ત ચેતવણી- વાંચો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ભાજપ પર 10 વર્ષની તેમની નિષ્ફળતાઓ છુપાવવા માટે ભાવનાત્મક મુદ્દાઓને ઉઠાવવાનો આરોપ લગાવ્યો અને કાર્યકર્તાઓને 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવા માટે એકજૂથ થવા જણાવ્યુ. ખરગેએ કાર્યકરોએ સખ્ત સૂચના આપી કે આંતરિક મતભેદ દૂર કરો અને આંતરિક મુદ્દાઓને મીડિયામાં ન ઉઠાવો.

લોકસભાની તૈયારીઓ મુદ્દે ખરગેની અધ્યક્ષતામાં મળી AICCની બેઠક, કોંગ્રેસના નેતાઓને અધ્યક્ષે આપી આ સખ્ત ચેતવણી- વાંચો
મલ્લિકાર્જુન ખરગે
| Updated on: Jan 04, 2024 | 8:02 PM
Share

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ગુરુવારે દેશભરમાં મહાસચિવો, પ્રભારીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો અને કોંગ્રેસ વિધાયક દળના નેતાઓ સહિત પદાધિકારીઓ સાથે બેઠક કરી. બેઠકનો એજન્ડા 2024ની લોકસભા ચૂંટણી અને આગામી ભારત ન્યાય યાત્રા માટે પાર્ટીની તૈયારીઓ પર ચર્ચા કરવાનો હતો. આ દરમિયાન ખરગેએ ભાજપને આડે હાથ લીધી.

ખરગેએ કહ્યુ કે મણિપુરમાં પીએમ મોદીનું ન જવુ જ સાબિત કરે છે કે રાષ્ટ્રીય મુદ્દાઓ પર તે કેટલા બિનજવાબદાર છે. મોદી સરકાર આધુનિક ભારતના નિર્માણમાં કોંગ્રેસના યોગદાનને નજર અંદાજ કરી રહી છે. ખરગેએ કહ્યુ કે જે લોકો ઈતિહાસ ભૂલી જાય છે, તે ઈતિહાસ નથી બનાવી શક્તા.

કોંગ્રેસ અધ્યક્ષે પાર્ટી કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યા કે એસસી, એસટી, ઓબીસી, લઘુમતીઓ પર ખાસ ધ્યાન આપવુ પડશે. તેમના વોટ મતદાર યાદીમાંથી કપાઈ ન જાય. માઈગ્રેટ વોટર પર પણ ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ તેમણે જણાવ્યુ કે આપણે ખોટી વાતોને તુરંત કાપી દઈ કિનારો કરવો પડશે. તેમણે કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી કે પાર્ટીના આંતરિક મુદ્દાઓને મીડિયા સુધી લઈ જવાથી બચવુ જોઈએ.

જમીન સાથે જોડાયેલી પાર્ટીઓ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ- ખરગે

ખરગેએ જણાવ્યુ કે પીએસયુ અને અન્ય મોટી સંસ્થાઓને વેચી દેવામાં આવી રહી છે. દરેક સંસ્થાનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમણે એનડીએને લઈને કહ્યુ કે હાલ નામ પુરતુ જ એનડીએ રહી ગયુ છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનમાં જમીન સાથે જોડાયેલી પાર્ટીઓ છે. જેની પાસે મજબુત કેડર અને આઝાદ વિચારધારા છે. રાત દિવસ મહેનત કરી 2024ની ચૂંટણીમાં અમે લોકો વૈકલ્પિક સરકાર દેવામાં સક્ષમ છીએ.

આ પણ વાંચો : ગીરસોમનાથ : નવુ નિર્માણ પામી રહેલુ વેરાવળનું રેલવે સ્ટેશન આધુનિક સાધન સુવિધાઓથી હશે સજ્જ- જુઓ તસ્વીરો

આ તરફ દિલ્હીમાં અખીલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) મુખ્યાલયમાં આયોજિત બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કરી. પાર્ટી પ્રમુખ ખરગે અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલા જ આમ ચૂંટણીની તૈયારીઓ પર રાજ્યના નેતાઓ સાથે અનેક રાઉન્ડમાં ચર્ચા કરી ચુક્યા છે. ભારત ન્યાય યાત્રા એ ભારત જોડો યાત્રાની બીજી આવૃતિ છે. જેનું આયોજન સપ્ટેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 વચ્ચે કરવામાં આવ્યું હતું. આ યાત્રા દ્વારા કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા જનતા સુધી પહોંચવાનો અને તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરશે.

દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">