AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Who will be Karnataka CM: કર્ણાટકના મુખ્યમંત્રી અંગે નિર્ણય માટે 3 નિરીક્ષકો, 3 દિવસમાં ચિત્ર થશે સ્પષ્ટ

Karnataka CM: 13 મેના રોજ ચૂંટણી પરિણામો અનુસાર કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળી છે. આ વર્ષે કોંગ્રેસને 136 બેઠક, ભાજપને 65 બેઠક, જનતા દલને 19 બેઠક અને અન્ય પાર્ટીઓને 4 બેઠક મળી હતી. બહુમતી મળ્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટીમાંથી મુખ્યમંત્રી કોણ બનશે તેના માટે મનોમંથન શરુ થયું છે. 

Who will be Karnataka CM: કર્ણાટકના મુખ્યમંત્રી અંગે નિર્ણય માટે 3 નિરીક્ષકો, 3 દિવસમાં ચિત્ર થશે સ્પષ્ટ
Karnataka Assembly Election 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 5:52 PM
Share

કર્ણાટક રાજ્ય માટે ગઈકાલે મહત્વનો દિવસ હતો. 10 મેના રોજ રેકોર્ડતોડ 73.19 ટકા મતદાન થયા બાદ 13 મેના રોજ ચૂંટણી પરિણામો અનુસાર કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળી છે. આ વર્ષે કોંગ્રેસને 136 બેઠક, ભાજપને 65 બેઠક, જનતા દલને 19 બેઠક અને અન્ય પાર્ટીઓને 4 બેઠક મળી હતી. બહુમતી મળ્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટીમાંથી મુખ્યમંત્રી કોણ બનશે તેના માટે મનોમંથન શરુ થયું છે.

કર્ણાટકમાં 2615 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થયું હતું. ભાજપે દરેક સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે 221 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. JDSએ 208 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. કોઈપણ એક્ઝિટ પોલના આંકડા સરખા જોવા મળ્યા નથી. જોકે તમામ એક્ઝિટ પોલે કોંગ્રેસને વધારે બેઠક મળશે તેની આગાહી કરી હતી.

મુખ્યમંત્રી અંગે નિર્ણય માટે 3 નિરીક્ષકો

કોંગ્રેસ પાર્ટી એ કર્ણાટકમાં મુખ્યમંત્રીના નિર્ણય માટે 3 નિરિક્ષકોને પસંદ કર્યાં છે. તેઓ સાચું આકંલન કરીને ત્રણ દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે. મળતી માહિતી અનુસાર ત્રણ-ચાર દિવસમાં મુખ્યમંત્રી માટે કોનું શપથગ્રહણ થશે તેનું એલાન થશે. આ બધા વચ્ચે કર્ણાટક આવેલા કોંગ્રેસના મહાસચિવ અને મીડિયા પ્રભારી નેતા જયરામ રમેશએ TV9 સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું કે, આ કોંગ્રેસ અને કર્ણાટકની જનતાની જીત છે. ભારત જોડો યાત્રા સમયે આ જીતનો પાયો નાખવામાં આવ્યો હતો. આ યાત્રાથી પાર્ટી એક થઈ, પાર્ટીમાં અનુશાસન અને કાર્યકત્રાઓમાં જોશ આવ્યો. અમારા અધ્યક્ષનો કર્ણાટકની રાજનીતિમાં 50 વર્ષનો અનુભવ કામ લાગ્યો.

તેમણે આગળ જણાવ્યું કે, કર્ણાટકમાં મુખ્યમંત્રીને લઈને પાર્ટીમાં કોઈ ઝઘડો નથી. સૌ સાથે મળીને તેનો નિર્ણય કરશે. નિરિક્ષકો આવી ગયા છે, સાંજે બેઠક થશે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દિલ્હી ગયા છે અને સોમવારે સાંજ સુધીમાં પરત ફરશે. આવનારા 3-4 દિવસમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળની તસ્વીર સાફ થશે. કર્ણાટકમાં ભાજપની હાર એ મોદીની હાર છે.

કર્ણાટકમાં 38 વર્ષથી સત્તાનું પુનરાવર્તન થયું નથી

રાજ્યમાં 38 વર્ષથી સત્તાનું પુનરાવર્તન થયું નથી. છેલ્લી વખત રામકૃષ્ણ હેગડેની આગેવાની હેઠળની જનતા પાર્ટી 1985માં સત્તા પર હતી ત્યારે ચૂંટણી જીતી હતી. એ જ સમયે છેલ્લી પાંચ ચૂંટણી (1999, 2004, 2008, 2013 અને 2018)માંથી એક પક્ષને માત્ર બે વાર (1999, 2013) બહુમતી મળી. 2004, 2008, 2018માં ભાજપ સૌથી મોટી પાર્ટી બની. તેમણે બહારના સમર્થનથી સરકાર બનાવી.

કર્ણાટકના મતદાતાઓ એ પોતાના માટે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. કર્ણાટક ચૂંટણી 2023 માટે અંતિમ મતદાન 73.19 ટકા થયુ હતુ. જે હમણા સુધીનું સૌથી ઊંચુ મતદાન છે. વર્ષ 2018 અને 2013 માં અનુક્રમે 72.36% અને 71.83%  મતદાન થયું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">