AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમથી રાહત બાદ પાછુ મળશે લોકસભા સભ્યપદ, શું આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે રાહુલ ગાંધી ?

કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન વાંધાજનક હતું, પરંતુ આ માટે મહત્તમ સજા આપવાનું કારણ નીચલી કોર્ટને જણાવવું જોઈતું હતું. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી જ્યાં રાહુલ ગાંધીને રાહત મળી છે, ત્યાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં ઉર્જાનો સંચાર થયો છે.

સુપ્રીમથી રાહત બાદ પાછુ મળશે લોકસભા સભ્યપદ, શું આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે રાહુલ ગાંધી ?
Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 2:48 PM
Share

મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજા પર પણ રોક લગાવી દીધી છે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ તરત જ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થશે ? તેમજ હવે રાહુલ ગાંધીનું આગળ શું થશે ચાલો જાણીએ.

રાહુલને પાછી મળશે લોકસભાની સદસ્યતા ?

આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે આ કેસમાં રાહુલ ગાંધીને સૌથી વધુ સજા કેમ આપવામાં આવી ? તે જ સમયે, આ નિવેદન સાથે, સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી. કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન વાંધાજનક હતું, પરંતુ આ માટે મહત્તમ સજા આપવાનું કારણ નીચલી કોર્ટને જણાવવું જોઈતું હતું. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી જ્યાં રાહુલ ગાંધીને રાહત મળી છે, ત્યાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં ઉર્જાનો સંચાર થયો છે. આ સાથે જ સવાલ એ પણ ઉઠવા લાગ્યો છે કે, સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ હવે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ પુનઃસ્થાપિત થઈ શકશે?

કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત થઈ શકે છે. આ સાથે તેઓ આગામી લોકસભાની ચૂંટણી પણ લડી શકશે.

લોકસભાની ચૂંટણી લડવા શું કરવું પડશે રાહુલે ?

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લોકસભા સચિવાલયને રાહુલ ગાંધી વતી રિપોર્ટ સોંપવો પડશે. જેમાં સુપ્રીમ કોર્ટના આજના આદેશનો ઉલ્લેખ કરીને લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરવામાં આવશે. આ પછી, લોકસભા સચિવાલયના અધિકારીઓ આદેશનો અભ્યાસ કરશે અને તે પછી જ રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો આદેશ જાહેર કરવામાં આવશે. જો કે આ માટે કોઈ સમય મર્યાદા નથી, પરંતુ અધિકારીઓએ આ કામ વહેલી તકે કરવું પડશે.

લક્ષદ્વીપના એનસીપી સાંસદ મોહમ્મદ ફૈઝલને પણ જાન્યુઆરીમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ માર્ચમાં તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે ફૈઝલની બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરી હતી, જે બાદમાં રદ કરવામાં આવી હતી. જો કે, રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા પછી, તેમના લોકસભા મતવિસ્તાર વાયનાડમાં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી ન હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
g clip-path="url(#clip0_868_265)">