AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમથી રાહત બાદ પાછુ મળશે લોકસભા સભ્યપદ, શું આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે રાહુલ ગાંધી ?

કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન વાંધાજનક હતું, પરંતુ આ માટે મહત્તમ સજા આપવાનું કારણ નીચલી કોર્ટને જણાવવું જોઈતું હતું. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી જ્યાં રાહુલ ગાંધીને રાહત મળી છે, ત્યાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં ઉર્જાનો સંચાર થયો છે.

સુપ્રીમથી રાહત બાદ પાછુ મળશે લોકસભા સભ્યપદ, શું આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે રાહુલ ગાંધી ?
Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 2:48 PM
Share

મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજા પર પણ રોક લગાવી દીધી છે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ તરત જ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થશે ? તેમજ હવે રાહુલ ગાંધીનું આગળ શું થશે ચાલો જાણીએ.

રાહુલને પાછી મળશે લોકસભાની સદસ્યતા ?

આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે આ કેસમાં રાહુલ ગાંધીને સૌથી વધુ સજા કેમ આપવામાં આવી ? તે જ સમયે, આ નિવેદન સાથે, સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી. કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન વાંધાજનક હતું, પરંતુ આ માટે મહત્તમ સજા આપવાનું કારણ નીચલી કોર્ટને જણાવવું જોઈતું હતું. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી જ્યાં રાહુલ ગાંધીને રાહત મળી છે, ત્યાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં ઉર્જાનો સંચાર થયો છે. આ સાથે જ સવાલ એ પણ ઉઠવા લાગ્યો છે કે, સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ હવે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ પુનઃસ્થાપિત થઈ શકશે?

કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત થઈ શકે છે. આ સાથે તેઓ આગામી લોકસભાની ચૂંટણી પણ લડી શકશે.

લોકસભાની ચૂંટણી લડવા શું કરવું પડશે રાહુલે ?

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લોકસભા સચિવાલયને રાહુલ ગાંધી વતી રિપોર્ટ સોંપવો પડશે. જેમાં સુપ્રીમ કોર્ટના આજના આદેશનો ઉલ્લેખ કરીને લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરવામાં આવશે. આ પછી, લોકસભા સચિવાલયના અધિકારીઓ આદેશનો અભ્યાસ કરશે અને તે પછી જ રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો આદેશ જાહેર કરવામાં આવશે. જો કે આ માટે કોઈ સમય મર્યાદા નથી, પરંતુ અધિકારીઓએ આ કામ વહેલી તકે કરવું પડશે.

લક્ષદ્વીપના એનસીપી સાંસદ મોહમ્મદ ફૈઝલને પણ જાન્યુઆરીમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ માર્ચમાં તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે ફૈઝલની બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરી હતી, જે બાદમાં રદ કરવામાં આવી હતી. જો કે, રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા પછી, તેમના લોકસભા મતવિસ્તાર વાયનાડમાં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી ન હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
g clip-path="url(#clip0_868_265)">