AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Murder Case: આફતાબને 14 દિવસની ન્યાયિક કસ્ટડી, તિહાર જેલમાં મોકલવામાં આવ્યો

આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે તેને નાર્કો ટેસ્ટ માટે જેલમાંથી અહીં લાવવામાં આવશે.

Shraddha Murder Case: આફતાબને 14 દિવસની ન્યાયિક કસ્ટડી, તિહાર જેલમાં મોકલવામાં આવ્યો
shraddha murder caseImage Credit source: Tv9
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 5:54 PM
Share

રાજધાની દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડે આખા દેશને હચમચાવી દીધો છે. જ્યાં કોર્ટના આદેશ પર આફતાબના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરી દેવામાં આવી છે. આજે નાર્કો ટેસ્ટ નિષ્ણાતો આફતાબના પર્સનેલિટીનું ટેસ્ટિંગ કરશે. બીજી તરફ દિલ્હી પોલીસની ટીમ આજે સવારે આફતાબને લઈને રોહિણીની આંબેડકર હોસ્પિટલમાં ગઈ હતી. જ્યાં તેણે નાર્કો પહેલા પ્રી-નાર્કો ટેસ્ટ કરાવ્યા, જેમાં ECG, BP ચેક અને અન્ય કેટલાક બોડી ચેક અપ કરવામાં આવ્યા. સંભવ છે કે સોમવારે આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે.

આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે તેને નાર્કો ટેસ્ટ માટે જેલમાંથી અહીં લાવવામાં આવશે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિનો નાર્કો ટેસ્ટ એક દિવસમાં થઈ શકતો નથી. એટલા માટે આફતાબના નાર્કો ટેસ્ટની રાહ જોવી પડશે. સાથે જ એફએસએલના અધિકારીઓનું કહેવું છે કે નાર્કો ટેસ્ટ દરમિયાન એફએસએલની ટીમ સાથે રહેશે.

પોલીગ્રાફ ટેસ્ટ 3 કલાક સુધી ચાલ્યો હતો

આપને જણાવી દઈએ કે, શુક્રવારે મહેરૌલી હત્યાકાંડના આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ અહીંની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં લગભગ ત્રણ કલાક સુધી પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. નોંધપાત્ર રીતે પૂનાવાલાએ મે મહિનામાં તેની સહજીવન સાથી શ્રદ્ધા વોકર (27)નું ગળું દબાવી હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. આ પછી તેને લગભગ ત્રણ અઠવાડિયા સુધી દક્ષિણ દિલ્હીના મેહરૌલીમાં તેના ઘરે 300 લિટરના ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. જેને ઘણા દિવસો સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

વપરાયેલ હથિયાર શોધી શકાયું નથી

જો કે, પોલીસને હજુ સુધી પીડિતાની ખોપરી અને શરીરનો બાકીનો ભાગ તેમજ શરીરના ટુકડા કરવા માટે વપરાતું હથિયાર મળ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતદેહને કાપવા માટે વપરાતી આરી હજુ સુધી મળી નથી.

ટેસ્ટનું રિઝલ્ટ તપાસ અધિકારીઓને સોંપવામાં આવશે

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રિપોર્ટના પરિણામોના આધારે નાર્કો ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે પૂનાવાલાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવે તો પણ તેનો નાર્કો ટેસ્ટ થઈ શકે છે. પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન પૂનાવાલાને હત્યા સુધીની ઘટનાઓ, શ્રદ્ધા સાથેના આરોપીના સંબંધો, તેમની વચ્ચે તણાવ, શ્રદ્ધાના મૃત શરીરના ટુકડા ક્યાં ફેંકવામાં આવ્યા હતા, હથિયારો વગેરે વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે આ ટેસ્ટનો હેતુ તેમના નિવેદનોમાં વિસંગતતાઓને તપાસવાનો હતો. તેમણે કહ્યું કે ટેસ્ટના રિઝલ્ટ બે કે ત્રણ દિવસમાં તપાસકર્તાઓને સોંપવામાં આવશે.

આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ લગભગ 8 કલાક ચાલ્યો હતો

જો કે આ પહેલા ગત ગુરુવારે આફતાબનો લગભગ આઠ કલાક લાંબો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેની નાદુરસ્ત તબિયતને કારણે લેબોરેટરીના અધિકારીઓને નિવેદન નોંધવામાં મુશ્કેલી પડી હતી. પોલીગ્રાફ ટેસ્ટમાં શારીરિક ગતિવિધિઓ જેવી કે બીપી, પલ્સ અને શ્વાસનો દર નોંધવામાં આવે છે. આ ડેટાનો ઉપયોગ એ જાણવા માટે કરવામાં આવે છે કે વ્યક્તિ સાચું બોલી રહી છે કે નહીં.

લેબના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન પૂનાવાલાને આ કેસ વિશે પૂછવામાં આવ્યું હતું કે તેણે શા માટે શ્રદ્ધા વોકરની હત્યા કરી, શું તે પૂર્વયોજિત ઘટના હતી કે તેણે ગુસ્સામાં આવીને કર્યું હતું, જેમ કે તેણે કોર્ટમાં દાવો કર્યો હતો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">