દેશમાં રહેતા અફઘાન નાગરિકો તાલિબાન અને UNHCR સામે કરી શકે છે મોટું પ્રદર્શન, ભારતને સાવચેત રહેવાની અપાઈ સલાહ
અહેમદ જિયા ગનીએ કહ્યું, 'આ ખરાબ સ્થિતિમાં, દરેક વ્યક્તિ અપેક્ષા રાખે છે કે ભારત સરકાર અમારી સાથે ઉભી રહેશે. અમે UNCR સામે વિરોધ કરીશું કે અફઘાનિસ્તાનમાં રહેતા અમારા પરિવારના સભ્યોનું ભવિષ્ય શું છે ?.'
ભારતમાં રહેતા અફઘાન(Afghanistan ) મૂળના નાગરિકોએ આગામી દિવસોમાં તાલિબાન(Taliban) અને યુનાઇટેડ નેશન્સ રેફ્યુજી એજન્સી (UNHCR) સામે મોટું પ્રદર્શન કરવાના સંકેત આપ્યા છે.અફઘાન(Afghanistan ) એકતા સમિતિના વડા અહમદ જિયા ગનીએ કહ્યું કે ‘ભારતે અફઘાનિસ્તાન અંગેની પોતાની નીતિ શેર કરવી જોઈએ.’ તેમણે કહ્યું કે યુએનએચસીઆર(UNHCR) કોઈ જવાબદારી લેતું નથી. નવા આવનાર લોકો શું કરશે, તેઓ કેવી રીતે જીવશે?
અહેમદ જિયા ગનીએ કહ્યું, ‘આ ખરાબ સ્થિતિમાં, દરેક વ્યક્તિ અપેક્ષા રાખે છે કે ભારત સરકાર અમારી સાથે ઉભી રહેશે.અફઘાનિસ્તાનમાં રહેતા અમારા પરિવારના સભ્યોનું ભવિષ્ય શું છે તે માટે અમે UNCR સામે વિરોધ કરીશું.’તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ અફઘાનિસ્તાનની હાર નથી પરંતુ આખી દુનિયાની હાર છે.ભારત પણ આમાં હારી ગયું કારણ કે ભારતની સૌથી મોટી સ્પર્ધા પાકિસ્તાન સાથે હતી અને હવે પાકિસ્તાન ત્યાં સત્તા પર આવી ગયું છે અને બાદમાં આ ખતરો કાશ્મીર સુધી પણ પહોંચી શકે છે.
તેમણે કહ્યું કે ભારતમાં રહેતા અફઘાનિસ્તાન મૂળના તમામ નાગરિકો એક -બે દિવસ પછી ભારત(India)માં મોટો વિરોધનું આયોજન કરશે અને ભારત સરકારને વિનંતી કરશે કે ભારતને વર્તમાન પરિસ્થિતિ પર પોતાની નીતિ જણાવવી જોઈએ, તેમની નીતિ શું છે?
અફઘાન દૂતાવાસ દ્વારા રાષ્ટ્રપતિ અશરફ ગનીનો ફોટા હટાવાયો
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું તે દિવસે રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા. ત્યારથી દરેક તેમના વિશે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ ઉમરૂલ્લાહ સાલેહે પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. જેની અસર પણ હવે જોવા મળી રહી છે. પડોશી તાજિકિસ્તાનમાં અફઘાન દૂતાવાસમાં અશરફ ગની(Ashraf Ghani)ના ફોટોગ્રાફ્સ દૂર કરવામાં આવ્યા છે અને તેના સ્થાને અમરૂલ્લાહ સાલેહના ફોટોગ્રાફ્સ લગાવવામા આવ્યા છે.
તાજિકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂત ઝહિર અઘબરે કહ્યું કે અમરૂલ્લા સાલેહ બંધારણ મુજબ કાયદેસર રાષ્ટ્રપતિ છે અને તેઓ તેમનું પાલન કરશે. તેણે એમ પણ કહ્યું કે અશરફ ગનીએ તેની સાથે ઘણા પૈસા લઈ ગયા છે અને તેણે અફઘાનિસ્તાન સાથે દગો કર્યો છે. રાજદૂતે કહ્યું કે ઈન્ટરપોલ દ્વારા ગની, મોહેબ (એનએસએ હમદુલ્લા મોહિબ) અને ફઝલી (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફઝલ મહમૂદ ફઝલી) ની અટકાયત કરવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કેસ ચલાવવો જોઈએ. કારણ કે તેઓએ લોકોના પૈસા ચોરી લીધા છે.