AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day : શું તમે જાણો છો કે દેશના કયા ભાગમાં આજે 18 ઓગસ્ટના રોજ થાય છે સ્વતંત્રતા દિવસની ઉજવણી ?

આ વિસ્તારોમાં દર વર્ષે 18 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે.

Independence Day : શું તમે જાણો છો કે દેશના કયા ભાગમાં આજે 18 ઓગસ્ટના રોજ થાય છે સ્વતંત્રતા દિવસની ઉજવણી ?
Independence Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 4:14 PM
Share

સમગ્ર ભારતમાં 15 ઓગસ્ટ રવીવારના રોજ દેશના 75માં સ્વતંત્રતા દિવસ (Independence Day) ની ઉજવણી કરવામાં આવી. સાથે જ જોરશોરથી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

પરંતુ શું તમે જાણો છો કે દેશના કેટલાક ગામો એવા પણ છે, જ્યાં સ્વતંત્રતા દિવસ (Independence Day) ની ઉજવણી 18 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. 18 ઓગસ્ટના દિવસે એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે અને ગ્રામ લોકો આનંદ ઉલ્લાસથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. તો આવો જાણીએ એ ગામો વિશે વિગતે.

બાંગ્લાદેશની સરહદે પશ્ચિમ બંગાળના ઘણા ગામો દર વર્ષની જેમ, 18 ઓગસ્ટ બુધવારે સ્વતંત્રતા દિવસ (Independence Day) ની ઉજવણી કરી શકે છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના નાદિયાના કેટલાક વિસ્તારો એવા વિસ્તારોમાં રહ્યા છે કે જે આઝાદી દરમિયાન વિવાદમાં રહ્યા હતા. તેના લીધે તેઓ સમગ્ર દેશના બે દિવસ પછી સત્તાવાર રીતે 18 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.

આ વિસ્તારોમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ (Independence Day)ની ઉજવણી કરવામાં આવે છે, જોકે આ ઉજવણીઓ સાથે કોઈ સરકારી જોડાણ નથી. આ પરંપરા શરૂ થઈ કારણ કે ભાગલા દરમિયાન બંગાળના ઘણા સરહદી વિસ્તારો વિવાદિત હતા. દાખલા તરીકે, Bongaon 15 ઓગસ્ટ, 1947 પછી બે દિવસ માટે પૂર્વ પાકિસ્તાન (Pakistan)નો એક ભાગ હતો, જ્યારે ભારતને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. Bongaon ઉપરાંત, નાદિયા જિલ્લાના અન્ય નગરો – રાણાઘાટ અને કૃષ્ણનગર પણ દર વર્ષે 18 ઓગસ્ટે તિરંગો ફરકાવવા માટે જાણીતા છે.

બીજી ત્રણ વસાહતો નાદિયા જિલ્લામાંથી મેહરપુર, ચુઆદાનગા અને કુશ્તીયા હવે બાંગ્લાદેશ (west Bengal)નો એક ભાગ છે. ઈતિહાસિક રેકોર્ડ (Historic Records) મુજબ, નાદિયા જિલ્લામાં જે હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારો હતા, તેમના બાંગ્લાદેશમાં સમાવેશ સામે વિરોધ કરવામાં આવ્યો હતો. 17 ઓગસ્ટ, 1947 ની રાતે તે વિસ્તારોને ભારતનો ભાગ જાહેર કરવામાં આવ્યા હતા.

એક અધિકારીએ અગાઉના આવી એક ઉજવણીના પ્રસંગ દરમિયાન ન્યૂઝ એજન્સી IANS ને જણાવ્યું હતું કે,”રાણાઘાટ શહેરમાં દર વર્ષે 18 ઓગસ્ટના રોજ એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે અને નજીકના ગામોમાં અન્ય નાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેટલાક વિવાદોને કારણે નાદિયાના મોટા ભાગને શરૂઆતમાં પૂર્વ પાકિસ્તાનનો ભાગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને ભારતીય મુખ્ય ભૂમિમાં સામેલ કરવામાં આવ્યો હતો.”

આ પણ વાંચો : તાલિબાનના ડરથી ભાગી ગયેલા અફઘાન શરણાર્થીઓને જગ્યા નથી આપી રહ્યું ઉઝબેકિસ્તાન, વિઝા આપવાનો ઇનકાર

આ પણ વાંચો : ગુજરાત BJPના ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ, બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">