પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને હાંસલ કરવું એ આગામી એજન્ડા: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ

જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે POJK પાછું મેળવવું એ માત્ર રાજકીય અને રાષ્ટ્રીય એજન્ડા નથી પણ માનવ અધિકારોનું સન્માન કરવાની જવાબદારી પણ છે કારણ કે POJKમાં અમારા ભાઈઓ અમાનવીય પરિસ્થિતિમાં જીવે છે.

પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને હાંસલ કરવું એ આગામી એજન્ડા: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ
Union Minister Jitendra Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 11:15 PM

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Union Minister Jitendra Singh) રવિવારે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને (Pak Occupied Jammu & Kashmir) પાછું મેળવવું એ આગામી એજન્ડા છે. દિલ્હીમાં પીઓજેકેના વિસ્થાપિતોને સમર્પિત ‘મીરપુર બલિદાન દિવસ’ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે જે નેતૃત્વ બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવે છે, તે જ નેતૃત્વ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ રહેલું POJKને પાછું મેળવવાની ક્ષમતા ધરાવે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમને સંબોધતા જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારતીય ઉપખંડનું વિભાજન માનવજાતના ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના હતી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને તત્કાલીન રીયાસતના એક ભાગને ખોવાના રૂપમાં બીજી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. જે પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં ચાલ્યુ ગયું હતું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (POJK) પાછું મેળવવું એ આગામી એજન્ડા છે.

‘POJK પાછું મેળવવાનો સંકલ્પ પણ સાકાર થશે’

તેમણે કહ્યું કે હંમેશા એવું માનવામાં આવતું હતું કે અનુચ્છેદ 370 ક્યારેય રદ નહીં થાય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તે શક્ય બન્યું છે અને તે જ રીતે PoJKને પાછું મેળવવાનો સંકલ્પ પણ પૂર્ણ થશે. વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે POJK પાછું મેળવવું એ માત્ર રાજકીય અને રાષ્ટ્રીય એજન્ડા નથી પણ માનવ અધિકારોનું સન્માન કરવાની જવાબદારી પણ છે કારણ કે POJKમાં અમારા ભાઈઓ અમાનવીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને તેમને આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી સમયે 560થી વધુ રજવાડાઓના વિલીનીકરણની જવાબદારી સંભાળી હતી અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, પરંતુ તેમને જમ્મુ-કાશ્મીર બાબતથી દૂર રાખવામાં આવ્યા હતા કારણ કે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જમ્મુ – કશ્મીરના મામલાને પોતાના સ્તરે સંભાળવા માંગતા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરથી લોકસભાના સભ્ય છે.

આ પણ વાંચો :  Maharashtra: રઝા એકેડમીના લોકો માત્ર કોંગ્રેસના શાસનમાં જ પોલીસ પર હુમલો કેમ કરે છે? દેવેન્દ્ર ફડણવીસે અમરાવતી હિંસા અંગે ઉઠાવ્યા પ્રશ્નો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">