AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farm Laws Withdrawn: MSP માટે શું રોડમેપ છે ? કૃષિ કાયદા પરત લેવા પર કોંગ્રેસના પીએમ મોદીને 5 સવાલ

વડાપ્રધાનની જાહેરાત બાદ કોંગ્રેસના નેતાઓએ એક તરફ આ નિર્ણયને આવકાર્યો છે તો બીજી તરફ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. કૃષિ કાયદાને પાછો ખેંચવાના વડાપ્રધાનના પગલા પર કોંગ્રેસે 5 પ્રશ્નો પણ પૂછ્યા છે.

Farm Laws Withdrawn: MSP માટે શું રોડમેપ છે ? કૃષિ કાયદા પરત લેવા પર કોંગ્રેસના પીએમ મોદીને 5 સવાલ
Farmers Protest
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 1:31 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આખરે ત્રણ કૃષિ કાયદાઓ (Farm Laws) પર તેમની સરકારનું પગલું પાછું ખેંચ્યું હતું અને દેશને તેમને “માફ” કરવા કહ્યું હતું અને MSP સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિ નિમિત્તે રાષ્ટ્રને સંબોધનમાં આ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ કાયદાઓને રદ્દ કરવાની બંધારણીય પ્રક્રિયા સંસદના આગામી શિયાળુ સત્રમાં પૂર્ણ કરવામાં આવશે.

આ નિર્ણય બાદ ખેડૂતોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ખેડૂત સંગઠનો આ જાહેરાત બાદ તુરંત જ આંદોલન છેડવાના નથી અને હવે આગળની કાર્યવાહી માટે શનિવારે ખેડૂત સંગઠનોની સામાન્ય સભા બોલાવવામાં આવી છે. વડાપ્રધાનની જાહેરાત બાદ કોંગ્રેસના નેતાઓએ એક તરફ આ નિર્ણયને આવકાર્યો છે તો બીજી તરફ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. કૃષિ કાયદાને પાછો ખેંચવાના વડાપ્રધાનના પગલા પર કોંગ્રેસે 5 પ્રશ્નો પણ પૂછ્યા છે.

કોંગ્રેસ પણ આ પ્રશ્નો દ્વારા MSP નો રોડમેપ જાણવા માંગે છે. આ સાથે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર શું કરશે તેની માહિતી પણ માંગવામાં આવી છે. ઈંધણના ભાવ મુદ્દે પણ કોંગ્રેસે સરકારને ભીંસમાં લીધી છે. આ સાથે એ પણ પૂછવામાં આવ્યું છે કે સરકાર એક્સાઈઝ ડ્યુટી પાછી ખેંચવાની જવાબદારી ક્યારે લેશે.

કોંગ્રેસના પીએમ મોદીને 5 સવાલ 1. દેશને જણાવો કે MSP નો રોડમેપ અને રસ્તો શું છે?

2. ફેબ્રુઆરી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ NSO મુજબ, આજે સરેરાશ ખેડૂતની આવક પ્રતિદિન રૂ. 27 છે, ખેડૂતોની આવક બમણી કરવાની શું જોગવાઈ છે?

3. ખેડૂતનું ઇંધણ ડીઝલ 3 રૂપિયા 56 પૈસા એક્સાઇઝ વધારીને 28 રૂપિયા કર્યા, એક્સાઇઝ ક્યારે પાછી ખેંચાશે?

4. કૃષિ પરનો GST ક્યારે નાબૂદ થશે?

5. દેશમાં સરેરાશ ખેડૂત 74 હજાર રૂપિયાના દેવા હેઠળ છે, તેના દેવામાંથી મુક્તિ આપવાનો ઉપાય શું છે?

દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સંસદના આગામી સત્રમાં ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, “અમારી સરકાર નાના ખેડૂતોના કલ્યાણ માટે કૃષિ જગતના હિતમાં સત્ય નિષ્ઠાથી કૃષિ બીલ લાવી હતી. પરંતુ કેટલાક ખેડૂતોને અમે સમજાવી શક્યા નથી. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરે પણ અમારા માટે તે પણ મહત્વનું છે. ખેડૂતો, કૃષિ વિશેષજ્ઞો, તજજ્ઞો, નિષ્ણાંતો અને સરકારે આવા ખેડૂતોને સમજાવતા રહ્યાં”.

આ પણ વાંચો : Farm Laws: સંસદમાં કૃષિ કાયદા બિલની રજૂઆતથી લઈને પરત લેવાની જાહેરાત સુધીની તમામ ઘટનાઓની સંક્ષિપ્ત માહિતી

આ પણ વાંચો : Kisan Andolan News: કૃષિ કાયદા પરત લેવાની PM મોદીની જાહેરાત પર ટિકૈતે કહ્યું- આંદોલન હમણા પાછું નહીં ખેંચાય

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">