AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાનને બ્લેકમેલ કરવાનો પ્રયાસ, 5 લોકોની કરાઈ ધરપકડ

કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના સ્ટાફ દ્વારા નવી દિલ્હી જિલ્લામાં FIR દાખલ કરવામાં આવી હતી. જેમાં કેટલાક લોકોએ તેને છેડતી માટે બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.

લો બોલો, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાનને બ્લેકમેલ કરવાનો પ્રયાસ, 5 લોકોની કરાઈ ધરપકડ
Union Minister of State for Home Ajay Mishra (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 3:22 PM
Share

લખીમપુર ખીરી (Lakhimpur Kheri Violence) ખેડૂતોની હત્યા કેસના મુખ્ય આરોપી આશિષ અજય મિશ્રા ટેનીના પિતા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેની (Ajay Misra Teni, MoS Home ) ને બ્લેકમેલ (Blackmailing Case) કરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા (Ajay Misra Teni, MoS Home ) ના સ્ટાફ તરફથી ફરિયાદ મળી હતી કે તેમને પૈસા માટે ફોન આવ્યા હતા. આ મામલે નવી દિલ્હીમાં FIR નોંધવામાં આવી હતી. જે બાદ નોઈડાના 4 અને દિલ્હીથી 1 આરોપી સહિત કુલ 5 લોકોની બ્લેકમેલ કરવા અને ખંડણી માંગવા કોલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

મંત્રી અજય મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાની અરજી ફગાવી દેવામાં આવી હાલમાં જ ઉત્તર પ્રદેશના લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. તેમની સામે હત્યાની એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજીને સીજેએમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે પત્રકાર રમણ કશ્યપની હત્યા કેસમાં કેસ નોંધાયેલો છે અને તેની તપાસ ચાલી રહી છે. ત્યારે અન્ય કોઈ વધુ એફઆઈઆર વાજબી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેની અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરતી PIL દાખલ કરવામાં આવી હતી.

ખેડૂતોને ધમકાવવાનો આરોપ અરજીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની અને ઉતરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવુ કહેવામાં આવ્યું હતું કે લખીમપુર ખીરી ઘટનાના 4 દિવસ પહેલા અજય મિશ્રા ટેનીએ ખેડૂતોને ધમકી આપી હતી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે લખીમપુર ખીરીની ઘટનાને એક કાવતરા હેઠળ આકાર આપવામાં આવ્યો હતો.

વાસ્તવમાં, 3 ઓક્ટોબરના રોજ, લખીમપુર ખીરીના ટિકુનિયા ખાતે ચાર ખેડૂતોને કથિત રીતે એક SUV કાર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા, જ્યારે તેઓ કૃષિ કાયદાનો વિરોધ કરીને એક કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની હાજર રહ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે એસયુવી અજય મિશ્રા ટેનીની હતી અને તેનો પુત્ર આશિષ મિશ્રા તેમાં હતો. આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. હવે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીને બરતરફ કરવાની વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તેમનો આક્ષેપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન પણ આ કેસમાં આરોપી છે.

આ પણ વાંચોઃ

Harbhajan Singh : હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 23 વર્ષની કારકિર્દીને અલવિદા કહી

આ પણ વાંચોઃ

Ahmedabad : મેમદપૂરા ક્રોસિંગ બ્રિજ તૂટવાનો કેસ, શહેરી વિકાસ સચિવની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચનાની CMની જાહેરાત

Follow Us
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
g clip-path="url(#clip0_868_265)">