AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુલગામમાં શુક્રવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ થયા ઠાર

આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલના જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ શુક્રવારે સાંજથી જ આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

કુલગામમાં શુક્રવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ થયા ઠાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2025 | 10:45 AM
Share

સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સતત કડકાઈથી કાર્યવાહી હાથ ધરી છે. શુક્રવાર સાંજથી કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. ગઈકાલે એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષાદળોને એવી માહિતી મળી છે કે, હજુ પણ એન્કાઉન્ટર સ્થળે 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.

કુલગામમાં એન્કાઉટરમા માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. જેમાં એક આતંકી કુલગામનો જ છે. જ્યારે અન્ય એક સોપોરનો અને બીજો એક પુલવામાનો રહીશ હતો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 28 વર્ષીય ઝાકિર અહેમદ ગની કુલગામના મુતલહામાનો રહેવાસી હતો, જ્યારે આદિલ રહેમાન દાંતો સોપોરના આરામપોરાનો રહેવાસી હતો અને હરિસ ડાર પુલવામાનો રહેવાસી હતો.

સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલના જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ શુક્રવારે સાંજથી જ આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

રાત્રે ગોળીબાર બંધ કરવામાં આવ્યો

શુક્વારથી ચાલી રહેલ એન્કાઉન્ટરમાં ગઈ રાત્રે ગોળીબાર બંધ કરવામાં આવ્યો હતો. અને તપાસ હાથ ધરાતા 3 આતંકીઓ માર્યા ગયા હોવાની વિગતો સામે આવી છે. કુલગામમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. એક કુલગામનો, એક સોપોરનો અને એક પુલવામાનો હતો. 28 વર્ષીય ઝાકિર અહમદ ગની કુલગામના મુતલહામાનો રહેવાસી હતો, જ્યારે આદિલ રહેમાન દાંતો સોપોરના આરામપોરાનો રહેવાસી હતો. હરિસ ડાર પુલવામાના રાજપોરાનો રહેવાસી હતો.

ત્રણેય આતંકવાદીઓને ગઈકાલે માર્યા ગયા હતા

અધિકારીઓએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર શરૂ થયા બાદ એન્કાઉન્ટરની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અખાલ જંગલ વિસ્તારમાં ઘેરાબંધી મજબૂત કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં વધારાના દળો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શનિવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી ગોળીબાર શરૂ થયો હતો, જેમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પહેલા, શનિવારે, અધિકારીઓએ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ વિશે કહ્યું હતું કે આતંકવાદીઓ અને તેમના સંગઠનની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે. હાલમાં એન્કાઉન્ટર ચાલુ છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">