AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 8 આપરેશનમાં 14 આતંકીઓ ઠાર, જેમાંથી 7 પાકિસ્તાની

જમ્મુ અને કાશ્મીરના (Jammu & Kashmir) ડીજીપી દિલબાગ સિંહે  (J&K DGP Dilbag Singh)  ગુરુવારે કહ્યું કે આ વર્ષે 8 ઓપરેશનમાં 14 આતંકવાદીઓ માર્યા ગયા છે.

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 8 આપરેશનમાં 14 આતંકીઓ ઠાર, જેમાંથી 7 પાકિસ્તાની
14 terrorists killed including 7 Pakistani in 8 army operations in Jammu-Kashmir
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 4:36 PM
Share

જમ્મુ અને કાશ્મીરના (Jammu & Kashmir) ડીજીપી દિલબાગ સિંહે  (J&K DGP Dilbag Singh)  ગુરુવારે કહ્યું કે આ વર્ષે 8 ઓપરેશનમાં 14 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ 14 આતંકીઓમાંથી 7 પાકિસ્તાનના (Pakistan) હતા. તમને જણાવી દઈએ કે ઘાટીમાં આતંકવાદીઓ તેમની નાપાક હરકતોથી ઉંચા નથી આવી રહ્યા અને સતત હુમલા કરવામાં વ્યસ્ત છે.

બુધવારે કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. સેનાના અન્ય ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી પણ માર્યો ગયો છે.

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના હસનપુરા ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું.

પ્રવક્તાએ કહ્યું કે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. તેની ઓળખ શોધવામાં આવી રહી છે. તે કઇ સંસ્થાનો હતો તે જાણવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.

આ પહેલા રવિવારે પણ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ અલ-બદર આતંકવાદી ઈમાદ વાની તરીકે થઈ હતી. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IG) વિજય કુમારે જણાવ્યું હતું કે વાની ગયા વર્ષે 19 ડિસેમ્બરે પુલવામામાં પોલીસકર્મી મુસ્તાક વેજ પર થયેલા હુમલામાં સામેલ હતો. આ હુમલામાં વેજને ગંભીર ઈજા થઈ હતી.

આ પણ વાંચો –

UP Election 2022 : શું NCP અખિલેશના નેતૃત્વમાં ભાજપ સામે લડશે ચૂંટણી ? શરદ પવારે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો –

Goa Election : પૂર્વ CM મનોહર પર્રીકરના પુત્રએ પણજી બેઠક પરથી માંગી ટિકિટ, ભાજપે કહ્યું- નેતાના પુત્રને જ ટિકિટ નહીં મળે

આ પણ વાંચો –

ચૂંટણી મોકૂફ રાખવી એ કોર્ટનું કામ નથી: આ રાજ્યની હાઈકોર્ટે વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવાનો કર્યો ઈન્કાર

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">