26/11 આતંકી હુમલાને 11 વર્ષ પૂર્ણ છતાં કુબરે બોટના માછીમારોનો પરિવાર વળતરથી વંચિત, જુઓ VIDEO
26/11 મુંબઈ હુમલાને 11 વર્ષ વીતી ગયા છે. આ હુમલાએ દેશના દરેક નાગરિકને એવી ઈજા પહોંચાડી છે. જે કયારેય ભરી શકાશે નહીં. ત્યારે હુમલા દરમિયાન આતંકીઓનો પ્રથમ શિકાર બનેલા કુબેર બોટના ખલાસીઓ 11 વર્ષ બાદ પણ પોતાને મળવા જોઈતા વળતરથી વંચિત છે. આ ખલાસીઓના પરિવાર હાલ ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે. Web Stories […]
26/11 મુંબઈ હુમલાને 11 વર્ષ વીતી ગયા છે. આ હુમલાએ દેશના દરેક નાગરિકને એવી ઈજા પહોંચાડી છે. જે કયારેય ભરી શકાશે નહીં. ત્યારે હુમલા દરમિયાન આતંકીઓનો પ્રથમ શિકાર બનેલા કુબેર બોટના ખલાસીઓ 11 વર્ષ બાદ પણ પોતાને મળવા જોઈતા વળતરથી વંચિત છે. આ ખલાસીઓના પરિવાર હાલ ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી ગામના બે માછીમાર અને માછીવાડ ગામના એક માછીમારની હત્યા કરી આતંકીઓ દરિયાઈ માર્ગ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. આર્થિક સહાયના અભાવે આ માછીમારોના પરિવારોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. મહત્વનું છે કે નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ સાત વર્ષ સુધી ગુમ હોય તો તેને મૃત ગણવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
2008માં સરકારે એ શરતે પરિવારોને રૂપિયા 50 હજારની સહાય કરી હતી. જો લાપતા માછીમારો 7 વર્ષમાં જીવીત મળી આવે તો મળેલી રકમ પરત કરી દેવી. પરંતુ 11 વર્ષ વીત્યા બાદ પણ સ્વજનો પરત ન આવતા 50 હજારની સહાયના આધારે પરિવારને જિંદગી ગુજારવાનો વખત આવ્યો છે. મળવા પાત્ર સહાય માટે આ પરિવાર છેલ્લા 11 વર્ષથી સરકારી કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો