Mumbai 26/11 Attack: શા માટે આતંકવાદીઓએ ચાબાડ હાઉસ પર કર્યો હુમલો? થયો મોટો ખુલાસો 

લશ્કર-એ-તૈયબાએ 2008માં મુંબઈમાં (Mumbai Attack) હુમલા કર્યા હતા. આ હુમલામાં લગભગ 174 લોકોના મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Mumbai 26/11 Attack: શા માટે આતંકવાદીઓએ ચાબાડ હાઉસ પર કર્યો હુમલો? થયો મોટો ખુલાસો 
Mumbai Attack
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 11:58 PM

લંડનના યહુદી વીકલી ન્યૂઝપેપરે 2008ના મુંબઈ હુમલાને (Mumbai Attack) લઈને મોટો ખુલાસો કર્યો છે. ન્યૂઝ પેપરના લેખમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ પોતાના ફાયદા માટે યહૂદી કેન્દ્ર ચાબાડ હાઉસને (Chabad House) શા માટે નિશાન બનાવ્યું. આતંકવાદીઓએ 26/11ના આતંકી હુમલામાં (26/11 terror attack) છ યહૂદીઓની પણ હત્યા કરી હતી. યહુદી ક્રોનિકલે (Yahudi Chronicle) ભારત સરકારના સૂત્રોનો હવાલો આપીને લખ્યું છે કે આતંકવાદીઓએ તકવાદી લક્ષ્ય હોવાના કારણે યહૂદી ચાબાડ હાઉસને નિશાન બનાવ્યું હતું.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

યહુદી ક્રોનિકલનું કહેવું છે કે આતંકવાદીઓ વચ્ચેની વાતચીતના વાયર ટેપેડ રેકોર્ડિંગ્સ દ્વારા સામે આવ્યું છે કે વિશ્વભરના મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે યહૂદીઓને (Terrorist On Yahudi Community) નિશાન બનાવવામાં આવ્યા હતા. એટલા માટે આતંકીઓએ હુમલા માટે ચાબડ હાઉસને પસંદ કર્યું હતું. યહુદી ક્રોનિકલનું કહેવું છે કે આતંકવાદીઓ એક સાથે અનેક સમુદાયો પર હુમલો કરીને વિશ્વભરના મીડિયાનું ધ્યાન ખેંચવા માંગતા હતા. યહુદી ક્રોનિકલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારના સ્ત્રોતે એક ફિલ્મ નિર્માતાને વાયર ટેપ વિશે જણાવ્યું હતું.

શા માટે યહૂદી સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો?

તેમનું કહેવું છે કે ફિલ્મના નિર્માતા યહૂદીઓ પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યા હતા. તેમને મળેલા રેકોર્ડિંગ અનુસાર આતંકવાદીઓ તેમના નિશાના માટે ચાબડ હાઉસ વિશે એકબીજાની વચ્ચે વાત કરી રહ્યા હતા. મુંબઈ આવ્યા પછી જ આતંકીઓને ખબર પડી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે લશ્કર-એ-તૈયબાએ 2008માં મુંબઈમાં હુમલા કર્યા હતા. આ હુમલામાં લગભગ 174 લોકોના મોત થયા હતા. ત્યાં 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ હુમલા માટે ચાબાડ હાઉસને શા માટે પસંદ કર્યું તે અંગે લંડનના યહુદી વીકલી ન્યૂઝ પેપરએ મોટો ખુલાસો કર્યો છે. આ પાછળનું કારણ તેમણે પોતાના લેખમાં આપ્યું છે.

રિપોર્ટ અનુસાર આતંકવાદીઓ સારી રીતે જાણતા હતા કે યહૂદીઓને નિશાન બનાવવો મોટો મુદ્દો બની શકે છે. આ કારણે વિશ્વભરના મીડિયા તેમના પર ધ્યાન આપશે. આતંકવાદીઓ જાણતા હતા કે એક સમૃદ્ધ સમુદાય હોવાના કારણે ભારતમાં યહૂદીઓને ક્યારેય હેરાન કરવામાં આવ્યા નથી. મુંબઈમાં થયેલા હુમલાનો હેતુ અહીંની સંવાદિતા તોડવાનો હતો. આતંકવાદીઓ જાણતા હતા કે અહીં વિવિધ સમુદાયના 23 મિલિયનથી વધુ લોકો રહે છે.

ચાબાડ હાઉસ પર હુમલા પાછળનો ખાસ હેતુ

ઈઝરાયેલના ફિલ્મમેકર ઓરેન રોસેનફેલ્ડની ફિલ્મ 2022માં રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં યહૂદીઓનો ઈતિહાસ બતાવવામાં આવ્યો છે. આતંકવાદીઓના રેકોર્ડિંગ પરથી સ્પષ્ટ થાય છે કે હુમલા માટે તેમણે ચાબાડ હાઉસને પસંદ કર્યું હતું. સશસ્ત્ર આતંકવાદીઓને તૈનાત કરવા માટે પણ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેપમાં સંભળાયેલો અવાજ પાકિસ્તાની આતંકવાદી ઝકીઉર રહેમાન લખવીનો છે. તેને મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ કહેવામાં આવે છે.

આ પણ વાંચો :  Omicronનો ખૌફ : TNએ કેન્દ્રને લખ્યો પત્ર, કહ્યું- વિદેશથી આવતા પ્રવાસીના ટેસ્ટિંગ માટેના નિયમો બદલવામાં આવે

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">