AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Weekend Curfew: શું મહારાષ્ટ્રમાં લાગશે ટૂંક સમયમાં વીકએન્ડ કર્ફ્યુ? મુંબઈના મેયર કિશોરી પેડનેકરે આપ્યો આ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કોરોનાની પરિસ્થિતિ અંગે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. હવે માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ સીએમ ઉદ્ધવ ઠાકરે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

Maharashtra Weekend Curfew: શું મહારાષ્ટ્રમાં લાગશે ટૂંક સમયમાં વીકએન્ડ કર્ફ્યુ? મુંબઈના મેયર કિશોરી પેડનેકરે આપ્યો આ જવાબ
શું મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વીકએન્ડ કર્ફ્યુ લાગશે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 5:46 PM
Share

મહારાષ્ટ્ર (Coronavirus in Maharashtra) સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોના પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણા રાજ્યોએ કોરોનાને રોકવા માટે વીકએન્ડ કર્ફ્યુ (Weekend Curfew) લાદવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, મુંબઈ (Mumbai) અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા માનવામાં આવી રહ્યું છે કે અહીં  સપ્તાહના અંતમાં કર્ફ્યુની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Mayor Kishori Pednekar) આ સવાલનો જવાબ આપ્યો છે.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે વીકએન્ડ કર્ફ્યુ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કોરોનાની પરિસ્થિતિ અંગે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. હવે માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ સીએમ ઉદ્ધવ ઠાકરે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

કોરોનાના આંકડા ઝડપથી વધી રહ્યા છે

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે, મુંબઈમાં સંક્રમણના 20,181 નવા કેસ નોંધાયા હતા. જેમાં 4ના મોત થયા છે. મુંબઈમાં કોરોનાનો સક્રિય કેસ લોડ 79,260 પર પહોંચી ગયો છે. મુંબઈમાં પોઝિટિવિટી રેટ 29.90 ટકા નોંધવામાં આવ્યો છે. વધતા જતા કેસ વચ્ચે કોરોના ટેસ્ટ પણ ઝડપથી થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67,000 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 20,181 સેમ્પલ પોઝિટીવ આવ્યા છે. આ માહિતી BMC દ્વારા આપવામાં આવી છે.

ઓમિક્રોનના કેસોમાં પણ તેજી

કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણનું હોટસ્પોટ બનેલા ધારાવીમાં ગુરુવારે 107 નવા કેસ નોંધાયા હતા. BMCએ કહ્યું કે આ એક દિવસમાં સૌથી વધુ કેસ છે. ધારાવીમાં કુલ કેસ 7,626 પર પહોંચી ગયા છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આજે કોરોના સંક્રમણના 36,265 નવા કેસ નોંધાયા છે. જ્યારે 13 લોકોનો જીવ પણ ગયા છે.

રાહતની વાત એ છે કે 24 કલાકમાં 8,907 લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. ઓમિક્રોન મહારાષ્ટ્રમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગુરુવારે ઓમિક્રોનના 79 નવા કેસ સામે આવવાથી હડકંપ મચી ગયુ છે. જે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 876 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 381 લોકો સાજા થયા છે.

આ પણ વાંચો :  Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, 36,265 નવા કેસ આવ્યા સામે, માત્ર મુંબઈના 20,181 કેસ, ઓમિક્રોનના 79

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">