સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો દાવો ખોટો! શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું – વીર સાવરકરે ક્યારેય નથી માગી અંગ્રેજોની માફી

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જેલમાં સજા ભોગવતી વખતે એક અલગ રણનીતિ અપનાવવામાં આવે છે, કદાચ સાવરકરે પણ આવી વ્યૂહરચના અપનાવેલી હોય શકે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો દાવો ખોટો! શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું - વીર સાવરકરે ક્યારેય નથી માગી અંગ્રેજોની માફી
શિવસેના નેતા સંજય રાઉત (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 8:28 PM

શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) બુધવારે કહ્યું હતું કે વીર સાવરકરે (Veer Sawarkar) ક્યારેય અંગ્રેજોની (Britishers) માફી માગી નથી. એક દિવસ પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) દાવો કર્યો હતો કે સ્વાતંત્ર્ય સેનાની સાવરકરે મહાત્મા ગાંધીની વિનંતી પર અંગ્રેજોને દયા અરજી લખી હતી.

પૂણેમાં મીડિયા સાથે વાત કરતા રાઉતે જણાવ્યું હતું કે જે 10 વર્ષથી વધુ સમય જેલમાં રહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાં રહેવાને બદલે બહાર આવીને કંઈક કરી શકે છે એવું વિચારીને તેમની વ્યૂહરચના ઘડતા હતા. તેમણે કહ્યું કે જેલમાં સજા ભોગવતી વખતે એક અલગ રણનીતિ અપનાવવામાં આવે છે. રાઉતે કહ્યું, જો સાવરકરે આવી વ્યૂહરચના અપનાવી હોય તો તેને માફી માંગી એમ ન કહી શકાય. બની શકે સાવરકરે આવી વ્યૂહરચના અપનાવી હશે. સાવરકરે ક્યારેય અંગ્રેજોની માફી માંગી નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રાઉતે સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે

રાઉતે અનેક પ્રસંગોએ વીડી સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે હિન્દુત્વના વડા સાવરકર હંમેશા તેમની પાર્ટી માટે રોલ મોડલ રહ્યા છે. સાવરકર વિશે રાજનાથ સિંહના નિવેદન વિશે પૂછવામાં આવતા રાઉતે કહ્યું હતું કે તેમને આની જાણકારી નથી.

સાવરકર પર ફાસીવાદી હોવાનો ખોટો આરોપ હતો: રાજનાથ સિંહ

રાજનાથ સિંહે મંગળવારે વીર સાવરકરને કટ્ટર રાષ્ટ્રવાદી અને 20મી સદીમાં ભારતના પ્રથમ લશ્કરી વ્યૂહરચનાકાર ગણાવતા કહ્યું કે તેમણે મહાત્મા ગાંધીની વિનંતી પર અંગ્રેજોને દયા અરજીઓ લખી હતી અને માર્ક્સવાદી અને લેનિનવાદી વિચારધારાના લોકો દ્વારા તેમના પર ફાસીવાદી હોવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો.

1910ના દાયકામાં આંદામાનમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સાવરકરની દયા અરજીઓ અંગેના વિવાદનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું, તે એક કેદીનો અધિકાર હતો. ગાંધીજીએ તેમને આવું કરવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં જ્યારથી ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તુટ્યુ છે. ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમ રહે છે. આરોપો અને પ્રત્યારોપો પણ થતાં રહે છે. મહારાષ્ટ્ર સરકાર ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો ચુકતી નથી.

આ પણ વાંચો :  Aryankhan Cruise Drugs Case: આર્યનખાનને ના મળ્યા જામીન, આવતીકાલ 14મી ઓક્ટોબરે કરાશે જામીન અંગેનો આખરી નિર્ણય

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">