AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવસેનાના પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેનો કાર્યકાળ 23 જાન્યુઆરીએ પૂરો થશે, આ મામલો સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ પાસે છે તો આગળ શું થશે ?

ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) 2018માં શિવસેનાના પક્ષ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઠાકરે જૂથના નેતા અનિલ દેસાઈએ કહ્યું કે, અમારા વકીલોએ ચૂંટણી પંચ પાસે પક્ષ પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ ચૂંટણી કરાવવાની પરવાનગી માગી છે.

શિવસેનાના પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેનો કાર્યકાળ 23 જાન્યુઆરીએ પૂરો થશે, આ મામલો સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ પાસે છે તો આગળ શું થશે ?
Uddhav Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 4:17 PM
Share

મહારાષ્ટ્રની રાજનીતિ ફરી એકવાર રસપ્રદ સ્થિતિ પર છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના ઠાકરે અને શિંદે જૂથની અરજીઓ પર સુનાવણી 10 જાન્યુઆરીએ થઈ હતી, હવે 14 ફેબ્રુઆરીએ થશે કે અસલી શિવસેના કોની? તેના ચૂંટણી ચિન્હ પર કોનો અધિકાર છે? આ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચમાં સુનાવણી પણ થઈ હતી, હવે અહીં આગામી સુનાવણી 17 જાન્યુઆરીએ થવાની છે. દરમિયાન, ત્રીજી મોટી ઘટના બનવા જઈ રહી છે કે શિવસેના પક્ષ પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેનો 5 વર્ષનો કાર્યકાળ 23 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે.

ઉદ્ધવ ઠાકરેને 2018માં શિવસેનાના પક્ષ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે આ મામલો સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ પાસે છે તો આગળ શું? આ પ્રશ્નના જવાબમાં ઠાકરે જૂથના નેતા અનિલ દેસાઈએ કહ્યું કે, અમારા વકીલોએ ચૂંટણી પંચ પાસે પક્ષ પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ ચૂંટણી કરાવવાની પરવાનગી માગી છે. તેમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.

ઉદ્ધવ ઠાકરેની મુદત લંબાવવામાં આવી શકે છે

અનિલ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જો પંચે પક્ષની આંતરિક ચૂંટણીઓ અંગે કોઈ વાંધો ઉઠાવ્યો હોય, તો જ્યાં સુધી નિર્ણય ન લેવાય ત્યાં સુધી પક્ષના વડા તરીકે ઉદ્ધવ ઠાકરેની મુદત લંબાવવામાં આવી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ મનસ્વી રીતે પક્ષના બંધારણમાં ફેરફાર કર્યો

આ સમયગાળા દરમિયાન મંગળવારે પ્રથમ વખત શિંદે જૂથ વતી એડવોકેટ મહેશ જેઠમલાણીએ ઉદ્ધવ ઠાકરેના પક્ષના વડાને ગેરકાયદેસર જાહેર કર્યા છે. કાર્યકાળ પૂરો થયો એ અલગ વાત છે, એટલે કે અત્યાર સુધી પક્ષના વડા રહી ચૂકેલા ઉદ્ધવ ગેરકાયદેસર હતા. એવી દલીલ કરવામાં આવી હતી કે બાળાસાહેબ ઠાકરેના મૃત્યુ પછી, ઉદ્ધવ ઠાકરેએ મનસ્વી રીતે પક્ષના બંધારણમાં ફેરફાર કર્યો અને યોગ્ય ચર્ચા કર્યા વિના એકતરફી રીતે પક્ષના વડા પદ પર બેઠા હતા.

ઉદ્ધવ ઠાકરે તેમના જૂથની આંતરિક બાબતોમાં કોઈપણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર

સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિર્ણય ન આવે ત્યાં સુધી અસલી શિવસેના કોની છે? ત્યાં સુધી ચૂંટણી પંચે શિવસેનાના બે જૂથોને અલગ-અલગ નામ અને ચિન્હો સાથે માન્યતા આપી છે. એકનાથ શિંદેના જૂથને બાલાસાહેબચી શિવસેના કહેવામાં આવે છે અને ઉદ્ધવ ઠાકરેના જૂથને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે તેમના જૂથની આંતરિક બાબતોમાં કોઈપણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">