AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ઉદ્ધવ ઠાકરેનો અજિત પવાર પર કટાક્ષ, ભાજપને યાદ અપાવ્યું જૂનું વચન, કહ્યું- કેવી રીતે સંભાળશે નવા મતભેદ?

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો ભાજપે અઢી વર્ષની રોટેશનલ ફોર્મ્યુલા મૂજબ મુખ્યમંત્રી પદ આપવાનું વચન પાળ્યું હોત, તો તેઓએ બીજી પાર્ટી સાથે હાથ મિલાવવાની જરૂર ન પડી હોત. અમિત શાહ અને તેમની વચ્ચે 2019માં નક્કી થયું હતું કે બંને પાર્ટી અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ સંભાળશે.

Maharashtra: ઉદ્ધવ ઠાકરેનો અજિત પવાર પર કટાક્ષ, ભાજપને યાદ અપાવ્યું જૂનું વચન, કહ્યું- કેવી રીતે સંભાળશે નવા મતભેદ?
Uddhav Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 11:46 AM
Share

મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં (NCP) ‘પવાર વિરુદ્ધ પવાર’ ની ટક્કર છે. આ રાજકીય લડાઈ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ અજિત પવાર (Ajit Pawar) પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ રાહ જોઈ રહ્યા છે કે ભાજપ તેના નવા મતભેદોને કેવી રીતે સંભાળે છે. આ કટાક્ષ એવા સમયે કર્યો છે, જ્યારે અજિત પવાર મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં જોડાયા છે અને નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો ભાજપે અઢી વર્ષની રોટેશનલ ફોર્મ્યુલા મૂજબ મુખ્યમંત્રી પદ આપવાનું વચન પાળ્યું હોત, તો તેઓએ બીજી પાર્ટી સાથે હાથ મિલાવવાની જરૂર ન પડી હોત. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમિત શાહ અને તેમની વચ્ચે 2019માં નક્કી થયું હતું કે બંને પાર્ટી અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ સંભાળશે.

PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપ અને PM મોદી પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેમને એક રાષ્ટ્ર અને એક કાયદાને સ્વીકારવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ તેઓ એક રાષ્ટ્ર, એક પક્ષને સ્વીકારવા તૈયાર નથી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હવે પીએમ મોદીનો જાદુ ફિક્કો પડી ગયો છે. કર્ણાટક ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અહીં પીએમ મોદીએ બજરંગ બલી કી જયનો નારો આપ્યો હતો, પરંતુ ભગવાને તેનો જવાબ તેમની ગદાથી આપ્યો હતો.

ધારાસભ્યોને નોટિસ મોકલી જવાબ માંગ્યા

શરદ પવાર અને તેમના ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવાથી એવી અટકળો વધી ગઈ છે કે જો CM એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો ભાજપે ઈમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે. માનવામાં આવે છે કે અજિત પવાર જૂથના સમર્થનને કારણે ભાજપ સરકારમાં ચાલુ રહેશે. અયોગ્યતાનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે લેવાનો છે, જેમણે શનિવારે શિંદે જૂથના 40 ધારાસભ્યો અને ઉદ્ધવના 14 ધારાસભ્યોને નોટિસ મોકલી હતી અને જવાબ મંગાવ્યા હતા.

આ પણ વાંચો : Mumbai : 24 વર્ષના યુવકે 20 વર્ષની યુવતી સાથે રિક્ષામાં કર્યો રેપ, 2 મહિના બાદ UPથી પકડાયો આરોપી

શરદ પવારે શનિવારે નાસિકના યેવલાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વિશ્વાસ કરવામાં ભૂલ કરવા બદલ લોકોની માફી માંગી હતી. છગન ભુજબળે કહ્યું કે, શરદ પવારના પરિવારમાં બળવા માટે તેમને દોષી ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું કે શરદ પવાર, તમે યેવલામાં કેમ આવ્યા? હું તે સમજી શક્યો નથી. હું બળવા માટે જવાબદાર નથી. તે તમારા પરિવારમાં થયું છે. તમે કેટલી જગ્યાએ માફી માગશો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">