AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tarak Mehta Show : તારક મહેતા શોના મેકર્સ અસિત મોદી વિરુદ્ધ મુંબઈ પોલીસે નોંધી FIR, વધી શકે છે મુશ્કેલીઓ

Tarak Mehta Show Controversy : તારક મહેતા શોના નિર્માતાઓની મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઈ પોલીસે અસિત મોદી સહિત શોના અન્ય બે લોકો વિરુદ્ધ FIR નોંધી છે. થોડાં સમય પહેલા આ શોની એક અભિનેત્રીએ મેકર્સ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

Tarak Mehta Show : તારક મહેતા શોના મેકર્સ અસિત મોદી વિરુદ્ધ મુંબઈ પોલીસે નોંધી FIR, વધી શકે છે મુશ્કેલીઓ
Tarak Mehta Show Controversy
| Updated on: Jun 20, 2023 | 10:30 AM
Share

Tarak Mehta Show : દર્શકોનો ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાક સમયથી ખોટા કારણોસર ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી કલાકારો દ્વારા શોના મેકર્સ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. હવે મુંબઈ પોલીસે શોના મેકર્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. શોના નિર્માતા અસિત મોદી, ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : TMKOC : મુનમુન દત્તાએ અસિત મોદી સાથે ઘણી લડાઈઓ કરી, ઘણી વખત TMKOC સેટ છોડી દીધો, મોનિકા ભદોરિયાએ કર્યો ચોંકાવનારો દાવો

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 હેઠળ FIR નોંધવામાં આવી છે. શોની કાસ્ટમાં માત્ર એક અભિનેત્રીએ જ જાતીય સતામણી અંગે ફરિયાદ નોંધાવી છે. અહેવાલો અનુસાર શોની એક અભિનેત્રીએ અસિત મોદી, સોહેલ રામાણી અને જતિન બજાજ પર કાર્યસ્થળ પર Harassmentનો આરોપ લગાવ્યો હતો. પોલીસે અભિનેત્રીનું નિવેદન પણ નોંધ્યું હતું. હવે પોલીસે એફઆઈઆર પણ નોંધી છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

અભિનેત્રીએ મેકર્સ સામે ફરિયાદ નોંધાવી

અહેવાલો અનુસાર અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, શોના નિર્માતા અસિત મોદીએ શો દરમિયાન પહેલા તેની છેડતી કરી હતી. પરંતુ તેણી ચૂપ રહી કારણ કે તેને ડર હતો કે તેને કાઢી મૂકવામાં આવશે. પરંતુ જ્યારે વાત ઘણી આગળ વધી ત્યારે અભિનેત્રીએ મેકર્સ સામે ફરિયાદ નોંધાવી અને અનેક આરોપો લગાવ્યા.

ઘણા કલાકારોએ લગાવ્યા આરોપ

તમને જણાવી દઈએ કે, તારક મહેતા શો સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા બાદ ઘણા લોકોએ શો છોડી દીધો હતો અને મેકર્સ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો. તેમાં તારક મહેતાની ભૂમિકા ભજવનારા શૈલેષ લોઢા, શ્રીમતી સોઢીની ભૂમિકા ભજવનારા જેનિફર મિસ્ત્રી બંસીવાલા અને બાવરીની ભૂમિકા ભજવનારી મોનિકા ભદોરિયાના નામનો સમાવેશ થાય છે. પરંતુ અસિત મોદીએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હવે આ મામલો આગળ શું વળાંક લેશે તે જોવું રસપ્રદ રહેશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">