Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગઢચિરોલીમાં આદમખોર વાઘનો આતંક, અત્યાર સુધીમાં 15 લોકોનુ કર્યુ ભક્ષણ ! વિશેષ ટીમ જોતરાઈ આદમખોરની શોધમાં

વન વિભાગના એક અધિકારીએ (Forest Officer) જણાવ્યું હતું કે," ગઢચિરોલીમાં કુલ 15 લોકોને પોતાનો શિકાર બનાવનાર આદમખોર વાઘની શોધ કરવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે."

ગઢચિરોલીમાં આદમખોર વાઘનો આતંક, અત્યાર સુધીમાં 15 લોકોનુ કર્યુ ભક્ષણ !  વિશેષ ટીમ જોતરાઈ આદમખોરની શોધમાં
Tiger terror in gadchiroli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 3:03 PM

Maharashtra: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આદમખોર વાઘે અત્યાર સુધીમાં 15 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.આ વિસ્તારમાં વાઘના સતત હુમલાના કારણે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આવી સ્થિતિમાં સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રે આ વાઘને પકડવા માટે ખાસ ટીમ તૈયાર કરી છે. આ ટીમ દરરોજ લગભગ 40 કિમી ચાલીને આ વાઘની શોધ કરી રહી છે. અગાઉ નાગજીરા ટાઇગર રિસોર્ટમાંથી વન વિભાગની ટીમ દ્વારા 20 સભ્યોની RRT (rapid response team) બોલાવવામાં આવી હતી.

ગઢચિરોલીમાં આદમખોરનો આતંક

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ગઢચિરોલીમાં અત્યાર સુધી 15 લોકોને મારી નાખનાર વાઘની (Tiger) શોધ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, જંગલમાં દરરોજ લગભગ 40 કિલોમીટર ચાલીને આ વાઘની શોધખોળ કરવામાં આવી રહી છે.પરંતુ અત્યાર સુધી વાઘ પકડમાંથી બહાર છે, તેમજ આ વાઘની હજુ સુધી ઓળખ પણ થઈ શકી નથી. હાલ સ્પેશિયલ સ્કવોડમાં સ્પેશિયલ ટાઈગર પ્રોટેક્શન ફોર્સ અને રેપિડ રેસ્ક્યુ ટીમની (Rascue Team) સંયુક્ત ટીમ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

ખાસ ટીમ અને 150 કેમેરાની મદદથી વાઘની શોધ કરવામાં આવી રહી છે

ઉલ્લેખનીય છે કે, માનવભક્ષી વાઘને પકડવા માટે, વિશેષ ટીમે આ કામગીરીમાં લગભગ 150 કેમેરા ટ્રેપ(Camera Trap)  લગાવ્યા છે. આ સાથે, ડ્રોન દ્વારા પણ તેને પકડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સિવાય ખાસ ટીમ વાઘને શોધવા માટે સ્થાનિક ગ્રામજનોની મદદ પણ લઈ રહી છે.

એક અધિકારીએ (Forest Officer) જણાવ્યુ હતુ કે, ટીમ દિવસ-રાત માનવભક્ષી વાઘને પકડવાનો સતત પ્રયાસ કરી રહી છે. જો કે ગઢચિરોલી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે આ કામગીરી વધુ મુશ્કેલ બની છે. મળતી માહિતી મુજબ, ગઢચિરોલીના જંગલોમાં 32 વાઘ છે. આથી આદમખોર વાધને પકડવો મુશ્કેલ બન્યુ છે.

આ પણ વાંચો: Maharashtra Rain: આગામી 48 કલાક મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, મુંબઈ સહિત આ જીલ્લાઓમાં IMDએ જાહેર કર્યું એલર્ટ

આ પણ વાંચો: Mumbai Local Train: મુંબઈ લોકલ દરેક માટે ક્યારે શરૂ થશે? જાણો શું કહી રહ્યા છે રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">