Maharashtra : ‘મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને BJP દબાણમાં’, શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર કર્યા પ્રહાર

સંજય રાઉતે કહ્યુ કે, મરાઠી હિતોની વાત કરવી એ કેન્દ્ર સરકારનું બેવડું ચરિત્ર દર્શાવે છે. તેઓ દુકાનોના નામ મરાઠીમાં લખવાનો વિરોધ કરે છે અને મરાઠી હિતોની વાત કરે છે, કેન્દ્ર સરકારનું આ દંભી વલણ છે.

Maharashtra : 'મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને BJP દબાણમાં', શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર કર્યા પ્રહાર
Shivsena Leader Sanjay Raut (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 3:54 PM

Maharashtra : શિવસેનાના ઉપનેતા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે આજે ત્રીજા દિવસે પણ આવકવેરાના દરોડા શરૂ થયા છે. ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanajy Raut) ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે કહ્યું,”મને લાગે છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ ‘આવક’ અને ‘ટેક્સ’ છે. ભાજપ શાસિત રાજ્યોમાં (BJP Government) કોઈ આવક નથી અને ટેક્સ પણ નથી.

કેન્દ્રીય તપાસ એજન્સીઓને મહારાષ્ટ્રમાં જ કામ મળી ગયુ..!

મુંબઈમાં નગરપાલિકાની ચૂંટણી (Mumbai Election) આવી રહી છે.આથી કેન્દ્રીય તપાસ એજન્સીઓને મહારાષ્ટ્રમાં જ કામ મળી ગયુ છે. તેઓ જે શોધવા માગે છે તે તેમને શોધવા દો. તમે શોધતા જ રહેશો,જનતા જોઈ રહી છે.મહારાષ્ટ્ર સૌથી વધુ ટેક્સ ચૂકવે છે.મહારાષ્ટ્રની જનતાને હેરાન કરવાનું કામ શરૂ થઈ ગયું છે. અમે આ બધું સહન કરીશું પણ મહારાષ્ટ્ર ઝુકશે નહીં.

ભાજપ માત્ર દુકાનોમાં મરાઠી બોર્ડ લગાવવાની વાત કરે છે

આ સિવાય સંજય રાઉતે કહ્યુ કે, મરાઠી હિતોની વાત કરવી એ કેન્દ્ર સરકારનું બેવડું ચરિત્ર દર્શાવે છે. સંજય રાઉતે કહ્યું કે તેઓ મરાઠી ભાષાને ચુનંદા ભાષાનો દરજ્જો આપતા નથી, દુકાનોના નામ મરાઠીમાં લખવાનો વિરોધ કરે છે અને મરાઠી હિતોની વાત કરે છે.કેન્દ્ર સરકારનું આ દંભી વલણ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભાજપે ઠાકરે સરકારના દુકાનદારોને તેમની દુકાનોના નામ મરાઠીમાં લખવાના આદેશનો વિરોધ કર્યો છે.આ અંગે સંજય રાઉતે કહ્યુ કે,’ભાજપના વર્તને હંમેશા બેવડા પાત્રને ઉજાગર કર્યું છે.મરાઠી લોકોને આર્થિક નુકસાન પહોંચાડે છે.મરાઠી લોકોના હાથમાં પૈસા નથી,જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં પરિવર્તનનો પવન :સંજય રાઉત

રવિવારે મુંબઈમાં સજય રાઉત પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.તેમણે કહ્યુ’અમે ઉત્તર પ્રદેશથી આવ્યા છીએ.આદિત્ય ઠાકરે પણ પ્રચાર માટે ગયા હતા.ઉત્તર પ્રદેશમાં પરિવર્તન આવી રહ્યું છે. લોકોએ સત્તા બદલવાનું મન બનાવી લીધું છે.હાલ અખિલેશ યાદવની તરફેણમાં વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં પરિવર્તન જોવા મળશે. તેમજ અખિલેશ યાદવની સત્તા આવશે.

આ પણ વાંચો : દિશા સલિયનના મૃત્યુ સંબંધિત કેસમાં ખોટા આરોપ બદલ ફસાયા આ કેન્દ્રીય મંત્રી, મુંબઈમાં FIR દાખલ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">