ઢાકા જઈ રહેલા વિમાનમા પાઈલોટને આવ્યો હાર્ટ એટેક, નાગપુરમાં વિમાને કર્યુ ઈમરજન્સી લેન્ડિંગ

અધિકારીએ જણાવ્યું કે આ બોઇંગ વિમાનમાં 126 મુસાફરો હતા. વિમાને સવારે 11:40 વાગ્યે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું અને પાયલોટને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

ઢાકા જઈ રહેલા વિમાનમા પાઈલોટને આવ્યો હાર્ટ એટેક, નાગપુરમાં વિમાને કર્યુ ઈમરજન્સી લેન્ડિંગ
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 10:00 PM

બીમાન બાંગ્લાદેશ એરલાઇન્સની મસ્કતથી ઢાકા (Dhaka) જઈ રહેલા એક વિમાનના પાયલોટને શુક્રવારે હાર્ટ એટેક આવ્યો હતો, જેના પગલે વિમાનને નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. એરપોર્ટના એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે આ બોઇંગ વિમાનમાં 126 મુસાફરો સવાર હતા. ફ્લાઈટ ટ્રેકીંગ એપ ફ્લાઈટ24 મુજબ વિમાન બોઈંગ 737 -8 હતું. આ વિમાનને સવારે 11:40 વાગ્યે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને પાયલોટને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

ATS એ નાગપુરમાં પ્લેનને ઉતારવાની સલાહ આપી

તેમણે કહ્યું કે જ્યારે કોલકાતા એટીસીનો ઇમરજન્સી લેન્ડિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, તે સમયે વિમાન રાયપુર નજીક હતું. ત્યારબાદ તેને નજીકના નાગપુર એરપોર્ટ પર ઉતરવાની સલાહ આપવામાં આવી હતી. બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ દ્વારા તાજેતરમાં જ ભારત માટે ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે બંને દેશો વચ્ચે હવાઈ મુસાફરી સેવા સ્થગિત કરવામાં આવી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બુધવારે પણ આવી જ એક ઘટના સામે આવી હતી.

બિહારના બક્સરમાં બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ટેકનિકલ ખામીને કારણે એરફોર્સ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરને માણિકપુર હાઈસ્કૂલના મેદાનમાં ઉતારવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં વાયુસેનાના જવાનોની હાજરી વિશે માહિતી છે. અત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી. લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં એરફોર્સના 20 જવાનો સવાર હતા.

તેમાંથી બે ક્લાસ વન અધિકારીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બાકીના કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને એસઆઈ રેન્કના કર્મચારીઓ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરે અલ્હાબાદથી બિહટા માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે તે બક્સરના ધનસોઇ પોલીસ સ્ટેશનના માનિકપુર ગામની હાઇસ્કૂલમાં ઉતર્યું હતું.  વિમાનમાં હાજર તમામ અધિકારીઓ સુરક્ષિત હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો : Maharashtra : રાજકીય ડ્રામા બાદ નારાયણ રાણેની આજથી ફરી જન આશિર્વાદ યાત્રા શરૂ, કલમ 144 લાગુ હોવા છતા પણ પહોંચશે સિંધુદુર્ગ !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">