AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ, થાણે કોર્ટે અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ

થાણે કાર્ટે આ મામલાની સુનાવણી કરતા પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યુ છે, તેમજ ભૂતપૂર્વ કમિશનરને થાણે કોર્ટમાં 15 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ (Personal Bond) ભરવા આદેશ કર્યો છે.

Mumbai : પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ, થાણે કોર્ટે અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ
Parambir Singh (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 6:41 PM
Share

Parambir Singh Case: થાણેની એક કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ રદ કર્યું છે. પરમબીર સિંહ હાજર થતા તેમની સામેનું બિનજામીનપાત્ર વોરંટ રદ (Non-bailable warrant) કરવામાં આવ્યું છે. કોર્ટે વોરંટ રદ કરતાં પરમબીર સિંહને કોર્ટે થાણે પોલીસને (Thane Police) તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે પરમબીર સિંહને 15,000 રૂપિયાના અંગત બોન્ડ ભરવા માટે પણ કહ્યું છે.

કોર્ટે પરમબીર સિંહને અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ

તમને જણાવી દઈએ કે કોર્ટે પરમબીર સિંહને પર્સનલ બોન્ડ ફાઈલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. બિનજામીનપાત્ર વોરંટ રદ થયા બાદ પરમબીર થાણે નગર પોલીસ સ્ટેશન (Thane Police Station) જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ કમિશનરે નીચલી અદાલતમાં તેમની સામેના બિન જામીનપાત્ર વોરંટને રદ કરવા અને તેમને ભાગેડુ જાહેર કરવાના આદેશને રદ કરવા માગણી કરી હતી.

થાણે કાર્ટે આ મામલાની સુનાવણી કરતા પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ કરી દીધું છે. તેમજ ભૂતપૂર્વ કમિશનરે થાણે કોર્ટમાં 15 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ (Personal Bond) ભરવાના રહેશે. પરમબીર સિંહ લાંબા સમયથી ગુમ હતા, જેથી કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યા હતા.

ખંડણી કેસમાં ફસાયા મુંબઈના પૂર્વ કમિશનર

લાંબા સમય બાદ બુધવારે પોતાનું મૌન તોડતા મુંબઈના પૂર્વ કમિશનરે કહ્યું કે તેઓ ચંડીગઢમાં છે. ઉપરાંત તેણે ટૂંક સમયમાં તેની સામેના કેસોની તપાસમાં પણ સામેલ થવા જણાવ્યુ હતુ. જે બાદ તેઓ ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં પરમબીર સિંહ ખંડણીના એક કેસમાં ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા અને ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો : 26/11 Mumbai Attack : જાબાઝ સૈનિક ! ભારતીય સેના સાથે આ અમેરિકન સૈનિકે 157 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા

આ પણ વાંચો : Parambir Singh Case: ભાગેડુ દરજ્જો રદ કરવા પરમબીર કોર્ટના શરણે, આજે ચાંદીવાલ કમિશન સમક્ષ થઈ શકે છે હાજર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">