ઠાકરે જૂથ 21, NCP 19, કોંગ્રેસ 8 બેઠકો પર ચૂંટણી લડશે, લોકસભા ચૂંટણી માટે MVAની ખાસ ફોર્મ્યુલા

Loksabha Election 2024:મહાવિકાસ આઘાડીની ફોર્મ્યુલા હેઠળ ઠાકરે જૂથ મુંબઈની છમાંથી ચાર બેઠકો પર, કોંગ્રેસ એક પર અને એનસીપી એક બેઠક પર ચૂંટણી લડશે.

ઠાકરે જૂથ 21, NCP 19, કોંગ્રેસ 8 બેઠકો પર ચૂંટણી લડશે, લોકસભા ચૂંટણી માટે MVAની ખાસ ફોર્મ્યુલા
Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 12:43 PM

MVA Seat sharing Formula: આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી માટે મહા વિકાસ અઘાડીની સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 48 બેઠકોમાંથી ઠાકરે જૂથ 21 બેઠકો પર, NCP 19 બેઠકો પર અને કોંગ્રેસ 8 બેઠકો પર ચૂંટણી લડશે. સ્વાભાવિક છે કે કોંગ્રેસ પક્ષમાંથી અસંતોષના અવાજો બહાર આવશે. કારણ કે સમાચાર એવા પણ છે કે પાંચથી છ બેઠકો એવી છે જેમાં સર્વસંમતિ સધાઈ નથી.

આથી આ પાંચ-છ બેઠકોની અદલાબદલી થઈ શકે છે અને 10 બેઠકો પર કોંગ્રેસને મનાવી લેવાનો અંદાજ છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા પેટાચૂંટણીમાં અને વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપ સામે મહાવિકાસ અઘાડીના સંયુક્ત ઉમેદવારોએ મેળવેલી સફળતાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે સત્તામાં પાછા આવવાનું સપનું જો જોવાનું હોય તો. ત્રણેય એકસાથે આવવું પડશે.. અલગ રહેવાથી તે અત્યારે અશક્ય છે.

મુંબઈમાં ઠાકરે જૂથ 6માંથી 4 બેઠકો પર, કોંગ્રેસ 1 પર, એનસીપી 1 પર ચૂંટણી લડશે

મુંબઈની વાત કરીએ તો, ઠાકરે જૂથ તેની છમાંથી ચાર બેઠકો પર, એક પર કોંગ્રેસ અને એક બેઠક પર એનસીપી ચૂંટણી લડશે. બીજી તરફ ભાજપ પણ ત્રીજી વખત સત્તા સ્થાપવા માટે પુરી તાકાત લગાવવા જઈ રહી છે. ભાજપે આ વખતે પોતાની રણનીતિમાં ઘણા ફેરફાર કર્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 2024માં દૃશ્ય ઘણું અલગ છે

2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં દૃશ્ય ઘણું અલગ છે. ગત વખતે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું. આ વખતે પણ ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન છે, પરંતુ તે એકનાથ શિંદેની શિવસેના છે. ઠાકરે જૂથ મહાવિકાસ આઘાડી સાથે છે. એટલે કે મહારાષ્ટ્રમાં હિન્દુત્વના મતનું વિભાજન થયું છે. ગત વખતે 48માંથી ભાજપે 23 બેઠકો જીતી હતી. શિવસેનાને 18 બેઠકો મળી હતી. એનસીપીને 4 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસ અને એમઆઈએમને 1-1 બેઠક મળી હતી.

ભાજપે 48માંથી 45 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે

ભાજપે આ વખતે 48 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આવી સ્થિતિમાં ભાજપની નજર ઠાકરે જૂથની બેઠકો પર રહેશે તે સ્પષ્ટ છે. બીજી તરફ ઠાકરે જૂથની બેઠકોને કોંગ્રેસ અને એનસીપીનું સમર્થન મળશે. આ વખતે જે નવી વાત દેખાઈ રહી છે તે એ છે કે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઠાકરે જૂથને સમર્થન આપવા આગળ આવી રહ્યા છે. આ પહેલા ભાગ્યે જ બન્યું છે.

આ વખતે દરેક પક્ષ માટે પડકાર અલગ-અલગ છે

આ ચૂંટણી દરેક પક્ષ માટે પોતપોતાના દૃષ્ટિકોણથી ખાસ છે. ઠાકરે જૂથે તેની સત્તા પાછી લાવવી પડશે, નહીં તો અસ્તિત્વનું સંકટ છે. ભાજપે હિન્દુત્વના મતને વિભાજનથી બચાવવા છે. ભાજપે સાબિત કરવું પડશે કે મહારાષ્ટ્રમાં પણ પીએમ મોદીના નામનો ઉપયોગ થાય છે અને ઠાકરે જૂથનો દાવો સંપૂર્ણપણે સાચો નથી કે મહારાષ્ટ્રમાં આવ્યા પછી ભાજપ બાળાસાહેબ ઠાકરેનું નામ લીધા વિના ટકી શકશે નહીં. જો બાળાસાહેબ ઠાકરેનું નામ એટલું જ મહત્ત્વનું છે તો ચૂંટણી પંચે શિંદે જૂથને શિવસેનાનું નામ અને પ્રતીક પહેલેથી જ આપી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે તે મતદારોના દિલમાં ક્યાં સુધી પ્રવેશ કરે છે.

એનસીપી માટે આ ચૂંટણી જરૂરી છે કારણ કે શરદ પવારને દેશના સૌથી ઊંચા નેતાઓમાંના એક તરીકે વારંવાર રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે NCP મહારાષ્ટ્રમાં માત્ર અમુક વિસ્તારો પૂરતો મર્યાદિત છે. સૌથી પહેલા તો તેણે મહારાષ્ટ્ર પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવું જોઈએ. કોંગ્રેસ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું તે આ વખતે એનસીપી અને ઠાકરે જૂથની તાકાતથી ડિલિવરી કરી શકશે કે મહારાષ્ટ્રમાં ધીમે ધીમે ઓસરી જશે?

આ પણ વાંચો : Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો, હવે પૂર્વ આરોગ્ય મંત્રી દીપક સાવંત પકડશે એકનાથ શિંદેનો હાથ

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">