AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: શું કોંગ્રેસી નેતા સંજય નિરુપમ પોતાની મહા વિકાસ અઘાડી સરકારથી નારાજ છે? આપ્યુ આ નિવેદન

અમારી સંલગ્ન ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા સંજય નિરુપમે (Sanjay Nirupam) કહ્યું, આશ્ચર્યની વાત એ છે કે, ઔરંગાબાદમાં રેલી સાથે જોડાયેલી 16 શરતોમાંથી રાજ ઠાકરેએ 12 શરતો અને નિયમોનું ઉલ્લંઘન કર્યું, તેમ છતાં તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

Maharashtra: શું કોંગ્રેસી નેતા સંજય નિરુપમ પોતાની મહા વિકાસ અઘાડી સરકારથી નારાજ છે? આપ્યુ આ નિવેદન
Raj Thackeray - Uddhav Thackeray (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 6:02 PM
Share

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે (Sanjay Nirupam Congrss) પોતાની જ મહા વિકાસ અઘાડી સરકાર પર પ્રહારો કર્યા છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન વાળી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ઠાકરે સરકાર મનસે પ્રમુખ રાજ ઠાકરેથી ડરે છે. તેથી જ તે તેમના પર કાર્યવાહી કરતી નથી. સંજય નિરુપમે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર પાસે માગ કરી છે કે 1 મેના રોજ રાજ ઠાકરેની ઔરંગાબાદ રેલીમાં સમાજમાં બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવા બદલ કડક પગલાં લેવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે.

અમારી સંલગ્ન ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા સંજય નિરુપમે કહ્યું, આશ્ચર્યની વાત એ છે કે, ઔરંગાબાદ રેલી સાથે જોડાયેલી 16 શરતોમાંથી રાજ ઠાકરેએ 12 શરતો અને નિયમોનું ઉલ્લંઘન કર્યું, તેમ છતાં તેમની સામે નાની કલમો લગાવીને કેસ નોંધવામાં આવ્યો. તે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં તેને સરળતાથી જામીન મળી શકે. આ રીતે ખાનગી રીતે સરકારને કોઈ પડકારે તો સરકારનો ડર ખતમ થઈ જાય. આવી સ્થિતિમાં કોઈપણ સમયે પ્રજાની લાગણી ભડકાવીને રાજ્યમાં કોમી તંગદિલી સર્જી શકે છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પડકાર ઊભો કરી શકે છે.

મુંબઈ પોલીસની નબળી કાર્યવાહી પર પણ જોરદાર રીતે પ્રહાર કરવામાં આવ્યો

સંજય નિરુપમે પણ મુંબઈ પોલીસની કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. નિરુપમે કહ્યું કે રાજ્યની બે અદાલતોએ તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. તેમ છતાં મુંબઈ પોલીસ તેમના પર કાર્યવાહી કરવામાં આનાકાની કરી રહી છે. મુંબઈ પોલીસ આવું કેમ કરી રહી છે? સંજય નિરુપમે કહ્યું કે જે કોઈ કાયદો અને વ્યવસ્થાને પડકારશે તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. પરંતુ ઠાકરે સરકાર આમ કરવામાં નિષ્ફળ રહી છે. મતલબ કે ઠાકરે સરકાર રાજ ઠાકરેથી ડરે છે.

રાજ ઠાકરેએ 1 મેના રોજ તેમની ઔરંગાબાદ રેલીમાં મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો 3 તારીખ પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તેમના મનસે કાર્યકર્તાઓ મસ્જિદોની સામે બેવડા અવાજમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે.

Follow Us
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">