AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: શેવગાંવમાં સંભાજી મહારાજની જન્મજયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ, 4 પોલીસકર્મી ઘાયલ

આ ઘટના ત્યારે બની જ્યારે છત્રપતિ સંભાજી મહારાજ જયંતિ નિમિત્તે શોભાયાત્રા શહેરના છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર પહોંચી. સાંજે 5.30 કલાકે શહેરમાં શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.

Maharashtra: શેવગાંવમાં સંભાજી મહારાજની જન્મજયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ, 4 પોલીસકર્મી ઘાયલ
Stones Pelted During Procession
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 8:42 AM
Share

મહારાષ્ટ્રના (Maharashtra) અહમદનગરના શેવગાંવ શહેરમાં છત્રપતિ સંભાજી મહારાજ જયંતી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દરમિયાન પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ પથ્થરમારામાં 4 પોલીસકર્મી ઘાયલ થયા હતા. તે જ સમયે, ઘણા સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે. મોટા પાયે તોડફોડ અને વાહનોને નુકસાન થયું છે. રમખાણો બાદ દરેક જગ્યાએ ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. સ્થિતિ વણસતી જોઈને નેવાસાથી વધારાની પોલીસ ફોર્સ બોલાવીને તૈનાત કરવામાં આવી છે. પોલીસ સતત સામાન્ય નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી રહી છે અને પથ્થરબાજોની શોધખોળ ચાલુ છે.

સરઘસ છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં પહોંચ્યું હતું ત્યારે પથ્થરમારો શરૂ થયો

તમને જણાવી દઈએ કે આ ઘટના ત્યારે બની જ્યારે છત્રપતિ સંભાજી મહારાજ જયંતિ નિમિત્તે શોભાયાત્રા શહેરના છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર પહોંચી. સાંજે 5.30 કલાકે શહેરમાં શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. એવું કહેવાય છે કે રાત્રે લગભગ આઠ વાગે સરઘસ છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં પહોંચ્યું હતું ત્યારે અચાનક જ સરઘસની દિશામાં પથ્થરમારો શરૂ થયો હતો.

આ પણ વાંચો : Karnataka Election Result: ‘કર્ણાટકમાં કોંગ્રેસની જીત ઝાંખી, મહારાષ્ટ્ર અને દેશ હજુ બાકી’, સંજય રાઉતે કહ્યું ‘મોદી લહેર હવે ખત્મ’

અચાનક પથ્થરમારાના કારણે ગભરાટ ફેલાયો

પથ્થરમારાની આ અચાનક ઘટના બાદ શોભાયાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી. ધીમે ધીમે સરઘસ પર પથ્થરમારો વધતો ગયો. લોકો ઝડપથી અહી દોડવા લાગ્યા અને સ્થળ પર નાસભાગ મચી ગઈ. હંગામાને કારણે વેપારીઓએ સ્થળ પર જ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. તે જ સમયે, ભીડે વાહનો પર પથ્થરમારો પણ કર્યો અને મોટા પાયે તોડફોડ કરી. કેટલીક દુકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બીજી તરફ, જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ ઓલા, નાસિકના વિશેષ મહાનિરીક્ષક બીજી શેખર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

મહારાષ્ટ્રના અકોલામાં શનિવારે મોડી રાત્રે બદમાશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બંને જૂથ વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો. એકબીજા પર લાકડીઓ અને સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. 100 થી વધુ બાઇક સવારો અચાનક રસ્તા પર આવી ગયા હતા. પોલીસ પણ નિઃસહાય દેખાતી હતી. જો કે રવિવારે સવારે પોલીસની અનેક ટીમ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ હિંસામાં એક વ્યક્તિના મોતના સમાચાર પણ છે.

મહારાષ્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">