MAHARASHTRA : ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, કોરોનામુક્ત વિસ્તારોમાં ધોરણ-8 થી 12ની શાળાઓ શરૂ થશે

School Reopen in Maharashtra :મહારાષ્ટ્રના શાળા શિક્ષણ વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, કોરોનામુક્ત વિસ્તારો અને ગ્રામ પંચાયતોના નિયંત્રણ હેઠળના ગામોની શાળાઓમાં 8 થી 12 સુધી વર્ગો શરૂ કરવામાં આવશે.

MAHARASHTRA : ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, કોરોનામુક્ત વિસ્તારોમાં ધોરણ-8 થી 12ની શાળાઓ શરૂ થશે
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 10:21 PM

MUMBAI : મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઘટતાંની સાથે જ અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોરોનાકાળ દરમિયાન બંધ રહેલી શાળાઓને ફરીથી ખોલવાનું કામ શરૂ કરાયું છે. હવે કોરોનામુક્ત વિસ્તારોમાં 8 થી 12 સુધી શાળાઓ શરૂ થશે.

મહારાષ્ટ્રના શાળા શિક્ષણ વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, કોરોનામુક્ત વિસ્તારો અને ગ્રામ પંચાયતોના નિયંત્રણ હેઠળના ગામોની શાળાઓમાં 8 થી 12 સુધી વર્ગો શરૂ કરવામાં આવશે.પરંતુ આને લગતા નિર્ણય લેવાનો અધિકાર ગ્રામ પંચાયતોને આપવામાં આવ્યો છે. એટલે કે પરિસ્થિતિઓને જોતા તેઓ નિર્ણયો લઈ શકશે.

આ માટે ગ્રામ પંચાયતોને શાળા શરૂ કરતા પહેલા વાલીઓ સાથે વાત કરવા સૂચના આપવામાં આવી છે. આ સથે જ વિદ્યાર્થીઓને એક સાથે ન બોલાવવા પરંતુ તબક્કાવાર રીતે બોલાવવા કહ્યું છે. અઠવાડિયાના દિવસો પર એકતારાએઅથવા સવાર અને બપોરે બે પાળી જેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેનાથી સામાજિક અંતર જળવાઈ રહે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

એક બેંચ પર એક જ વિદ્યાર્થી બેસશે શાળાઓએ કોરોના નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવી પડશે. સરકાર દ્વારા જણાવવામાં આવેલા નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે. એક બેંચ પર ફક્ત એક જ વિદ્યાર્થીને બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ. બે વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું જરૂરી છે.

એક રૂમમાં વધુમાં વધુ 15 થી 20 વિદ્યાર્થીઓ હોવા જોઈએ. વારંવાર સાબુથી હાથ ધોવાના નિયમનું પાલન કરવું,માસ્ક નો ઉપયોગ કરવો, જો કોઈ લક્ષણો જોવા મળે તો વિદ્યાર્થીને ઘરે મોકલવા અને તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવવો જેવા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

શાળાઓ માટે મહત્વપૂર્ણ નિર્દેશો અપાયા સરકાર દ્વારા અપાયેલી સૂચના મુજબ જો શક્ય હોય તો સંબંધિત શાળાઓના શિક્ષકોની રહેવાની વ્યવસ્થા જ્યાં શાળા હોય ત્યાં જ કરવી જોઇએ. આ સાથે, જાહેર પરિવહન દ્વારા તેમને મુસાફરી કરતા રોકવા પણ જરૂરી છે. શાળા પરિસરમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. શાળાઓમાં સેનિટાઇઝર, સાબુ જેવી ચીજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત થવી જોઈએ.

નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો શાળાને ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે ચલાવવામાં આવી રહી હોય, તો ક્વોરેન્ટાઇન સેન્ટર અન્યત્ર સ્થળે ખસેડવું જોઈએ અને શિક્ષણકાર્ય શરૂ કરતા પહેલાં શાળાના પરિસરને સેનિટાઈ કરવું જોઈએ.જો ક્વોરેન્ટાઇન સેન્ટર અન્યત્ર લેવાનું શક્ય ન હોય, તો વર્ગો ખુલ્લા સ્થળોએ અથવા બીજે ક્યાંક યોજવા જોઈએ. શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવો પણ જરૂરી છે. તેમનો RAT અથવા RTPCR ટેસ્ટ થવો જરૂરી છે.

આ પણ વાંચો : CBSE નો મોટો નિર્ણય, હવે વર્ષમાં બે વાર લેવાશે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ 

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">