વાજપેયી હિન્દુત્વવાદી હતા પરંતુ કટ્ટરપંથી ન હતા, ‘સબકા સાથ સબકા વિકાસ’ વાક્ય તેમને સૂટ કરે છે, સંજય રાઉતનું નિવેદન

સંજય રાઉતે કહ્યું કે વાજપેયીજીએ કહ્યું હતું કે 'હિંદુ અબ માર નહીં ખાયેગા', પરંતુ તેનો અર્થ એવો નહોતો કે 'કોઈ ઔર માર ખાયેગા'.

વાજપેયી હિન્દુત્વવાદી હતા પરંતુ કટ્ટરપંથી ન હતા, 'સબકા સાથ સબકા વિકાસ' વાક્ય તેમને સૂટ કરે છે, સંજય રાઉતનું નિવેદન
Sanjay Raut And Atal Bihari Vajpayee (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 7:12 PM

અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) હિન્દુત્વવાદી હતા, પરંતુ તેઓ કટ્ટરપંથી ન હતા. આ દેશ બધાનો છે. દેશની એકતા જળવાઈ રહેવી જોઈએ. આ ભાવનાને લઈને ચાલી રહ્યા હતા. આ જ કારણ છે કે જનતા તેમને એક પક્ષના નેતા નહીં, પરંતુ સમગ્ર દેશના નેતા માને છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ વાક્ય તેમને જ શોભા આપે છે. આ શબ્દોમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) ભારત રત્ન દિવંગત પૂર્વ વડાપ્રધાન અને ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા. સંજય રાઉત શનિવારે મુંબઈમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે આ નિવેદન અટલ બિહારી વાજપેયીની 97મી જન્મજયંતિના અવસર પર આપ્યું હતું.

રાઉતે વાજપેયીની તુલના પંડિત જવાહરલાલ નેહરુ સાથે કરતા કહ્યું કે “નેહરુ પછી સાચા અર્થમાં લોકપ્રિય નેતા વાજપેયીજી જ હતા. એક મહાન સંસદસભ્ય અને મહાન માનવી બનવું શું છે, તે વાજપેયીજીએ તેમના આચરણ અને કાર્યો દ્વારા બતાવ્યું. તેમણે ક્યારેય હિંદુત્વના વિચારો સાથે સમાધાન કર્યું નથી. વાજપેયીજીએ કહ્યું હતું કે, ‘હિંદુ અબ માર નહી ખાયેગા’, પરંતુ તેનો અર્થ એવો નહોતો કે ‘કોઈ ઔર માર ખાયેગા’. આ દેશ દરેકનો છે. દેશની એકતા ટકી રહેવી જોઈએ. આ વિચાર તેમનો હતો. તેમણે તેમના કાર્યો દ્વારા બતાવ્યું કે કેવી રીતે ધર્માંધ થયા વિના હિન્દુત્વની રાજનીતિ કરી શકાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

‘અટલ બિહારી વાજપેયી સમન્વયવાદી હતા, બધાને સાથે લઈને ચાલતા હતા’

સંજય રાઉતે વધુમાં કહ્યું કે ‘અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ભાજપના બે મુખ્ય સ્તંભ હતા. શિવસેના-ભાજપનું ગઠબંધન અટલ બિહારી વાજપેયીના સમયમાં થયું હતું. તે સમયે અટલ બિહારી વાજપેયી બાલાસાહેબ ઠાકરેની સલાહ લઈને નિર્ણય લેતા હતા. તેઓ એક સમન્વયવાદી હતા, બધાને સાથે લઈને ચાલતા તેમને આવડતું હતું. વર્તમાન સમયમાં તેમના વિચારોની અવગણના ન કરવી જોઈએ, એવી આશા રાખું છું.

‘ભાજપના લોકો તેમના નેતા અને પીએમ મોદીની વાત પણ સાંભળી રહ્યા નથી’

ઓમિક્રોનના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવા નિયંત્રણો લાગુ કર્યા છે. પરંતુ આના પર રાજનીતિ થઈ રહી છે તેમ કહીને સંજય રાઉતે ભાજપના નેતાઓને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે ‘દેશના નિષ્ણાતો અને ડૉક્ટર્સ ઓમિક્રોનના જોખમો વિશે સતત ચેતવણી આપી રહ્યા છે. પરંતુ ભાજપના નેતાઓ આ વાત સમજી રહ્યા નથી. બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે આરોગ્ય વિભાગ સાથે મહત્વની બેઠક યોજી હતી. તેમણે કોરોનાના ફેલાવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ ભાજપના લોકો તેમના નેતાની વાત પણ સાંભળવા માંગતા નથી તો મહારાષ્ટ્ર ભાજપ અને રાષ્ટ્રીય ભાજપને ભગવાન બચાવે.

આ પણ વાંચો :  કોરોનાનો કહેર યથાવત : મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસમાં ઉછાળો, તંત્રની વધી ચિંતા

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">