AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાગ સોમૈયા ભાગ! શિવસેનાના સાંસદ સંજય રાઉતે ‘Save INS Vikrant’ કેસમાં બીજેપી નેતા કિરીટ સોમૈયા પર સાધ્યું નિશાન

BJP vs Shivsena: મુંબઈ પોલીસે કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયાને પૂછપરછ માટે ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. પરંતુ બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા ન હતા. તેના પર સંજય રાઉતે સોમૈયા પિતા-પુત્ર પર નિશાન સાધ્યું છે.

ભાગ સોમૈયા ભાગ! શિવસેનાના સાંસદ સંજય રાઉતે 'Save INS Vikrant' કેસમાં બીજેપી નેતા કિરીટ સોમૈયા પર સાધ્યું નિશાન
Sanjay Raut & Kirit Somaiya
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 7:48 PM
Share

મહારાષ્ટ્ર બીજેપી નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya BJP) અને તેમના પુત્ર નીલ સોમૈયાને મુંબઈ પોલીસ (Mumbai Police) તરફથી સમન્સ મોકલવામાં આવ્યા છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર નૌકાદળના જહાજ INS વિક્રાંતને બચાવવા અને તેને યુદ્ધ મ્યુઝિયમ બનાવવા માટે સેવ INS વિક્રાંત અભિયાનના નામ પર કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. કિરીટ સોમૈયાની આગેવાની હેઠળ જમા કરાયેલા આ નાણાં તેઓએ પચાવી લીધા હતા. સંજય રાઉતના જણાવ્યા અનુસાર, 2013-14માં કિરીટ સોમૈયાએ દાવો કર્યો હતો કે તેઓ રાજ્યપાલ પાસે પૈસા જમા કરાવશે. આરટીઆઈ દ્વારા મળેલી માહિતી મુજબ રાજભવનમાં આ નામે કોઈ રકમ જમા કરવામાં આવી નથી. આ મામલે તપાસ કરવા માટે મુંબઈ પોલીસે કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયાને સમન્સ પાઠવ્યા છે.

મુંબઈ પોલીસે કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયાને પૂછપરછ માટે ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. પરંતુ બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા ન હતા. તેના પર સંજય રાઉતે સોમૈયા પિતા-પુત્ર પર નિશાન સાધ્યું છે. સોમૈયા પિતા-પુત્ર ફરાર છે. આ બંને મિલ્ખા સિંહ કરતા પણ વધુ ઝડપથી દોડી રહ્યા છે. ઓકે ભાગ સોમૈયા ભાગ!” આ ટ્વિટ કરીને સંજય રાઉતે સોમૈયા પિતા-પુત્ર પર નિશાન સાધ્યું છે.

મુંબઈ પોલીસે સમન્સ મોકલ્યું, સોમૈયા પિતા-પુત્ર પૂછપરછ માટે હાજર ન થયા

આ કેસમાં ધરપકડની શક્યતાને ધ્યાનમાં રાખીને કિરીટ સોમૈયા પિતા-પુત્ર બંને આગોતરા જામીન માટે મુંબઈ સેશન્સ કોર્ટમાં પહોંચ્યા છે. તેમની અરજી પર આવતીકાલે (સોમવાર, 11 એપ્રિલ) સુનાવણી થવાની છે. તેમના વકીલ હૃષીકેશ મુંદરગીએ જણાવ્યું હતું કે કિરીટ સોમૈયા પૂછપરછ માટે હાજર થઈ શક્યા નથી કારણ કે તેમને ચોવીસ કલાકથી ઓછો સમય આપવામાં આવ્યો હતો. તેઓ પૂર્વ આયોજિત કાર્યક્રમ હેઠળ દિલ્હીમાં છે.

કિરીટ સોમૈયા અને નીલ સોમૈયા વિરુદ્ધ બુધવારે રાત્રે મુંબઈના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં 57 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવા બદલ FIR નોંધવામાં આવી છે. આ પૈસા વિક્રાંતને ભંગારમાં જતા બચાવવા અને તેને મ્યુઝિયમ બનાવવા માટે જમા કરવામાં આવ્યા હતા. પરંતુ સોમૈયાએ ભારતના સ્વાભિમાન અને સન્માનના પ્રતિક વિક્રાંતના નામે જમા કરાયેલા નાણાંની ઉચાપત કરી હતી. ટ્રોમ્બે પોલીસે આ આરોપ અંગે પૂછપરછ કરવાની છે.

આ પણ વાંચો :  લાઉડસ્પીકર વિવાદ યથાવત : MNSએ શિવસેના ભવનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">