AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: મુંબઈમાં માત્ર 2.5 લાખ રૂપિયામાં પોતાનું ઘર, BMC ચૂંટણી પહેલા શિંદે-ફડણવીસ સરકારની મોટી જાહેરાત

BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારે મોટી જાહેરાત કરી છે. માત્ર 2.5 લાખ રૂપિયામાં ઘર ખરીદવાનું સપનું પૂરું કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Maharashtra: મુંબઈમાં માત્ર 2.5 લાખ રૂપિયામાં પોતાનું ઘર, BMC ચૂંટણી પહેલા શિંદે-ફડણવીસ સરકારની મોટી જાહેરાત
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 11:18 PM
Share

Mumbai: મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરી છે. માત્ર 2.5 લાખ રૂપિયામાં મુંબઈમાં પોતાનું ઘર ખરીદવાની યોજના બનાવી છે. આ અંગે હાઉસિંગ વિભાગે સરકારી આદેશ જાહેર કર્યો છે. આ નિર્ણય મુંબઈના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે વરદાન રૂપ છે. ઝૂંપડાને બદલે પાકું ઘર ખરીદવાની સુવિધા માત્ર 2.5 લાખ રૂપિયામાં મળશે.

આ પણ વાચો: Mumbai: મુંબઈની લોકલ ટ્રેનોને રિપ્લેસ કરશે વંદે ભારત મેટ્રો ! ટૂંક જ સમયમાં જ દોડાવાશે, ભીડથી મળશે છુટકારો

આ જાહેરાત બાદ, 1 જાન્યુઆરી, 2000 અને 2011 વચ્ચેના ઝૂંપડા ધારકોને આવા સસ્તા મકાનો આપવાની યોજના ટૂંક સમયમાં અમલમાં આવશે. હાઉસિંગ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે આ સ્કીમની જાહેરાત કરતા તેની માહિતી આપી છે.

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, મુંબઈમાં 2.5 લાખ રૂપિયામાં ફ્લેટ મળવા લાગ્યો

મુંબઈના ઝૂંપડીમાં રહેતા લોકોને માત્ર તેમની ઝૂંપડી સોંપવી પડશે અને 2.5 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. આમ કરવાથી તેઓ પોતાના નામે કાયમી મકાન મેળવી શકશે. આ અંગે સરકારનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થોડા દિવસોમાં જાહેર થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, BMC ચૂંટણી પહેલા સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સરકાર વતી આ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય સાથે મુંબઈમાં પોતાનું ઘર રાખવાનું ઘણા લોકોનું સપનું સાકાર થશે.

આ યોજના 2018માં ચર્ચામાં આવી હતી, જ્યારે ફરીથી ચૂંટણીની મોસમ આવી ત્યારે તે અમલમાં આવી હતી

સૌ પ્રથમ વર્ષ 2018માં આવી યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ તેને ગંભીરતાથી લાગુ કરવાની તૈયારી હવે બતાવવામાં આવી છે, જ્યારે BMCની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. સામાન્ય મુંબઈવાસીઓ અને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને આ જાહેરાતથી ઘણી આશાઓ જોવા મળી છે. આ નિર્ણયનો અમલ કરવામાં કેટલો સમય લાગશે, તે જોવાનું રહેશે. આ નિર્ણય 2014થી 2018ની વચ્ચે લેવામાં આવ્યો હતો. મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકરે આ નિર્ણયને આવકાર્યો છે. સામાન્ય રીતે, એવું ભાગ્યે જ જોવા મળે છે કે ઠાકરે જૂથના કોઈ નેતા એકનાથ શિંદે સરકારના કોઈપણ નિર્ણયને આવકારે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
g clip-path="url(#clip0_868_265)">