Sheena Bora Murder Case: શીના બોરા જીવિત છે કે નહીં ? CBIએ કોર્ટમાં આપ્યો જવાબ, આગામી સુનાવણી 3 માર્ચે થશે

|

Feb 18, 2022 | 5:43 PM

ઈન્દ્રાણી મુખર્જીની 2015માં તેના પતિ પીટર મુખર્જી અને તેના પૂર્વ પતિ સંજીવ ખન્ના સાથે શીના બોરાની હત્યામાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Sheena Bora Murder Case: શીના બોરા જીવિત છે કે નહીં ? CBIએ કોર્ટમાં આપ્યો જવાબ, આગામી સુનાવણી 3 માર્ચે થશે
Sheena Bora Murder Case

Follow us on

Sheena Bora Murder Case:  ઈન્દ્રાણી મુખર્જીના (Indrani Mukerjea)દાવા પર કોર્ટે CBIને નોટિસ પાઠવી હતી. આ કેસમાં આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ શીના બોરા (Sheena Bora) જીવિત હોવાના દાવા અંગે તપાસની માંગ કરી હતી. ત્યારે હવે સીબીઆઈએ આ કેસમાં પોતાનો જવાબ કોર્ટમાં દાખલ કર્યો છે. કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 3 માર્ચે થશે.

તમને જણાવી દઈએ કે,ઈન્દ્રાણી મુખર્જીની 2015માં તેના તત્કાલિન પતિ પીટર મુખર્જી અને તેના પૂર્વ પતિ સંજીવ ખન્ના સાથે શીના બોરાની હત્યામાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.ભૂતપૂર્વ મીડિયા કારોબારી ઈન્દ્રાણી મુખર્જીએ સ્પેશિયલ કોર્ટમાં હસ્તલિખિત અરજી સબમિટ કરીને દાવો કર્યો હતો કે તેમની પુત્રી શીના બોરા જીવિત છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શું શીના બોરા જીવિત છે ?

મુખર્જીએ તેમના વકીલ સના રઈસ ખાન દ્વારા સબમિટ કરેલી આઠ પાનાની અરજીમાં કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ સીબીઆઈ, પ્રોસિક્યુશનને તેમના દાવાના જવાબમાં એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપે.ઉપરાંત મુખર્જીએ જાણવાની માંગ કરી હતી કે શું સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ શીના બોરાના દાવાને લઈને કોઈ પગલાં લીધાં છે કે તે જીવિત છે.

આ રીતે શીનાના જીવિત હોવાની માહિતી મળી

 

અરજી અનુસાર,નવેમ્બર 2021માં એક મહિલાએ ભાયખલા મહિલા જેલની અંદર પોતાની જાતને ભૂતપૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર આશા કોરકે તરીકે રજૂ કરી હતી, જેને ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પણ તેમાં સામેલ હતા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોરકેએ કથિત રીતે મુખર્જીને કહ્યુ હતુ કે જૂન 2021માં તે શ્રીનગરમાં હતી, જ્યાં તે એક યુવતીને મળી જે શીના બોરા જેવી દેખાતી હતી. જ્યારે કોરકેએ યુવતીનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે શું તે શીના બોરા છે, તો યુવતીએ હકારમાં જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: Maharashtra : EDએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલની કરી ધરપકડ, જાણો સમગ્ર વિગત

Next Article