મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર શરદ પવારનું નિવેદન, આંતરિક મતભેદ દૂર કરવાની જવાબદારી શિવસેનાની

આ ઉપરાંત શરદ પવારને જણાવ્યું કે, આ સ્થિતિનો કોઈને કોઈ રસ્તો નીકળશે.ઉપરાંત તેમણે આંતરિક મતભેદો ઉકેલવાની શિવસેનાની જવાબદારી ગણાવી છે.તેમજ ઉદ્ધવ સરકારના નેતૃત્વમાં જ સરકાર ચાલુ રહેશે તેવુ જણાવ્યુ છે.

મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર શરદ પવારનું નિવેદન, આંતરિક મતભેદ દૂર કરવાની જવાબદારી શિવસેનાની
NCP Chief Sharad Pawar Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 5:44 PM

મહા વિકાસ આઘાડી સરકારના શિલ્પકાર ગણાતા શરદ પવારે (Sharad Pawar Press Conference) મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે (21 જૂન, મંગળવાર) દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમની પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે એકનાથ શિંદે (Eknath Shinde Shiv Sena) અને તેમના સમર્થક ધારાસભ્યોનો બળવો શિવસેનાનો આંતરિક મામલો છે. આના પર એક પત્રકારે શરદ પવારને પૂછ્યું કે, પરંતુ સંકટનો સમય તો મહા વિકાસ અઘાડી સરકાર (Maharashtra Political Crisis) પર છે. આના પર શરદ પવારે કહ્યું, ‘મને મહા વિકાસ અઘાડી સરકારમાં કોઈ મોટું સંકટ દેખાતું નથી. શિવસેના ટૂંક સમયમાં આ સંકટનો ઉકેલ શોધી કાઢશે. મને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પૂરો વિશ્વાસ છે. જો જરૂર પડશે તો અમે શિવસેનાને આ સંકટમાંથી બહાર કાઢવા માટે સાથ આપવા તૈયાર છીએ.

શરદ પવારને એક પત્રકારે પૂછ્યું હતું કે એકનાથ શિંદેએ ફરી એકવાર શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આના પર શરદ પવારે કહ્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી.

‘એનસીપી અને ભાજપનું એકસાથે આવવું એ અશક્ય પ્રશ્ન’

એક પત્રકારે શરદ પવારને પૂછ્યું કે જો ભાજપ તરફથી ઓફર આવે તો શું એનસીપી અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી શકે છે? તેના પર શરદ પવારે કહ્યું કે તમે શું વાત કરો છો. કેટલાક સમજદાર પ્રશ્નો પૂછો. એટલે કે શરદ પવાર કોઈપણ સંજોગોમાં ભાજપ સાથે સત્તાની કોઈપણ ભાગીદારી કરશે નહીં.

‘મુખ્યમંત્રી કોણ બને તે શિવસેનાએ નક્કી કરવું જોઈએ’

શરદ પવારે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ પર કહ્યું કે, મુખ્યમંત્રી કોણ બને, તે ગઠબંધનની શરતો મુજબ શિવસેનાએ નક્કી કરવાનું છે. અમારા ક્વોટામાં નાયબ મુખ્યમંત્રી છે. તેથી આ સવાલનો જવાબ માત્ર શિવસેના જ આપી શકે છે. પરંતુ હાલમાં મને આવી કોઈ માંગની જાણકારી નથી.

શિવસેનામાં બળવો, મુશ્કેલીમાં મહા વિકાસ આઘાડી

શરદ પવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષથી મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારને તોડી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. શરદ પવારે કહ્યું કે આજે તેઓ દિલ્હીથી મુંબઈ જશે અને મહા વિકાસ આઘાડીના નેતાઓ સાથે આ અચાનક સંકટને દૂર કરવા માટે બેઠક કરશે અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">