AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના રાજકારણમાં એક તોફાન શાંત, શું શરદ પવારનો યુટર્ન અજીત પવાર માટે મુસીબત ?

Sharad Pawar is Back : જ્યારે અજિત પવારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ક્લીનચીટ આપવામાં આવી હતી, ત્યારે અટકળો શરૂ થઈ હતી. અજિત પવાર મહારાષ્ટ્રમાં ભાજપ સરકારમાં જોડાવાનું વિચારી રહ્યા હતા તે હજુ પણ રહસ્ય છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં એક તોફાન શાંત, શું શરદ પવારનો યુટર્ન અજીત પવાર માટે મુસીબત ?
NCP
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 9:36 AM
Share

મહારાષ્ટ્રના રાજકારણમાં એક તોફાન શાંત થઈ ગયું છે. મજબૂત નેતા શરદ ગોવિંદરાવ પવારે એનસીપી પ્રમુખ પદેથી આપેલું રાજીનામું પાછું લઈ લીધું છે. તેમના ભત્રીજા અજિત પવાર સહિત તેમની પાર્ટીએ તેમના નેતૃત્વને સમર્થન આપ્યું છે. પાર્ટીમાં કોઈ શરદ પવારને બદલવા તૈયાર નહોતું. પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, જયંત પાટીલ અને તેમની પુત્રી સુપ્રિયા સુલેએ તેમના પિતાને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બદલે તે તેમને મંજુર ન હતું.

શરદ પવાર દ્વારા રાજીનામું પાછું ખેંચવાની જાહેરાતને અજિત પવાર એ એક ઝાંટકો છે એવું લોકો માની રહ્યા છે. કારણ કે શરદ પવારનું રાજીનામું સ્વીકારવાની તરફેણમાં ખુલ્લેઆમ અને જાહેરમાં બોલનાર એકમાત્ર વ્યક્તિ અજિત પવાર હતા. તેણે આ માટે શરદ પવારની ઉંમર અને સ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો હતો.

થોડા અઠવાડિયા પહેલા, જ્યારે અજિત પવારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ક્લીનચીટ આપવામાં આવી હતી, ત્યારે અટકળો શરૂ થઈ હતી. અજિત પવાર મહારાષ્ટ્રમાં ભાજપ સરકારમાં જોડાવાનું વિચારી રહ્યા હતા તે હજુ પણ રહસ્ય છે. એનસીપીના કેટલાક ધારાસભ્યો પણ તેમની સાથે જવાની તૈયારી કરી રહ્યા હતા. ભાજપની ટોચની નેતાગીરી દ્વારા તેમને મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી હોવાની પણ ચર્ચા હતી. ઘણા નેતાઓએ શરદ પવારને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો કે મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન આપવું પાર્ટી માટે શ્રેષ્ઠ રહેશે. પરંતુ શરદ પવારે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ક્યાંય જવાના મૂડમાં નથી.

શરદ પવારે પોતે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ વાતની કોઈને જાણ નહોતી. શરદ પવારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેમણે અજિત પવારને માત્ર એટલું જ કહ્યું હતું કે, ‘હું નિવૃત્ત થવાનું વિચારી રહ્યો છું.’ આ પછી શરદ પવારે પોતે જ તે સમિતિ બનાવી અને કહ્યું કે ભાઈ, નવો પ્રમુખ પસંદ કરો! સમિતિમાં એવા તમામ લોકોની પસંદગી કરવામાં આવી હતી જેઓ કાં તો હોશિયાર અથવા વફાદાર હતા.

રાષ્ટ્રીય કાર્યકારિણીની ભૂમિકા પણ મહત્વની હતી. સમિતિમાં માત્ર મહારાષ્ટ્રના સભ્યો જ નહોતા. પીસી ચાકો, કેકે શર્મા, સોનિયા દુહાન, ધીરજ શર્મા, ગુરજીત સિંહ કીર જેવા ઘણા નામો હતા, જેમાંથી કેટલાક દિલ્હીના, કેટલાક ગુડગાંવના, કેટલાક યુપીના હતા. આ નેતાઓને અજિત પવાર સાથે શું લેવાદેવા છે? જ્યાં સુધી સમિતિના સભ્યોની વાત છે, જયંત પાટીલ વફાદાર હતા, પ્રફુલ્લભાઈ સમજુ હતા. એ જ રીતે NCP વફાદાર અને સમજદાર લોકો વચ્ચે વહેંચાઈ ગઈ, અજિત પવાર એકલા પડી ગયા.

જો અજિત પવાર ભાજપમાં જાય તો પણ એનસીપીના કાર્યકરો અને સમર્થકોની સહાનુભૂતિ શરદ પવાર સાથે વધુ થવાની શક્યતા છે. અજિત પવાર સંગઠનના માણસ છે, મહેનતુ પણ છે અને ઘણા ધારાસભ્યો તેમની નિષ્ઠા માટે ઋણી છે. પરંતુ તે તેના કાકાને પડકારવામાં સક્ષમ હશે કે કેમ તે અત્યારે કોઈનું અનુમાન છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">