‘મનસુખ હિરેનની હત્યા માટે સચિન વાજેએ ચૂકવ્યા 45 લાખ રૂપિયા’, NIAએ બોમ્બે HCમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પર લગાવ્યા આ મોટા આરોપ

એનઆઈએએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા મનસુખ હિરેન હત્યા કેસમાં (Mansukh Hiren Murder Case) મુખ્ય કાવતરાખોર છે.

'મનસુખ હિરેનની હત્યા માટે સચિન વાજેએ ચૂકવ્યા 45 લાખ રૂપિયા', NIAએ બોમ્બે HCમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પર લગાવ્યા આ મોટા આરોપ
Mansukh hiren (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 8:33 PM

મુંબઈમાં મનસુખ હિરેન હત્યા કેસમાં (Mansukh Hiren Murder Case) મોટો ખુલાસો થયો છે. આ માટે પોલીસ અધિકારી સચિન વાજેએ પ્રદીપ શર્માને 45 લાખ રૂપિયા આપ્યા હતા. NIAએ મનસુખ હિરેનની હત્યા પાછળ પ્રદીપ શર્માને (Pradeep Sharma) મુખ્ય સૂત્રધાર ગણાવીને મુંબઈ હાઈકોર્ટમાં (Bombay HC) ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ જણાવ્યું કે હત્યાનું કાવતરું મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં ઘડવામાં આવ્યું હતું. એનઆઈએએ બોમ્બે હાઈકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મનસુખ હિરેનની હત્યાનો મુખ્ય સુત્રધાર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્માને જણાવવામાં આવ્યો છે.

NIAના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કામ માટે સચિન વાજેએ પ્રદીપ શર્માને 45 લાખ રૂપિયા આપ્યા હતા. મનસુખ હિરેન દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી કારનો માલિક હતો. તેની હત્યા કરવામાં આવી હતી. NIAએ ચાર્જશીટમાં પોલીસ અધિકારી પ્રદીપ શર્માને હત્યાનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો છે. આ સાથે સચિન વાજે પર પ્રદીપને હત્યા માટે 45 લાખ રૂપિયા આપ્યાનો પણ આરોપ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

‘મુખ્ય કાવતરાખોર પ્રદીપ શર્મા’

એનઆઈએએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા મનસુખ હિરેન હત્યા કેસમાં મુખ્ય કાવતરાખોર છે. પ્રદીપ શર્માની 17 જૂન 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં NIAએ કહ્યું છે કે પ્રદીપ શર્માએ અન્ય આરોપીઓ સાથે પોલીસ કમિશનરની ઓફિસમાં ઘણી બેઠકો કરી હતી. ત્યાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેએ મનસુખ હિરેનની હત્યા માટે પ્રદીપ શર્માને 45 લાખ રૂપિયા આપ્યા હતા.

મનસુખ હિરેનનો મૃતદેહ 5 માર્ચ, 2021ના રોજ મળ્યો હતો

તપાસ એજન્સીએ બોમ્બે હાઈકોર્ટમાં પ્રદીપ શર્માની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. NIAએ કહ્યું કે તે નિર્દોષ નથી. તેઓએ હત્યા, આતંકવાદી કૃત્યો અને ગુનાહિત ષડયંત્ર જેવા ગુના કર્યા છે. કોર્ટે આ બાબતે સુનાવણી માટે અલગથી 17 જુલાઈની તારીખ નક્કી કરી છે, હવે 17 જુલાઈએ આ બાબતે વધુ ચર્ચા થશે. જણાવી દઈએ કે મનસુખ હિરેનનો મૃતદેહ 5 માર્ચ 2021ના રોજ મુંબઈ નજીક એક ખાડી પરથી મળી આવ્યો હતો. મુકેશ અંબાણીના ઘરે જિલેટીન ભરેલી કાર મનસુખ હિરેનની હતી. NIA આ ઘટનાની તપાસ કરી રહી હતી. આ કેસમાં મુંબઈના અનેક પોલીસ અધિકારીઓના નામ સામે આવ્યા હતા.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">