AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં માત્ર 2 જ નેતાઓએ મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે, જાણો કોણ છે એ નેતા

મહારાષ્ટ્રની સત્તામાં ફરી એકવાર પલટો આવવાનો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ હવે રાજ્યને ફરીથી નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં માત્ર 2 જ નેતાઓએ મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે, જાણો કોણ છે એ નેતા
Devendra Fadnavis (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 11:55 AM
Share

મહારાષ્ટ્રમાં એકવાર સત્તાપલટો થયો છે. ઉદ્ધવ ઠાકરેના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું (Uddhav Thackeray Resignation) બાદ હવે રાજ્યને ફરીથી નવા મુખ્ય પ્રધાન મળવા જઈ રહ્યા છે. બાય ધ વે, મહારાષ્ટ્રના (Maharashtra) રાજકારણમાં 5 વર્ષ સુધી મુખ્યપ્રધાનનો કાર્યકાળ પૂરો ના કરવો એ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ ઘણા એવા મુખ્યપ્રધાનો છે જેમણે પોતાનો કાર્યકાળ પૂરો નથી કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે 1960થી લઈને અત્યાર સુધી માત્ર બે જ એવા નેતા રહ્યા છે, જેમણે મુખ્ય પ્રધાન તરીકે પોતાના કાર્યકાળના 5 વર્ષ પૂરા કર્યા છે. જો કે રાજ્યને મહારાષ્ટ્રના ઘણા મુખ્યપ્રધાનો (Chief Ministers Of Maharashtra) મળ્યા, પરંતુ આ બે નેતાઓ સિવાય કોઈ નેતા 5 વર્ષ પૂરા કરી શક્યા નથી.

આમાં એક નામ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું, જેઓ ફરી એકવાર મુખ્ય પ્રધાન બનવાની તૈયારીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસ ફરી એકવાર રાજ્યના મુખ્ય પ્રધાન બની શકે છે અને જોવાનું રહેશે કે તેઓ કેટલા દિવસ સુધી રાજ્યની કમાન સંભાળે છે. તો જાણો મહારાષ્ટ્રમાં CMની ખુરશીને લઈને કેટલી ઉથલપાથલ થઈ છે.

દેવેન્દ્ર ફડણવીસે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો

દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મુખ્ય પ્રધાન બનવા જઈ રહ્યા છે. આ પહેલા પણ દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદ સંભાળી ચુક્યા છે અને તેઓ એકમાત્ર એવા નેતા છે જેમણે કોઈપણ સમસ્યા વિના પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. પરંતુ, 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર દેવેન્દ્ર ફડણવીસને પણ એકવાર માત્ર 5 દિવસમાં પોતાનું પદ છોડવું પડ્યું હતું. 2019 ની ચૂંટણીઓ પછી, દેવેન્દ્ર ફડણવીસે રાજકીય ઉથલપાથલ વચ્ચે 23 નવેમ્બર 2019 ના રોજ સીએમ તરીકે શપથ લીધા હતા, અને લગભગ 5 દિવસ પછી 28 નવેમ્બર 2019 ના રોજ તેમને પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. પરંતુ, જ્યારે તેઓ વર્ષ 2014માં સત્તામાં આવ્યા ત્યારે તેમણે તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો.

આ પણ વાંચો

આ નેતા 5 વર્ષથી વધુ સમય સુધી સીએમ હતા

દેવેન્દ્ર ફડણવીસ પહેલા 1963માં એક વ્યક્તિએ સીએમ પદનો હવાલો સંભાળ્યો હતો, જેઓ માત્ર 5 વર્ષ જ નહીં પરંતુ 11 વર્ષથી વધુ સમય સુધી મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા હતા. આ પૂર્વ મુખ્ય પ્રધાનનું નામ છે વસંતરાવ નાઈક. જેમણે 5 ડિસેમ્બર 1963ના રોજ પોતાનું પદ સંભાળ્યું અને 21 ફેબ્રુઆરી 1975 સુધી મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા. આ દરમિયાન તેમણે ત્રણ કાર્યકાળ પૂર્ણ કર્યા, જેમાં તેઓ 1963 થી 1967, 1967 થી 1972 અને 1972 થી 1975 સુધી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા. 10 દિવસ સુધી મુખ્ય પ્રધાન રહેલા પીકે સાવંત બાદ તેમને સીએમ બનાવવામાં આવ્યા હતા. આ પછી શંકરરાવ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા અને તેઓ 2 વર્ષ અને 85 દિવસ સુધી મુખ્ય પ્રધાન પણ રહ્યા.

ફડણવીસ અને વસંતરાવ નાઈક ઉપરાંત, વિલાસરાવ દેશમુખ સૌથી લાંબો સમય 4 વર્ષ 37 દિવસ સુધી સીએમ તરીકે રહ્યાં હતા. તેઓ કોંગ્રેસના નેતા હતા અને 1995 સુધી રાજ્યમાં માત્ર કોંગ્રેસનું જ શાસન હતું. આવી સ્થિતિમાં, એવું કહેવાય છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં એવા ઘણા ઓછા પ્રસંગો બન્યા છે, જ્યારે મુખ્ય પ્રધાને તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય. હવે દેવેન્દ્ર ફડણવીસ પણ ફરી એકવાર મુખ્યપ્રધાન બનશે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">