AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિવેદનથી ફરી ગયો 18મો સાક્ષી, કહ્યું- મને કંઈ યાદ નથી

સાક્ષીએ અગાઉ તપાસ એજન્સીઓને કહ્યું હતું કે તેણે કર્નલ પુરોહિતની અપીલ પર આર્ટ ઓફ લિવિંગ નામના કેમ્પનું આયોજન કર્યું હતું. તે શિબિરમાં 50-60 લોકોને તાલીમ આપવામાં આવી હતી.

Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિવેદનથી ફરી ગયો 18મો સાક્ષી, કહ્યું- મને કંઈ યાદ નથી
Another witness has been turned hostile of 2008 malegaon Bomb Blast case in Maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 8:27 PM
Share

મહારાષ્ટ્રના (Maharashtra) માલેગાંવમાં 2008ના માલેગાંવ બ્લાસ્ટ (Malegaon Blast) કેસમાં વધુ એક સાક્ષી ફરી ગયો છે. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, કેસમાં 18મો સાક્ષી ફરી ગયો. જણાવી દઈએ કે 2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 6 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. એનઆઈએના જણાવ્યા અનુસાર, ફરી જનાર નવો સાક્ષી મધ્યપ્રદેશનો રહેવાસી છે. સાક્ષીએ (Witness) હવે હોટલ માલિક એટીએસ અને એનઆઈએને આપેલા તેના અગાઉના નિવેદનોથી પીછેહઠ કરી છે. આ સાક્ષી વિસ્ફોટ કેસના ત્રણ આરોપી કર્નલ પ્રસાદ પુરોહિત, અજય રહીરકર અને સુધાકર ચતુર્વેદી સાથે સંબંધિત છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ, આજે NIAએ સ્પેશિયલ NIA જજ પીઆર સિત્રેની સામે 232મા સાક્ષીને રજૂ કર્યા. સાક્ષીએ કોર્ટને કહ્યું કે તેને કંઈ યાદ નથી. તે જ સમયે, તે કોર્ટમાં હાજર આરોપી કર્નલ પુરોહિતને પણ ઓળખી શક્યો ન હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ત્રણ વખત સાક્ષીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા એક વખત અને એનઆઈએ દ્વારા બે વખત સાક્ષીનું નિવેદન લેવામાં આવ્યું હતું. સાક્ષીએ અગાઉ તપાસ એજન્સીઓને કહ્યું હતું કે તેણે કર્નલ પુરોહિતની અપીલ પર આર્ટ ઓફ લિવિંગ નામના કેમ્પનું આયોજન કર્યું હતું.

‘કેમ્પમાં અન્ય કોઈ પ્રવૃત્તિની શંકા’

તે શિબિરમાં 50-60 લોકોને તાલીમ આપવામાં આવી હતી. સાક્ષીએ કહ્યું હતું કે સુધાકર ચતુર્વેદી નામનો એક આરોપી લાઠી પ્રશિક્ષણના સત્રમાં ઘાયલ પણ થયો હતો. આ શિબિરનું આયોજન 16 ઓક્ટોબર 2008 થી 21 ઓક્ટોબર 2008 દરમિયાન કરવામાં આવ્યું હતું. સાક્ષીએ કહ્યું હતું કે તેને લાગ્યું કે આર્ટ ઓફ લિવિંગના નામે કેમ્પમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે.

તેમણે કર્નલ પુરોહિતને પ્રશ્નો પૂછ્યા ન હતા, કારણ કે તેઓ તેમની વર્દીમાં કેમ્પમાં પહોંચતા હતા. તેમણે જણાવ્યું હતું કે ટ્રેનિંગ કેમ્પ માટે લગભગ 79150 રૂપિયાનો ખર્ચ થયો હતો. આ માટે રહિરકરે કેટલાક પૈસા આપ્યા હતા.

સાક્ષીઓ ફરી જવાથી પીડિત ચિંતિત

સાક્ષી જણાવ્યું કે કર્નલ પુરોહિતે તેને ટ્રેનિંગ માટે એર રાઈફલ્સની વ્યવસ્થા કરવા કહ્યું હતું, પરંતુ તે તેની વ્યવસ્થા કરી શક્યા નહીં. હવે સાક્ષીએ પોતાના નિવેદનથી પીછેહઠ કરી છે. જે બાદ બ્લાસ્ટ પીડિતોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે મોટી સંખ્યામાં સાક્ષીઓ તેમના નિવેદનોથી વિરુદ્ધ થઈ ગયા. તમને જણાવી દઈએ કે 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં એક મસ્જિદ પાસે બાઇક સાથે બાંધેલા વિસ્ફોટક ઉપકરણમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

2જી નવેમ્બર 2018ના રોજ ટ્રાયલ શરૂ થઈ

આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પુરોહિત, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, અજય રહીરકર, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણી આરોપી છે. 2 નવેમ્બર, 2018 ના રોજ શરૂ થયેલી સુનાવણીમાં, તપાસ એજન્સીએ લગભગ 286 સાક્ષીઓની યાદી બહાર પાડી હતી. જેમાં ડોકટરો, પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક નિષ્ણાતો અને પાંચ ગ્રામજનોનો સમાવેશ થાય છે. 30 ઓક્ટોબર, 2018 ના રોજ, કોર્ટે તમામ 7 આરોપીઓ સામે આતંકી પ્રવૃત્તિઓ, ગુનાહિત કાવતરું અને હત્યાના કેસમાં આરોપો નક્કી કર્યા હતા. બધા પર UAPA હેઠળ પણ કેસ ચલાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  Maharashtra: કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની માંગ, ફોન ટેપિંગ મામલે પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકાની તપાસ કરવામાં આવે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">