AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: તાન્ઝાનિયાથી મુંબઈ આવેલા વ્યક્તિએ વધારી ચિંતા, કોરોના પોઝિટિવ આવ્યા બાદ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા, સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ

તાન્ઝાનિયાથી મુંબઈના ધારાવીમાં આવેલી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ઓમિક્રોનની શંકાની પુષ્ટિ કરવા માટે તેનું સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યું છે. આજે (રવિવાર, 5 ડિસેમ્બર) દિલ્હીમાં પણ એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે.

Omicron: તાન્ઝાનિયાથી મુંબઈ આવેલા વ્યક્તિએ વધારી ચિંતા, કોરોના પોઝિટિવ આવ્યા બાદ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા, સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 7:53 PM
Share

પૂર્વ આફ્રિકન દેશ તાન્ઝાનિયાથી (Tanzania) મુંબઈ (Mumbai)ના ધારાવીમાં આવેલી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ઓમિક્રોનની શંકાની પુષ્ટિ કરવા માટે તેનું સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ (genome sequencing) માટે મોકલવામાં આવ્યું છે. આજે (રવિવાર, 5 ડિસેમ્બર) દિલ્હીમાં એક વ્યક્તિ પણ ઓમિક્રોનથી સંક્રમિત (Omicron infected found in Delhi) જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ દિવસમાં ઓમિક્રોન સંક્રમિતના 5 કેસ મળી આવ્યા છે.

શનિવારે મુંબઈને અડીને આવેલા ડોમ્બિવલીનો એક યુવક ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો હતો. તે કેપટાઉનથી દુબઈ થઈને દિલ્હી આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીથી મુંબઈ આવ્યો અને તેના ડોમ્બિવલીના ઘરે ગયો. શનિવારે જ ગુજરાતના જામનગરમાં એક 72 વર્ષીય વ્યક્તિ પણ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા હતા. અગાઉ કર્ણાટકમાં બે લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા હતા. હવે મુંબઈના ધારાવીમાં કોરોના પોઝિટિવ જોવા મળેલા વ્યક્તિએ ચિંતા વધારી દીધી છે.

ધારાવીનો આ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવતા તરત જ તેને સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. કોરોનાના નવા વેરીઅન્ટ, ઓમિક્રોનથી તેને સંક્રમણ ન લાગ્યું હોય તેવા ભયને ધ્યાનમાં રાખીને તેના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે કસ્તુરબા હોસ્પિટલની લેબમાં મોકલવામાં આવ્યા છે. માત્ર મુંબઈ અને મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર દેશ તેના રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે.

તાન્ઝાનિયાથી ધારાવીના સંપર્કમાં આવેલા લોકોનું પણ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું

આ દરમિયાન તાન્ઝાનિયાથી ધારાવી આવેલા આ વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધી કાઢવામાં આવી રહ્યા છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. આ વ્યક્તિની પાછળની હિસ્ટ્રી પણ તપાસવામાં આવી રહી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ સ્પષ્ટતા કરી છે કે હાલમાં મુંબઈ શહેરમાં એક પણ ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિ હાજર નથી. જોકે અત્યાર સુધી વિદેશથી આવેલા 13 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

ઓમીક્રોનના જોખમને પહોંચી વળવા માટે BMCનો 5-પોઈન્ટ એક્શન પ્લાન

ઓમિક્રોન વેરિઅન્ટના જોખમોને ધ્યાનમાં રાખીને વિદેશથી આવનારાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. BMCએ Omicron વેરિયન્ટને રોકવા માટે એક એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે પણ આ માટે પાંચ મુદ્દાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. મુંબઈ એરપોર્ટ પર અત્યાર સુધીમાં 3,837 મુસાફરોના સ્વેબ પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકારે લોકોને નવા જોખમોથી ડર્યા વિના કોરોના નિયમોનું પાલન કરવા અને શક્ય તેટલી વહેલી તકે રસીકરણ પૂર્ણ કરવા હાકલ કરી છે.

આ પણ વાંચો :  1 જાન્યુઆરીથી બેન્ક અને પોસ્ટમાં જતા પહેલાં બદલાયેલા આ નિયમ ધ્યાનમાં રાખજો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

g clip-path="url(#clip0_868_265)">