AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો હાહાકાર, મુંબઈમાં વધુ 7 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 28 પર પહોંચી

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક દિવસમાં 160 કેસ સામે આવ્યા છે અને બે લોકોના મોત નોંધાયા છે. રાજ્યમાં થયેલા 5 લોકોના મોત બાદ જીવ ગુમાવનારાઓનો કુલ આંકડો વધીને 1,41,264 પર પહોંચ્યો છે.

Omicron: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો હાહાકાર, મુંબઈમાં વધુ 7 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 28 પર પહોંચી
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 8:29 PM
Share

મહારાષ્ટ્ર (Maharashtra)માં મંગળવારે ઓમિક્રોન (Omicron) વેરિએન્ટના વધુ 8 કેસ સામે આવ્યા છે. તેમાંથી 7 પોઝિટીવ કેસ મુંબઈના છે અને 1 દર્દી વસઈ વિરારનો છે. રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનથી સંક્રમિત 28 દર્દી સામે આવી ચૂક્યા છે. તેમાંથી 9 દર્દીનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા પણ આપી દેવામાં આવી છે. જણાવી દઈએ કે દેશના સંક્રમિતોની અડધી સંખ્યા માત્ર એકલા મહારાષ્ટ્રમાં છે. ત્યારે સોમવારે ઓમિક્રોનના બે નવા કેસ રિપોર્ટ થયા હતા.

મહારાષ્ટ્રમાં સોમવારે એક દિવસમાં કોરોનાના 569 નવા કેસ મળ્યા છે. ત્યારે એક દિવસમાં 5 લોકોએ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક દિવસમાં 160 કેસ સામે આવ્યા છે અને બે લોકોના મોત નોંધાયા છે. રાજ્યમાં થયેલા 5 લોકોના મોત બાદ જીવ ગુમાવનારાઓનો કુલ આંકડો વધીને 1,41,264 પર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 6,507 છે. ત્યારે મુંબઈમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,751 છે.

મુંબઈમાં મૃત્યુદર દર 2.12 ટકા

મુંબઈમાં કુલ કેસ 7,65,442 છે. ત્યારે અત્યાર સુધી 16,359 દર્દીઓએ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 64,93,002 દર્દી રિક્વર થઈ ચૂક્યા છે. રાજ્યમાં રિક્વરી રેટ 97.72 ટકા નોંધવામાં આવ્યો છે, ત્યારે મૃત્યુદર 2.12 ટકા છે.

ભારતમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને 45 થઈ

ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને હવે 45 થઈ ગઈ છે. પહેલાની જેમ સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. ત્યારે બીજુ સૌથી વધારે પ્રભાવિત રાજ્ય રાજસ્થાન છે. સ્વાસ્થ્ય વિભાગે લોકોને સતર્ક રહેવા માટે કહ્યું છે અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે કહ્યું છે. આ સિવાય કેન્દ્રએ રાજ્યોને તપાસમાં તેજી લાવવા માટે પણ કહ્યું છે.

દિલ્હી-મુંબઈ સહિત આ 6 શહેરમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને RTPCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવુ જરૂરી

દેશમાં કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટના (Corona Omicron Variant) વધતા કેસોને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર (Central Government) તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની હેઠળ જોખમવાળા દેશોથી આવનારા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટની પ્રીબુકિંગ કરવી પડશે.

આ આદેશ 20 ડિસેમ્બરથી લાગુ પડશે. આ આદેશ મુજબ 20 ડિસેમ્બરથી દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદના એરપોર્ટ પર આવનારા જોખમવાળા દેશોના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટનું પ્રીબુકિંગ કરવું પડશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ઓમીક્રોન વેરિએન્ટ દુનિયાના ઘણા દેશોમાં પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે. એટલું જ નહીં બ્રિટેનમાં ઓમીક્રોનથી પ્રથમ મોતનો કેસ પણ સામે આવી ચૂક્યો છે.

આ પણ વાંચો: Omicron: ખૂબ જ ઝડપથી ફેલાય છે ઓમિક્રોન, ભારતમાં ઓમિક્રોનની લહેર આવશે તો હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાશે

આ પણ વાંચો: Corona: છેલ્લા 1 વર્ષમાં દુનિયાભરમાં સંક્રમિત થયા 19.9 કરોડ લોકો, 34 લાખ દર્દીઓના થયા મોત, જાણો અત્યાર સુધી કેટલા લોકોને આપવામાં આવી વેક્સિન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">