AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra:’નવાબ મલિક પર EDની કાર્યવાહીથી આશ્ચર્ય નથી થયું, મારી સાથે પણ દાઉદ ઈબ્રાહિમનું નામ જોડાયું હતું’, NCP સુપ્રીમો શરદ પવારની પ્રતિક્રિયા

નવાબ મલિક પર EDની આ કાર્યવાહી પર NCP પ્રમુખ શરદ પવારે પોતાની પ્રતિક્રિયા આપી છે. શરદ પવારે કહ્યું, 'કેન્દ્ર સરકાર કેવી રીતે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે, આ એક ઉદાહરણ છે.'

Maharashtra:'નવાબ મલિક પર EDની કાર્યવાહીથી આશ્ચર્ય નથી થયું, મારી સાથે પણ દાઉદ ઈબ્રાહિમનું નામ જોડાયું હતું', NCP સુપ્રીમો શરદ પવારની પ્રતિક્રિયા
Nationalist Congress Party chief Sharad Pawar
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 12:17 PM
Share

Mumbai: આજે (23 ફેબ્રુઆરી, બુધવાર) મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને NCP નેતા નવાબ મલિક પૂછપરછ માટે 7.45 કલાકે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસે પહોંચ્યા હતા. EDના અધિકારીઓ છેલ્લા ત્રણ કલાકથી તેમની પૂછપરછ કરી રહ્યા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈકબાલ કાસકરે પૂછપરછમાં ઈડીના અધિકારીઓ પાસેથી નવાબ મલિકનું નામ લીધું છે. સત્તાવાર રીતે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, નવાબ મલિકની ડી કંપની સાથેના જોડાણના સંબંધમાં કે અન્ય કોઈ કનેક્શનમાં ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. નવાબ મલિકનો પુત્ર અમીર મલિક પણ નવાબ મલિક સાથે ED ઓફિસમાં છે.

નવાબ મલિકની પાર્ટી એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલના જણાવ્યા અનુસાર, નવાબ મલિકને સવારે પાંચથી છ વચ્ચે કોઈ સૂચના આપ્યા વિના અથવા અચાનક ઘરેથી લઈ જવામાં આવ્યા હતા. નવાબ મલિક પર EDની આ કાર્યવાહી પર NCP પ્રમુખ શરદ પવારે પોતાની પ્રતિક્રિયા આપી છે.

શરદ પવારે કહ્યું, ‘કેન્દ્ર સરકાર કેવી રીતે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે, આ એક ઉદાહરણ છે. સત્ય બોલનારને હેરાન કરવામાં આવે છે. તેઓ સતત કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ બોલતા હતા. મને કલ્પના નહોતી કે તેની સાથે આવું થશે. મને આની નવાઈ ન લાગી. કોઈની પાસે કોઈ માહિતી નથી, કોઈ પુરાવા નથી અને દાઉદ ઈબ્રાહિમનું નામ સામે આવ્યું છે. તમને કદાચ ખબર નહીં હોય 25 વર્ષ પહેલાની વાત છે. હું મુખ્યમંત્રી હતો. મારા પર પણ આવા જ આક્ષેપો કરવામાં આવ્યા હતા. લોકોને બદનામ કરીને તેમની સામે કાર્યવાહી કરવી એ નવી વાત નથી. આ અંગે તેઓ બોલશે નહીં.’

નવાબ મલિક પર EDની કાર્યવાહી બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ

આ દરમિયાન ગૃહમંત્રી અને એનસીપી નેતા દિલીપ વાલસે પાટીલ તમામ કાર્યક્રમો રદ્દ કરીને મુંબઈ જવા રવાના થઈ ગયા છે. ED ઓફિસની બહાર NCP કાર્યકર્તાઓ બપોરે 12 વાગ્યે આ ઘટના વિરુદ્ધ મોરચો કાઢવા જઈ રહ્યા છે. સુપ્રિયા સુલેએ આ મુદ્દે કહ્યું, ‘છેલ્લા ઘણા મહિનાઓથી લોકો અમને સોશિયલ મીડિયામાં ધમકી આપતા હતા કે અમે ED નોટિસ મોકલીશું, ED નોટિસ મોકલીશું. તેથી અમને આશ્ચર્ય ન થયું. નવાબ મલિક કહેતા હતા કે તે ED અધિકારીઓ માટે ચા-બિસ્કિટની વ્યવસ્થા કરશે. જો તેમને યોગ્ય સૂચના મોકલીને બોલાવવામાં આવ્યા હોત, તો નવાબભાઈએ તેમને નાસ્તો પણ પીરસ્યો હોત. મેં સંસદમાં પણ કહ્યું છે કે, જે લોકો ભાજપ વિરુદ્ધ બોલે છે તેઓ EDના રડાર પર છે. જેઓ બહારથી ગયા છે અથવા તેમના પક્ષમાં તેમના પક્ષમાં છે. તેમની સામે કાર્યવાહી થતી નથી. અમારી પાસે છત્રપતિ શિવાજી મહારાજના સંસ્કાર છે, અમે ક્યારેય કેન્દ્રની સામે ઝૂક્યા નથી, ન ઝૂકીશું. આજે દેશમાં બેરોજગારી, શિક્ષણ અને અનેક પડકારો છે. કોવિડ સમયગાળામાં અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. અમે તે વસ્તુઓને સુધારવા અને સંભાળવા પર કામ કરી રહ્યા છીએ. તેમને જે કરવું હોય તે કરવા દો.’

કુર્લામાં કરોડોની જમીન નવાબ મલિકની સોલિડસ કંપની દ્વારા શાહ વલી ખાન અને મુંબઈ બ્લાસ્ટ કેસમાં ટાડાના આરોપી અને દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત સલીમ પટેલ પાસેથી તેમના પુત્ર ફરાઝ મલિકના નામે રૂ. 30 લાખમાં ખરીદી હતી. જેમાં માત્ર વીસ લાખ રૂપિયા ચૂકવાયા હતા. આ આરોપ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે 9 નવેમ્બર 2021ના રોજ તેમની પ્રેસ કોન્ફરન્સમાં લગાવ્યો હતો.

આ પણ વાંચો: Mumbai Local : રસી ન લેનારા લોકો માટે યાત્રાની અનુમતિ નહી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનો નિર્ણય

આ પણ વાંચો: Maharashtra : કોરોના વુહાનના જે લેબમાંથી નિકળ્યો, તેના માલિક બિલ ગેટ્સ ! જાણો કોણે આપ્યુ સનસનાટીભર્યુ નિવેદન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">